ETV Bharat / state

સિટી સ્કેન કોરોનાનુ ફાઇનલ રિઝલ્ટ નથી : સિવિલ સર્જન

author img

By

Published : Jul 25, 2020, 5:25 AM IST

પોરબંદર જિલ્લામાં કોરોનાને કાબુમાં લેવા માટે તથા કોરોનાનુ વધુ સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લાતંત્ર દ્રારા તમામ સ્તરના પગલા લેવાઇ રહ્યા છે. પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલએ કોવિડ-19 હોસ્પિટલ છે. જ્યાં કોરોનાને લગતી RTPCR ટેસ્ટ કરવામાં આવે છે તથા આ ટેસ્ટમાં પોઝિટિવ આવતા દર્દીઓને આઇસોલેશન વોર્ડ ખાતે તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે.

સિટી સ્કેન કોરોનાનુ ફાઇનલ રિઝલ્ટ નથી : સિવિલ સર્જન
સિટી સ્કેન કોરોનાનુ ફાઇનલ રિઝલ્ટ નથી : સિવિલ સર્જન

  • તાવ, સરદી, ઉધરસ જેવા કોરોનાને લગતા લક્ષણો જણાય તો ભાવસિંહજી હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ કરાવવો : ડો.જનાર્દન જોષી

પોરબંદરઃ સિવિલ સર્જન ડો.પરમારે જણાવ્યુ કે, RTPCR ટેસ્ટમાં જે પોઝિટિવ આવે એ જ ફાઇનલ પોઝીટીવ એવી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છે. જો કોઇ જગ્યાએ સિટી સ્કેનમાં શંકાસ્પદ ચિત્ર આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવુ પડે છે. ફક્ત સિટી સ્કેનને ધ્યાનમાં રાખીને કોઇ કેસ પોઝિટીવ કે નેગેટીવ છે તેવુ કંઇ શકાય નહી. RTPCR ટેસ્ટમાં જ ખ્યાલ આવે છે કે કોઇપણ પોઝિટીવ કે નેગેટીવ છે. ડો.પરમારે વધુમાં જણાવ્યુ કે, કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાને એકટિવ કેસોને જરૂરી તમામ સારવાર આપવામાં આવે છે.

IMA(ઇન્ડિયન મેડિકલ એશોસિએશન)ના ઉપપ્રમુખ અને પોરબંદર જિલ્લા કોવિડ કમિટિના સભ્ય ડો.જનાર્દન જોષીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ RTPCR ટેસ્ટ દ્રારા ખ્યાલ આવે કે કોઇને કોરોના પોઝીટીવ કે નેગેટીવ છે. જો કોઇ વ્યક્તિને તાવ, સરદી, ઉધરસ જેવા કોરોનાને લગતા લક્ષણો જણાય તો ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કૉરોનાને લગતો RTPCR ટેસ્ટ કરાવવો જોઈએ.Body:.Conclusion:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.