ETV Bharat / state

Kutch Earthquake News : ફરી આજે દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો, કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 8:59 PM IST

Kutch Earthquake News : ફરી આજે દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો, કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત
Kutch Earthquake News : ફરી આજે દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો, કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત

કચ્છમાં હજુ ગઇકાલે દુધઇ પાસે 2.08ની તીવ્રતાનો હળવો ધરતીકંપ અનુભવાયો હતો. ત્યાં આ વિસ્તારમાં આજે સાંજના 7:52 કલાકના શુમારે 4.01ની થોડી વધુ કહેવાય એવી માત્રામાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ટૂંકાગાળામાં વધુ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

ભુજ : સરહદી જિલ્લા કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે.જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પૂર્વ કચ્છના દુધઈ નજીક 4.1 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો જો કે કોઈ નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. સાંજના 7:52 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડ વિસ્તારની ફોલ્ટ લાઈન પર નાના મોટા આફટરશોક નોંધાઈ રહ્યા છે.ત્યારે આંચકાનો સિલસિલો આજદિન સુધી યથાવત રહ્યો છે. આજે સાંજના સમયે 7:52 કલાકે 4.1ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, દુધઈ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો દુધઈથી 29 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય થયેલી ફોલ્ટલાઈન પર નોંધાતા હોય છે.

દુધઈ નજીક આવેલી ફોલ્ટ લાઈન પર આંચકાઓ : પૂર્વ કચ્છના રણકાંધી વિસ્તાર એટલે કે વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.8.થી 4.5 સુધીની તીવ્રતાના આંચકાઓ નોંધાતા આવી છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંચકાઓ અનુભવાતા હોય છે જ્યારે પશ્ચિમ કચ્છમાં ભાગ્યે જ આંચકાઓ હવે નોંધાઈ રહ્યા છે. આજે સાંજે ફરી વાગડના રણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ગઈ કાલે પણ આ વિસ્તારમાં જ 2.8 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય : કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની સક્રિય થઈ છે અને તેની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

  1. Kutch Earthquake News : કચ્છની ધરા ધ્રુજી, દુધઈ નજીક કેટલી તીવ્રતાનો આંચકો નોંધાયો જૂઓ
  2. Earthquake Tremors in Amreli : વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય જીવનના લોકોમાં ભયનો માહોલ
  3. Earthquake at Kutch: 1819ના એ ભૂકંપે કચ્છને કર્યું'તું ખેદાનમેદાન, કચ્છી માડુઓએ કરવી પડી હતી હિજરત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.