ETV Bharat / state

કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું, નદી ગાંડીતુર બની

author img

By

Published : Aug 27, 2019, 1:12 PM IST

મહીસાગરઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર જિલ્લાની જીવાદોરી સાન કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમ માંથી અઢી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડતા મહીનદી ગાંડીતુર બની વહી રહી છે.

kadana dam

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવકને કારણે 16 દરવાજા ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કડાણા ડેમમાંથી 2,56,371 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાઈ રહ્યું છે અને ડેમમાં પાણીની આવક 2,75,110 ક્યુસેક નોંધાઈ રહી છે. કડાણા ડેમના 16 ગેટ માંથી 7 ગેટ 8 ફૂટ, 9 ગેટ 10 ફૂટ ખોલી 2,55,131 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હોવાથી ડેમનું જળ સ્તર 414.3 ફૂટ પર પહોંચ્યું છે.

કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું

કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડતા મહીસાગર નદી પર આવેલ હાડોળ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી હાલ પુલ પરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે અને ગાંધીનગર સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ લુણાવાડા તાલુકાના સલવાળા, ચારણગામ, વરધરી, ઉંદરા, લાલસર અને ધામોદ સહિતના ગામોનો સંપર્ક તાલુકા મથક સાથે ખોરવાયો છે.

Intro:


ડેસ્ક પરથી મંગાવેલ છે.
મહીસાગર -
ઉપરવાસમાંથી થઈ રહેલ ભારે પાણીની આવકને કારણે મહીસાગર જિલ્લાના જીવાદોરી કડાણા ડેમમાં પાણીની
આવકમાં સતત થઈ રહ્યો છે વધારો કડાણા ડેમ માંથી અઢી લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડતા મહીનદી ગાંડીતુર બની છે.
ઉપરવાસમાં વરસાદને કારણે ડેમના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક અતિશય
વધારો થતાં કડાણા ડેમના 16 ગેટ ખોલવામાં આવ્યા છે. મહી નદીમાં પાણી છોડતા મહી નદી બે કાંઠે વહી રહી છે.
Body: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલા ભારે પાણીની આવક ને કારણે કડાણા ડેમના
16 ગેટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે હાલ કડાણા ડેમ માંથી 2,56,371 ક્યુસેક પાણી મહી નદીમાં
છોડાઈ રહ્યું છે અને ડેમમાં પાણીની આવક 2,75,110 ક્યુસેક નોંધાઈ રહી છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાં પાણીની આવક થતાં કડાણા ડેમના 16 ગેટ માંથી 7 ગેટ 8 ફૂટ અને 9 ગેટ 10 ફૂટ ખોલી
255131 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમનું જળ સ્તર 414.3 ફૂટ પર પહોંચ્યું છે. કડાણા ડેમ માંથી
ગુજરાતના અલગ અલગ આઠ જિલ્લામાં પાણી પહોંચાડવામાં આવે છે Conclusion: ડેમ માંથી મહીસાગર નદીમાં પાણી છોડતા મહીસાગર નદી પર આવેલ હાડોળ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે હાલ પુલ પરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે હાડોળ પુલ પાણીમાં ગરકાવ થવાને કારણે મહીસાગર જિલ્લાના મુખ્ય મથકને રાજ્યના પાટનગર ગાંધીનગર સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ લુણાવાડા તાલુકાના સલવાળા, ચારણગામ, વરધરી, ઉંદરા, લાલસર અને ધામોદ સહિતના ગામોનો સંપર્ક તાલુકા મથક સાથે ખોરવાયો છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.