નવસારીમાં બદલાતા વાતાવરણને લઈને 150 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું મનોમંથન

author img

By

Published : Dec 23, 2022, 3:16 PM IST

નવસારીમાં બદલાતા વાતાવરણને લઈને 150 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું મનોમંથન

નવસારી ખાતે બદલાતા વાતાવરણને (Weather of Gujarat) લઈને 150 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોનું મનોમંથન(Atmospheric seminar in Agricultural University) કર્યું હતું. બદલાતા વાતાવરણ (agricultural scientists brainstormed navsari) સામે ટકીને ગુણવત્તા યુક્ત ખેત પૈદાશ કઈ રીતે તૈયાર કરી શકાય. અને વિષમ પરિસ્થિતિમાં જે પાક પોતાની જાતને તેમાં ઢાળી શકે તેવું સંશોધન કરવાની દિશામાં (150 scientists brainstorm environment Navsari) હાલ વૈજ્ઞાનિકો કાર્યરત બન્યા છે.

નવસારીમાં બદલાતા વાતાવરણને લઈને 150 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોએ કર્યું મનોમંથન

નવસારી છેલ્લા કેટલા વર્ષોથી વાતાવરણમાં (Climate of Gujarat) કોઇ મેળ રહ્યો નથી. શિયાળામાં ગરમી તો ચોમાસામાં તડકો, તો ઉનાળામાં વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ વાતાવરણ (Weather of Gujarat) બદલવાના કારણે પાકની સાથે માનવજીવન પર સીધી અસરની સાથે આડી રીતે પણ અસર કરે છે. વાતાવરણ બદલવાના કારણે શરીરને અને બીજી રીતે ખેડૂતોના પાકને નુકશાની જોવા મળે છે. પાકને નુકશાન ના કારણે ખેડૂતોને આવક સારી મળતી નથી. પાક ઓછો થવાના કારણે માર્કેટમાં પાકની કિંમત બમણી થાઇ છે. જેના કારણે વાતાવરણની અસર દરેકને પડે છે.ત્યારે નવસારીમાં વાતાવરણ સામે ટકી શકે તેવા પાકનું સંશોધન થાય તે માટે કૃષિ યુનિવર્સિટીમાં (Atmospheric seminar in Agricultural University) સેમિનાર યોજાયો હતો. જેમાં દેશના 150 વૈજ્ઞાનિક હાજર રહ્યા.

વૈશ્વિક સમસ્યા ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક (Global warming is a global problem) સમસ્યા બની છે. આ માનવસર્જિત આફત સામે ટકી શકવા માટે અનેક દેશ મનોમંથન કરી રહ્યા છે. સતત બદલાતું વાતાવરણ માનવ શરીર સાથે સાથે ખેતીને પણ વ્યાપક નુકસાન કરી રહ્યું છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે Innovative Approaches for Sustainable Agriculture Under Changing Climates" સેમિનારમાં મથુરાની સંસ્કૃતિ યુનિવર્સિટીના વાઇસ ચાંસેલર એમ.બી ચેટ્ટતી સાથે દેશના વિવિધ કૃષિ યુનીવરસિટીના 150 જેટલા વૈજ્ઞાનિકોએ સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં બદલાતા વાતાવરણને લઈને મનોમંથન કરવામાં આવ્યું હતું.

વણજોઈતું માવઠું સતત બદલાતા વાતાવરણને (Global warming is a global problem) કારણે શિયાળા અને ઉનાળાની ઋતુમાં વણજોઈતું માવઠું થાય છે. જેને કારણે તૈયાર થયેલા પાકની ગુણવત્તા બગડે છે. જેથી ગુણવત્તા વગરના બગડેલા પાકનું માર્કેટ થતું નથી. અને તેના સારા ભાવ ન મળવાને કારણે સીધી અસર ખેડૂતોના આર્થિક નફા પર થાય છે. જેથી સમગ્ર દેશમાંથી આવેલા 150થી વધુ વૈજ્ઞાનિકોએ(150 scientists brainstorm environment) આ સેમિનારમાં મનોમંથન કર્યું હતું. આ બદલાતા વાતાવરણ સામે ટકીને ગુણવત્તા યુક્ત ખેત પૈદાશ કઈ રીતે તૈયાર કરી શકાય. અને વિષમ પરિસ્થિતિમાં જે પાક પોતાની જાતને તેમાં ઢાળી શકે તેવું સંશોધન કરવાની દિશામાં હાલ વૈજ્ઞાનિકો કાર્યરત બન્યા છે.

સેમીનારનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ ફિઝિયોલોજી કૃષિ મહાવિદ્યાલય,નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ઈન્ડિયન સોસાયટી ફોર પ્લાન્ટ ફીઝોલોજી, નવી દિલ્હીના સંયુકત ઉપક્રમે ઇનોવેતિવ એપ્રોચ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અંડર ચેંજીંગ કલાયમેટ જેવા સળગતા વિષય ઉપર સેમીનારનું(agricultural scientists brainstormed navsari) આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.