ETV Bharat / state

નવસારીમાં DGVCLના ટ્રાન્સફોર્મરના કંપાઉન્ડમાં રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળ્યો

author img

By

Published : Sep 7, 2022, 10:01 PM IST

નવસારીમાં રાષ્ટ્રીય પક્ષી મોર સામાન્ય પણે જોવા મળતા હોય છે. રાધા માધવ સોસાયટી પાસે આવેલી DGVCLના ટ્રાન્સફોર્મર પાસે મૃત હાલતમાં મોર મળી આવતા પશુ પ્રેમીઓમાં સહિત સ્થાનિકોમાં દુઃખની લાગણી જોવા મળી છે. મૃત હાલતમાં મોર મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી.Navsari Forest Department, dead peacock in Navsari, Death of peacock

નવસારીમાં DGVCLના ટ્રાન્સફોર્મરના કંપાઉન્ડમાં રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળ્યો
નવસારીમાં DGVCLના ટ્રાન્સફોર્મરના કંપાઉન્ડમાં રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળ્યો

નવસારી શહેરના અનેક વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોર સામાન્ય પણે જોવા મળતા (dead peacock in Navsari)હોય છે. આ વિસ્તાર જાણે મૌર માટે સુરક્ષિત આશ્રય સ્થાન બન્યું હોય તેમ લોકો પણ તેને આરોગવાની વ્યવસ્થા કરે છે, પરંતુ આજે રાધા માધવ સોસાયટી પાસે આવેલી DGVCLના ટ્રાન્સફોર્મર પાસે મૃત હાલતમાં મોર મળી (Death of peacock )આવતા પશુ પ્રેમીઓમાં સહિત સ્થાનિકોમાં દુઃખની લાગણી જોવા મળી છે. મૃત હાલતમાં મોર મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી (Navsari Forest Department)હતી.

મોર મૃત હાલતમાં મળ્યો

મૃત હાલતમાં મોર મળ્યો શહેરના તીઘરા ઈટાળવા રોડ પાસે વોર્ડ નંબર 13 ના રાધા માધવ સોસાયટીમાં પણ મોર અવારનવાર જોવા મળતા હોય છે. ખાસ કરીને મોરો આ વિસ્તારમાં વધુ આવતા હોય છે. પરંતુ આજે રાધા માધવ સોસાયટી નજીક આવેલા ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પાસે મોર મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. DGVCLના ટ્રાન્સફોર્મરમાં સંભવિત રીતે કરંટ લાગવાથી મોત થયાની જાણ થતા ડીજીવીસીએલને પણ આ મામલે જાણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.