ETV Bharat / state

Controversial comment on Shivaji: શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકોટના વકીલનું સરઘસ કઢાયું

author img

By

Published : Feb 22, 2022, 7:29 PM IST

Controversial comment on Shivaji: શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકોટના વકીલનું સરઘસ કઢાયું
Controversial comment on Shivaji: શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકોટના વકીલનું સરઘસ કઢાયું

રાજકોટમાં શિવાજી પર વિવાદિત કોમેન્ટ (Controversial comment on Shivaji)મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી હતી. તેને જાહેરમાં જ કાયદાના પાઠ ભણાવ્યા હતા. વકીલે ધરપકડ કરવા આવેલી પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હોવાનું ખુલ્યું હતું. આજે સોહિલને ઘટના સ્થળે લઈ જઈને તેનું રિકન્ટ્રકસન કરવામાં આવ્યું હતું.

રાજકોટ: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ( Birthday of Chhatrapati Shivaji Maharaj )પર રાજકોટના મુંજક નજીક આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનારા( Shyamaprasad Mukherjee Housing Scheme)રહેવાસીઓના વોટ્સએપ ગ્રુપમાં વકીલ દ્વારા શિવાજી પર વિવાદિત ટિપ્પણી કરાઈ હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી હતી અને તેને જાહેરમાં જ કાયદાના(Controversial comment on Shivaji) પાઠ ભણાવ્યા હતા. જ્યારે વકીલે ધરપકડ કરવા આવેલી પોલીસ( Rajkot City Police )સાથે પણ ઝપાઝપી કરી હોવાનું ખુલ્યું હતું.

શિવાજી પર વિવાદિત ટિપ્પણી

શિવાજી જયંતીના દિવસે વોટ્સએપ ગ્રુપમાં બન્યો બનાવ

શિવાજી જયંતીના દિવસે વોટ્સએપ (Birthday of Chhatrapati Shivaji Maharaj )ગ્રુપમાં શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ યોજનારા રહેવાસીઓ વોટ્સએપ ગ્રુપમાં શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી રહી હતી. એવામાં સોહિલ મોર નામના વકીલ દ્વારા શિવાજી લૂંટારો હતો તેવી વિવાદિત કોમેન્ટ લખી હતી. શિવાજી મહારાજ અંગે આ પ્રકારની વિધર્મી દ્વારા ટિપ્પણી કરવામાં આવતા આવાસ યોજનાના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે બાદ આ વિધર્મી વકીલને સ્થાનિકો દ્વારા સમજવાનો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચોઃ સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનારા યુવકની જામી અરજી કોર્ટે ફગાવી

વિસ્તારમાં છરી સાથે મચાવ્યો આતંક

જ્યારે શિવાજી મામલે વિવાદિત કોમેન્ટ કર્યા બાદ સોહિલને સ્થાનિકોએ સમજાવ્યો હતો. જો કે તે સમજવાના બદલે પોતાના ફ્લેટમાંથી છરી લઈને બહાર આવ્યો હતો અને સ્થાનિકોને ડરાવવા લાગ્યો હતો. તેમજ તેને હવે અહીં બધા પાકિસ્તાની બની ગયા છે હિંદુઓ અહીંથી ભાગી જાય તેમ હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવો વાણીવિલાસ કર્યો હતો. જ્યારે વિસ્તારમાં તેની ધરપકડ માટે પોલીસ આવી તો તેને પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

પાકિસ્તાનના ધર્મગુરુના વિડીયો જુએ છે: ડીસીપી

સમગ્ર મામલે રાજકોટ ઝોન 2ના ડીસીપી મનોહરસિંહે આ અંગે જણાવ્યું હતું કે સોહિલ છેલ્લા 10 વર્ષથી વકીલાત કરે છે અને તેને LLMનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેના સોશયલ એકાઉન્ટમાંથી તે પાકિસ્તાનના ધર્મગુરુઓના વિડીયો જોતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. તેમજ તેની પાસેથી ધાર્મિક લેખ પણ મળી આવ્યા છે. હાલ સોહિલની પોલીસ દ્વારા વધુ પૂછપરછ થઈ રહી છે. આજે સોહિલને ઘટના સ્થળે લઈ જઈને તેનું રિકન્ટ્રકસન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ દર્શના જરદોશના ભાષણ અંગે સોશિયલ મીડિયા વિવાદિત નિવેદન આપતા, પાસ કાર્યકર્તા સામે પોલીસ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.