પોરબંદર: વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને સોશિયલ ડિસ્ટન્સીંગથી અટકાવી શકાય છે. ભારત સરકાર દ્રારા સમગ્ર દેશમાં તારીખ ૨૪ માર્ચના રોજથી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરેલું છે. પોરબંદર જિલ્લામાં જનતાની સલામતી માટે તથા કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે કોઇપણ વ્યક્તિએ બિન જરૂરી રીતે ઘરની બહાર નિકળવુ નહીં કે અવર જવર કરવી નહીં તેમજ લૉકડાઉનનું ચૂસ્તપણે અમલવારી કરવી.
જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ બહાર પાડેલું જાહેરનામુ સમગ્ર પોરબંદર જિલ્લામાં તારીખ ૧૪ એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ જે વ્યક્તિ સરકારી ફરજ ઉપરના તમામ અધિકારીઓ/કર્મચારીઓ અને લૉકડાઉનમાં જાહેર કરેલી જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા લોકોને લાગુ પડશે નહીં. પોરબંદર જિલ્લાની હદ સામાન્ય નાગરિકોએ ક્રોસ કરવી નહીં.