Former CM Vijay Rupani Scam :500 કરોડના આક્ષેપ મામલે પૂર્વ સીએમ રૂપાણીએ  કોંગ્રેસને મોકલી નોટિસ

author img

By

Published : Feb 28, 2022, 2:55 PM IST

Former CM Vijay Rupani Scam : પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ 500 કરોડનું આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former CM Vijay Rupani Scam) તેમજ નીતિન ભારદ્વાજ પર કોંગ્રેસ દ્વારા કૌભાંડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે રુપાણીએ વકીલ મારફતે કોંગ્રેસના નેતાઓને (Vijay Rupani sent a Notice Congress) નોટિસ પાઠવી છે.

રાજકોટ: તાજેતરમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, સી.જે ચાવડા સહિતના કોંગી નેતાઓ દ્વારા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ (Former CM Vijay Rupani Scam) અગ્રણી નીતિન ભારદ્વાજ પર જમીન કૌભાંડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મામલે આજે રૂપાણીએ પોતાના વકીલ અંશ ભારદ્વાજ મારફતે (Vijay Rupani sent a Notice Congress) કોંગ્રેસના નેતાઓને નોટિસ પાઠવીને આ મામલે માફી માંગે અથવા પુરાવા રજૂ કરે તેવી માંગણી કરવામાં આવી છે.

પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ 500 કરોડનું આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

આ પણ વાંચોઃ Gujarat new initiative: રાજકોટ મનપાની 175 સેવાનો લાભ WhatsAPPના માધ્‍યમથી લઇ શકાશે

કોંગ્રેસના ત્રણ નેતાઓ અને એક મદદનીશ પાઠવી

કોંગ્રેસ દ્વારા જ્યારે રૂપાણી પર આક્ષેપ (Congress attack on Vijay Rupani) કરવામાં આવ્યા ત્યારે તેઓ વિદેશ પ્રવાસે હતા. જે હવે ગુજરાત પરત આવતા તેમના દ્વારા આક્ષેપ મામલે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા પોતાના વકીલ અંશ ભારદ્વાજ મારફતે કોંગ્રેસના ત્રણ તેઓ જેમાં સુખરામ રાઠવા, સી.જે ચાવડા અને શૈલેષ પરમારને તેમજ વિરોધ પક્ષના કાર્યાલયના અંગત મદદનીશ એવા એક કર્મચારી એમાં ચાર લોકોને નોટિસ પાઠવીને સમગ્ર મામલે પુરાવા રજૂ કરવા અથવા માફી માંગવાની માંગ કરવામાં આવી છે.

પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ 500 કરોડનું આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ
પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ 500 કરોડનું આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

આ પણ વાંચોઃ CR Patil on Vijay Rupani: વિજય રૂપાણીની નારાજગી અંગે સી. આર. પાટીલે શું કહ્યું?

શું છે સમગ્ર મામલો

કોંગ્રેસના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સહારા ઇન્ડિયા હોમ કોર્પોરેશનની રાજકોટની લગભગ 111 એકર જમીનને રહેણાક માંથી ઔદ્યોગિક હેતુ માટે તબદીલ કરવામાં આવી હતી. જમીનને સરકાર (સરકાર દ્વારા જમીનનું અધિગ્રહણ) કરવાના બદલે રૂપાણી સરકાર દ્વારા ભાજપના નેતાઓ, મળતિયા બિલ્ડરો અને ડેવલપર્સને લાભ પહોંચાડવા માટે રહેણાક હેતુસરની જમીનને ઇન્ડસ્ટ્રિયલ વપરાશ માટે હેતુફેર કરવામાં આવી હતી. આમ કરીને તેમણે 500 કરોડનું (Allegation of Rs 500 Crore on Vijay Rupani) કૌભાંડ આચર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.