ETV Bharat / state

ગાંધી ચિંધ્યો માર્ગ શાંતિનો રોડ મેપ છેઃ CM વિજય રૂપાણી

author img

By

Published : Oct 2, 2019, 5:16 PM IST

Updated : Oct 2, 2019, 8:16 PM IST

vv

પોરબંદરઃ સાબરમતીના સંત વિશ્વ વંદનિય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમના જન્મ સ્થળ પોરબંદર ખાતે કીર્તિમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના યોજાઈ હતી. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત જવાહર ચાવડા, રમેશભાઇ ઓઝા અને સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની શાળાઓમાં ગાંધીજીવનના નૈતિક મૂલ્યો સાથે પર્યાવરણનો સમન્વય કરવામાં આવશે. તેમજ પ્રાથમિક શાળાઓમાં પર્યાવરણ લેબ શરૂ કરાશે. જેથી પર્યાવરણ જાળવણી એ વિદ્યાર્થીઓમાં સંસ્કાર બની ઉભરી આવે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, એક બાળક એક વૃક્ષ મુજબ સમગ્ર રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે 150 લાખ વૃક્ષોનુ વાવેતર સંપન્ન કરાયુ છે.

ગાંધી ચિંધ્યો રાહ શાંતીનો રોડ મેપ છેઃ CM વિજય રૂપાણી

પૂ.ગાંધી બાપુને ભાવવંદના કરી શ્રધ્ધાંજલી અર્પી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે, 'બાપુના સત્ય અહિંસા અને અપરિગ્રહના વિચારોથી આગળ વધી સ્વચ્છતા સાથે સ્વચ્છાગ્રહી બનીએ એ જ રાષ્ટ્રપિતા પૂ.ગાંધીબાપુને સાચી શ્રધ્ધાંજલી છે. ગાંધી ચિધ્યો રાહ તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. ગાંધી ચિંધ્યો રાહ શાંતીનો રોડ મેપ છે. પ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન છે, તેનો નિષેધ અને અમલ કરવો એ આપણી સૌની જવાબદારી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નિષેધથી પ્રકૃતિ સાથે પર્યાવરણનું અને સમગ્ર સૃષ્ટિનું આપણે રક્ષણ કરી શકીશુ. સાથે સાથે સ્થાયી વિકાસને પણ પ્રસ્થાપીત કરવામાં વિશેષ મદદ મળશે'ગાંધીજી આજે પણ આપણી વચ્ચે છે. તેમના જીવન સાથે સંકળાયેલા તમામ સ્થળો સાબરમતી આશ્રમ, રાજકોટની તેમના અભ્યાસની શાળા, દાંડીયાત્રા અને કીર્તિમંદિરને જોડીને ગાંધી સર્કીટના નિર્માણનો આપણે ભગીરથ પ્રયાસ કર્યો છે. જેનાથી સમગ્ર વિશ્વને આપણે ગાંધીજીના નૈતિક મૂલ્યો તેમનો જીવન સંદેશ આપી શકીએ. મુખ્યપ્રધાને ગાંધીજન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તે કક્ષની મુલાકાત લઇ બાદમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પો અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે સર્વધર્મ સભામાં સહભાગી રમેશભાઇ ઓઝાએ પૂ.બાપુના પરિશ્રમના વિચારને પ્રતિષ્ઠા સાથે જોડી તેમા પ્રમાણીકતાનો ઉમેરો કરવાથી તમામ સમસ્યાઓનું સમાધાન થશે તેમ જણાવ્યુ હતું. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે તેમણે પોરબંદરવાસીઓને ગાંધીજીને પ્રિય પર્યાવરણ જાળવણીનું આહવાન કરી વડાપ્રધાનના આ સદ્કાર્યમા જોડાવા જણાવ્યુ હતુ. ગાંધીજી એક સાથે ઘણા બધા કાર્યો એટલી જ સફળતા સાથે કરતા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને પ્રવાસન પ્રધાન જવાહરભાઇ ચાવડા, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઇ મોરી, પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, જિલ્લા કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, સમાજશ્રેષ્ઠીઓ ગાંધી ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ગાંધીભૂમિ પોરબંદર ખાતે કીર્તિમંદિરમાં સર્વધર્મ સભામાં સહભાગી થતા મુખ્યપ્રધાન



તમામ સરકારી શાળાઓમાં નૈતિક મૂલ્યો સાથે પર્યાવરણનો સમન્વય કરાશે



સ્વચ્છતા સાથે સ્વચ્છાગ્રહી બનીએ



ગાંધી ચિધ્યો રાહ શાંતીનો રોડમેપ છે



પ્લાસ્ટિક પર્યાવરણનો દુષ્મન છે તેનો નિષેધ આપણી જવાબદારી છે : મુખ્યપ્રધાન



પરિશ્રમને પ્રતિષ્ઠા સાથે જોડી પ્રમાણિકતાનો ઉમેરો કરો : રમેશભાઇ ઓઝા

સાબરમતીના સંત વિશ્વ વંદનિય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૧ મી જન્મજયંતિ નિમિત્તે પાવનકારી પોરબંદરમાં તેમના જન્મ સ્થળ કીર્તિમંદિરમાં યોજાયેલા સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, ભાઇશ્રી રમેશભાઇ ઓઝા અને સમાજ શ્રેષ્ઠીઓ સાથે સહભાગી થયા હતા.

સમગ્ર રાજ્યની શાળાઓમાં ગાંધીજીવનના નૈતિક મૂલ્યો સાથે પર્યાવરણનો સમન્વય કરાશે. તેમજ પ્રાથમિક શાળાઓમાં પર્યાવરણ લેબ શરૂ કરાશે જેથી પર્યાવરણ જાળવણીએ વિદ્યાર્થીઓમાં સંસ્કાર બને તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. એક બાળક એક વૃક્ષ મુજબ સમગ્ર રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે ૧પ૦ લાખ વૃક્ષોનુ વાવેતર સંપન્ન કરાયુ છે તેમ મુખ્યપ્રધાનેઉમેર્યુ હતુ.

પૂ.ગાંધી બાપુને ભાવવંદના કરી શ્રધ્ધાંજલી અર્પી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યુ કે, બાપુના સત્ય અહિંસા અને અપરિગ્રહના વિચારોથી આગળ વધી સ્વચ્છતા સાથે સ્વચ્છાગ્રહી બનીએ એજ રાષ્ટ્રપિતા પૂ.ગાંધીબાપુને સાચી શ્રધ્ધાંજલી છે.

મુખ્ય પ્રધાને કહ્યુ કે, ગાંધી ચિધ્યો રાહ તેમના વિચારો આજે પણ એટલાંજ પ્રસ્તૃત છે. ગાંધી ચિંધ્યો રાહ શાંતીનો રોડમેપ છે.

મુખ્યપ્રધાને પ્લાસ્ટિક પર્યાવરણનો દુશ્મન છે તેનો નિષેધ અને અમલ કરવો એ આપણી સૌની જવાબદારી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નિષેધ થી પ્રકૃતિ સાથે પર્યાવરણનું અને સમગ્ર સમષ્ટીનું આપણે રક્ષણ કરી શકીશુ સાથે સાથે સ્થાયી વિકાસને પણ પ્રસ્થાપીત કરવામાં વિશેષ મદદ મળશે.

ગાંધીજી આજે પણ આપણી વચ્ચે છે તેમના જીવન સાથે સંકળાયેલા તમામ સ્થળો સાબરમતી આશ્રમ, રાજકોટના તેમના અભ્યાસની શાળા, દાંડીયાત્રા અને કીર્તિમંદિરને જોડીને ગાંધી સર્કીટના નિર્માણનો આપણે ભગીરથ પ્રયાસ કર્યો છે. જેનાથી સમગ્ર વિશ્વને આપણે ગાંધીજીના નૈતિક મૂલ્યો તેમનો જીવન સંદેશ વિશ્વમાં પ્રસરશે.

મુખ્યપ્રધાને ગાંધીજન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તે કક્ષની મુલાકાત લઇ બાદમાં મહાત્માં ગાંધી અને કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પો અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે સર્વધર્મ સભામાં સહભાગી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પૂ.બાપુના પરિશ્રમના વિચારને પ્રતિષ્ઠા સાથે જોડી તેમા પ્રમાણીકતાનો ઉમેરો કરવાથી તમામ સમસ્યાઓનું સમાધાન થશે તેમ જણાવ્યુ હતું.

તેમણે પોરબંદરવાસીઓને ગાંધીજીને પ્રીય પર્યાવરણ જાળવણીનું આહવાન કરી વડાપ્રધાનના આ સદકાર્યમા જોડાવા જણાવ્યુ હતુ. બાપુ માટે સફાઇ સંતોની સેવા, ચરખો કાંતવો કે બકરીની સંભાળ રાખવી અર્થાત તમામ કામ તેમના માટે પુજા હતી. ગાંધીજી એક સાથે ઘણા બધા કાર્યો એટલી જ સફળતા સાથે કરતા હતા. તેમ પૂ.ભાઇશ્રીએ ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષભાઇ મોરી, પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, જિલ્લા કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, સમાજશ્રેષ્ઠીઓ ગાંધી ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા.Body:.Conclusion:
Last Updated :Oct 2, 2019, 8:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.