મહીસાગર: કોરોનોની કામગીરીની સાથોસાથ વર્ષાઋતુ દરમિયાન તેમજ નવા વરસાદી પાણીના કારણે પાણીજન્ય રોગો જેવાં કે ટાઇફોઇડ, હિપેટાઇટીસ, કોલેરા, જેવા રોગોની સામે નાગરિકોને રક્ષણ મળી રહે તેમજ તેઓની તંદુરસ્તી જળવાઇ રહે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર આરોગ્યુ કર્મચારીઓ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા કૂવાઓનું કલોરીનેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-04-well-clorination-at-malavan-villege-script-photo-gj10008_08092020172954_0809f_1599566394_110.jpeg)
જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્યે કેન્દ્ર માલવણ વિસ્તારમાં આવેલા વિવિધ ગામોના પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતાં હોય તેવા 25 કુવાઓનું કલોરીનેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી ગ્રામજનોને પીવાનું શુધ્ધ કલોરીનેશન યુકત પાણી તેમજ પાણી જન્ય રોગો સામે રક્ષણ મળી રહેશે.