સિનિયર સીટીઝન કાઉન્સિલ મોરબીનાં પ્રેસિડેન્ટ પ્રવિણભાઈ મહેતા અને સેક્રેટરી BK લહેરૂએ ગુજરાત રાજ્યના રાજ્યપાલને પત્ર લખી જણાવ્યું છે કે, મોરબી જીલ્લો સિરામિક નગરી તરીકે વિશ્વમાં વિખ્યાત છે. જેમાં અંદાજે 5 હજાર જેટલા નાના મોટા ઓદ્યોગિક એકમો આવેલ છે. જેમાં કામદારોની સંખ્યા લાખોમાં છે.
મોરબી જીલ્લામાં એકમાત્ર ફ્રી દુરદર્શન સેવા ૧૯૯૪ થી કાર્યરત હતી, પરંતુ સરકારની ખરાબ નીતિને કારણે આ સેવા 1 વર્ષથી બંધ છે. જેથી લાખો લોકોને પે ચેનલ પર આધાર રાખવો પડે છે આ માટે FM રેડિયો સ્ટેશનને મંજુરી મળેલ છે, પરંતુ કેન્દ્ર સરકારની ઢીલી નીતિને કારણે મોરબીની પ્રજાને આ સુવિધા આજદિન સુધી મળી નથી. જેથી લોકોને FM રેડિયોની સુવિધા માટે અને દુરદર્શન કાર્યરત થાય તેવી સરકાર પાસે લોકો રાહ જોઈ રહ્યા છે. જેથી આ મામલે યોગ્ય કરવા માગ કરી છે.