ETV Bharat / state

Mundra heroin Case: અદાણી પોર્ટના વર્તનથી NDPS કોર્ટ નારાજ

author img

By

Published : Oct 2, 2021, 1:40 PM IST

મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 21,000 કરોડના હેરોઈન પ્રકરણમાં ભુજની NDPS કોર્ટે તપાસ એજન્સીને સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે, શું અદાણી પોર્ટ કાયદાથી પણ ઉપર છે? આ ઉપરાંત કોર્ટ દ્વારા અગાઉ પણ એજન્સીને આ પ્રકરણમાં મુન્દ્રા પોર્ટને કોઈ લાભ મળે છે કે નહીં, તે તપાસવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત પર કોર્ટે DRI પણ અન્ય ટકોરો પણ કરી હતી.

Mundra heroin chapter : અદાણી પોર્ટના રૂખથી કોર્ટની નારાજગી
Mundra heroin chapter : અદાણી પોર્ટના રૂખથી કોર્ટની નારાજગી

  • NDPS કોર્ટે DRIને કરી ટકોર
  • સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરવામાં આવી
  • ધટનાના 11 દિવસો વીતી ચૂક્યા છે. છતાં, ચિત્ર સ્પષ્ટ નથી થયું

મુંદ્રા : મુન્દ્રા પોર્ટના આ હેરાઇન પ્રકરણમાં NDPS કોર્ટે DRI ને પૂછ્યું હતું કે, પોર્ટ પાસેથી કોઈ માહિતી મળી ત્યારે DRI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોર્ટ નું નિવેદન લેવામાં આવ્યું છે જેમાં તેઓ legal opinion લઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે NDPS કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે શું legal opinion? શું તેઓ કાયદાથી ઉપર છે? કાયદાથી ઉપર કોઈ નથી. આ દેશની સુરક્ષાને લઈને ગંભીર બાબત છે.

NDPS કોર્ટે DRIને પૂછ્યું અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીને કઈ રીતે પકડશો?

આ ઉપરાંત NDPS કોર્ટે DRIને પૂછ્યું હતું કે, અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીને કઈ રીતે પકડશો. અને શું એજન્સી દ્વારા ભારતીય દૂતાવાસ મારફતે અફઘાનિસ્તાન નો સંપર્ક કરવામાં આવ્યો છે? આ ધટનાના 11 દિવસો વીતી ચૂક્યા છે. છતાં, પણ આ કન્ટેનર અફઘાનિસ્તાનથી કોને મોકલ્યા તેના અંગે એજન્સી તપાસ નથી કરી શકી તેવું કોર્ટે જણાવ્યું હતું.

આ કન્સાઇનમેન્ટ કોના સુધી પહોંચાડવાનું હતું તે કોર્ટ જાણવા ઈચ્છે છે.

DRI દ્વારા ઈમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલી ના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટ પાસેથી વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પરંતુ, કોર્ટે એક દિવસના જ વધુ રિમાન્ડ આપ્યા હતા. તથા નારાજગી વ્યક્ત કરતા કોર્ટે DRIને પૂછ્યું હતું કે, આ કન્સાઇનમેન્ટ ભારતમાં ઘુસાડવામાં આવ્યું તે કોના સુધી પહોંચાડવાનું હતું તે કોર્ટ જાણવા ઈચ્છે છે.

દંપતીને વિદેશથી સૂચના મળવાની હતી તે પહેલાં જ કન્ટેનરને ઝડપવામાં આવ્યો

DRI દ્વારા કોર્ટ ને જણાવવામાં આવ્યું હતું કે, એ હજુ પણ તપાસનો વિષય છે કે, ઈમ્પોર્ટર દંપતીને વિદેશથી સુચના મળવાની હતી કે, આ કન્ટેનર ક્યાં મોકલવાનું છે. પરંતુ, તે પહેલાં જ આ કન્ટેનરને ઝડપવામાં આવ્યો હતો. તો આગામી સમયમાં હજુ પણ વધારે પૂછપરછ દરમિયાન વધુ ચિત્ર સ્પષ્ટ થશે.

સરકારી વકીલે મીડિયા સમક્ષ વધુ માહિતી આપવા બાબતે અસમર્થતા વ્યક્ત કરી

આ સમગ્ર પ્રકરણ અંગે વાતચીત કરતાં સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ETV Bharat સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપી દંપતીના રિમાન્ડ પૂર્ણ થતાં અન્ય 4 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. તો, કોર્ટ દ્વારા એક જ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એટલું જ જણાવવામાં આવ્યું હતું. તથા આ પ્રકરણ ગંભીર હોતા વધારે માહિતી આપવા માટે અસમર્થતા દર્શાવી હતી.

આ પણ વાંચો : હાઇકોર્ટની તંત્રને સ્પષ્ટ ચેતાવણી: ગિરનાર અભ્યારણમાં ગેરકાયદે ખનન અને બ્લાસ્ટની બીજી વખત ફરિયાદ આવવી ન જોઈએ

આ પણ વાંચો : જલ જીવન મિશન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ, વડાપ્રધાન મોદીએ કહ્યું - 5 કરોડ ઘર પાણીના કનેક્શનથી જોડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.