બાલાસિનોર શહેરના જૈન દેરાસરમાં જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જ્ઞાન પંચમીની ઉજવણી નિમિત્તે જૈન દેરાસર ભવનમાં પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો, તેમજ માતા સરસ્વતીની પ્રતિમા દર્શનાર્થે મુકવામાં આવી હતી.
આ સાથે પાંચ જ્ઞાનની આરાધના કરી 51 ઉપાસના, 51 સાથિયા કરી પાંચ જાતના ધાન્ય મુકવામાં આવ્યા હતા.જેમાં જૈન ભાઈ બહેનોએ જ્ઞાનની આરાધના સાથે માતા સરસ્વતીની પૂજા કરી હતી. આ ઉપરાંત બપોરના સમયે દેવ વંદના અને સાંજે પ્રતિક્રમણ કરાશે.