ETV Bharat / state

રણોત્સવમાં પ્રવાસીઓની સાવચેતી માટે ચુસ્ત કોરોના ગાઇડલાઈનનું પાલન

author img

By

Published : Dec 30, 2022, 3:20 PM IST

corona guide line in Rannutsav 2022 23
corona guide line in Rannutsav 2022 23

રણોત્સવમાં પણ કોરોના ગાઇડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું (corona guide line in Rannutsav 2022 23) છે. વિશ્વના પ્રવાસીઓને આકર્ષતા રણોત્સવનો (thirty first celebration Ran nutsav in kutch) 26 ઓક્ટોબરથી 20મી ફેબ્રુઆરી સુધી આયોજન ક૨વામાં આવ્યું છે. દર વર્ષે અનેક પ્રવાસીઓ રણોત્સવની (kutch rann utsav) મુલાકાતે આવે છે ત્યારે આ વર્ષે છેલ્લાં 2-3 વર્ષો કરતા સારા પ્રમાણમાં ટેન્ટ સિટીમાં બુકિંગ થયું છે.

Rannutsav 2022-23: ચુસ્ત કોરોના ગાઇડલાઈનનું પાલન

કચ્છ: ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટ લઈને વિશ્વભરમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું (corona guide line in Rannutsav 2022 23) છે. આ રણોત્સવમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ટેન્ટ સિટીમાં રોકાણ પણ કરી રહ્યા (Rann Utsav The Tent City) છે. ત્યારે રણોત્સવમાં પણ કોરોના ગાઇડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું (corona guide line in Rannutsav 2022 23) છે.

કચ્છમાં રણોત્સવ
કચ્છમાં રણોત્સવ

ટેન્ટ સિટીમાં બુકિંગ ફૂલ: રણોત્સવમાં ગત વર્ષે કોરોના મહામારીના કારણે લગાવેલ લોકડાઉન થકી આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટયા હતા અને આ વર્ષે પણ પ્રવાસીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ ઘટવા પાછળનું મુખ્ય કારણ ચીનમાં ફેલાયેલ કોરોનાનું નવો વેરીયન્ટ પણ હોઇ શકે છે. આ વર્ષે ભારતીય પ્રવાસીઓ મોટા પ્રમાણમાં ઉમટી રહ્યા છે.તેમજ ટેન્ટ સિટીમાં ન્યુ યર સેલિબ્રેશન, ફૂલ મૂન નાઈટ, ઉતરાયણ વગેરે માટે પણ સારા પ્રમાણમાં બુકિંગ થયું છે.

રણોત્સવમાં પણ કોરોના ગાઇડલાઈનનું પાલન
રણોત્સવમાં પણ કોરોના ગાઇડલાઈનનું પાલન

તમામ ગાઈડલાઈનનું પાલન: Lallooji And Sonsના PRO અમિત ગુપ્તાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,રણોત્સવ છે તે આમ તો ખુલ્લા આકાશ નીચે યોજવામાં આવતો હોય છે અને ખૂબ વિશાળ સ્થળે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. ટેન્ટ સિટીમાં ટેન્ટ વચ્ચે પણ ડિસ્ટન્સ રહેતું હોય છે તેમજ રણમાં થતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ કોરોનાની ગાઈડ લાઈનનું મેનેજમેન્ટ દ્વારા પાલન કરવામાં આવતું હોય છે.ઉપરાંત મેનેજમેન્ટ સ્ટાફ, વહીવટી તંત્ર, પ્રવાસીઓ તેમજ અન્ય મુલાકાતીઓ દ્વારા પણ કોરોનાની ગાઇડલાઈનને લઈને પૂરતો સપોર્ટ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો 'અચો અસાજે કચ્છ', 'રણ કે રંગ' થીમ પર રણોત્સવનું આયોજન

સંક્રમણ ન ફેલાય તેની તકેદારી: કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે રણોત્સવમાં પ્રવેશ કરતા સમયે દરેક પ્રવાસીઓનું થર્મલ ગન વડે તાપમાન માપવામાં આવે છે તથા તેમને સેનેટાઈઝ કરવામાં આવે છે. ટેન્ટ સિટીમાં આવેલ દરેક ટેન્ટને નિયમિત સેનેટાઈઝ કરવામાં આવે છે, જે કોઈ પણ પ્રવાસીઓ ટેન્ટ સિટીમાં રોકાણ માટે આવે છે તેમને ચેક ઇન સમયે જ માસ્ક અને સેનેટાઈઝરની કીટ પણ આપવામાં આવે છે. પ્રવાસીઓના સામાનને પણ ચેક ઇન સમયે સેનેટાઈઝ કરવામાં આવે છે, ડાઇનિંગ એરિયા, ટ્રાવેલિંગ માટેની કાર,બેટરી વાળી ગાડીઓ વગેરેને પણ સેનેટાઈઝ કરવામાં આવે છે.

આ પણ વાંચો સુરતમાં ઉર્દૂ પ્રાથમિક શાળા અને સિવિલના નર્સિંગ સ્ટાફે સ્વ. હીરાબા મોદીને આપી શ્રદ્ધાંજલિ

વિદેશી પ્રવાસીઓ ઓછા: ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોના મહામારીના નવા વેરીયન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા દેશમાં અને ગુજરાતમાં પણ વધારે પ્રમાણમાં હતી. તે સમયે નવા ઓમિક્રોન વેરીયન્ટના સંક્રમણને અટકાવવા માટે ચુસ્ત નિયમો સાથેની અમલવારી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ખાસ કરીને વિદેશથી આવતા લોકોની તમામ નોંધ રાખવામાં આવતી હતી. ઓમિક્રોનના કારણે ગત વર્ષે કચ્છના રણોત્સવમાં દર વર્ષની સરખામણીએ વિદેશી પ્રવાસીઓ ઓછા પ્રમાણમાં મુલાકાતે આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.