ETV Bharat / state

Kutch Earthquake Anniversary 2022 : 21 વર્ષે પણ ભૂકંપના ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર, કોણ કરે છે જાણો

author img

By

Published : Jan 26, 2022, 5:04 AM IST

કચ્છ ભૂકંપમાં ઈજા પામેલા 80 લોકોની આજે પણ સારવાર ચાલી રહી છે. ભૂકંપની 21મી વરસીએ પણ 80 દર્દીઓની (Kutch Earthquake Anniversary 2022) આજે પણ કચ્છમાં સારવાર ચાલી રહી છે. વધુ વિગત આ અહેવાલમાં.

Kutch Earthquake Anniversary 2022 : 21 વર્ષેય ભૂકંપના ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, કોણ કરે છે જાણો
Kutch Earthquake Anniversary 2022 : 21 વર્ષેય ભૂકંપના ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, કોણ કરે છે જાણો

કચ્છઃ 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8 : 40 મિનિટે આવેલા એ ગોઝારા ભૂકંપની આજે કચ્છ 21મી વરસી (Kutch Earthquake Anniversary 2022 ) વાળી રહ્યું છે. આ ગોઝારા ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદે આવેલા બિદડા સર્વોદય ટ્રસ્ટ આજે પણ ભૂકંપગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. એ ધરતીકંપમાં એક અહેવાલ પ્રમાણે કુલ 20,005 મૃત્યુ અને 1,66,812 ઈજાગ્રસ્ત થયાં હતાં. આમાં 20,717 લોકોને ગંભીર ઇજાઓ (Injured in the 2001 Kutch earthquake) થઇ હતી. કચ્છ જિલ્લામાં 92 ટકાથી વધુ મૃત્યુ (Major earthquake in Gujarat) અને 82 ટકા ઈજાઓ નોંધાઈ હતી.

26 જાન્યુઆરીની સવારની એ ઘટના

એ દિવસે સવારે સાડા આઠ વાગ્યા પછી ધરતીના પેટાળમાં હલચલ થઈને કચ્છમાં ધરતી ધ્રુજી ઉઠી અને મોટી મોટી બિલ્ડીંગો , મકાન , કચેરીઓ ધડાધડ પત્તાના મહેલની જેમ પડી ગયાં. હજારો માણસો કાટમાળમાં દટાયાં,સેંકડો લોકો મોતને ભેટ્યાં. અઠવાડિયાથી વધુ સમય સુધી કાટમાળમાંથી મૃતદેહો બહાર નીકળી શક્યાં ન હતાં. આ સમયે ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર (Injured in the 2001 Kutch earthquake)પણ મોટો પડકાર હતો.

21 વર્ષે પણ ભૂકંપના ઈજાગ્રસ્તોની ચાલી રહી છે સારવાર
લોકોની વહારે આવ્યું બિદડા સર્વોદય ટ્રસ્ટ

2001ના ભૂકંપમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે 1972માં સ્થપાયેલું બિદડા સર્વોદય ટ્રસ્ટ આગળ આવ્યું. ભૂકંપના બે કલાકના સમયગાળામાં જ 600થી પણ વધારે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી હતી. આ ભૂકંપમાં અનેક લોકોએ પોતાનો કમરથી નીચેનો ભાગ ગુમાવ્યો તો અનેક લોકોએ પોતાની કરોડરજ્જુ ગુમાવી. અનેક લોકોએ પોતાનો ડાબો કે જમણો પગ ગુમાવ્યો. આવા સમયે લોકોની માનસિક સ્થિતિ પણ લથડી ગઈ હતી અને ઉપરથી જીવનભર તકલીફ વેઠવાનો સમય પણ આવ્યો હતો. ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે જ્યા રિહેબીલીટેશન સેન્ટર દ્વારા લોકોને પૂરતું મનોબળ પૂરું પાડીને આવા ભૂકંપગ્રસ્ત લોકોની (Injured in the 2001 Kutch earthquake)સારવાર કરવામાં આવી હતી.

આજે પણ થાય છે 80 પેરાપ્લેજીક દર્દીઓની નિ:શુલ્ક સારવાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ભૂકંપના 6 મહિના સુધી ભૂકંપગ્રસ્ત દર્દીઓની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. કુલ 30,000 જેટલાં દર્દીઓને બિદડા સર્વોદય ટ્રસ્ટે એ સમયે સારવાર (Injured in the 2001 Kutch earthquake)આપી હતી. જેમાં 120થી પણ વધુ પેરાપ્લેજીક દર્દીઓ એટલે કે જેમની કરોડરજ્જુ તૂટી હોય અથવા તો કમરથી નીચેના ભાગમાં સંપૂર્ણપણે ઇજા થઇ હોય, જે દર્દીઓએ પગ ગુમાવ્યા હોય તેવા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તો આજના દિવસે (Kutch Earthquake Anniversary 2022 ) પણ અહીં ભૂકંપ સમયના ઈજાગ્રસ્ત 80 જેટલા પેરાપ્લેજીક દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. પેરાપ્લેજીક સિવાયના પણ દર્દીઓ કે જેઓ ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયાંં હતાં તેમની સારવાર પણ નિ:શુલ્કપણે કરવામાં આવી રહી છે.

ટ્ર્સ્ટના રીહેબિલિટેશન સેન્ટરમાં અસંખ્ય દર્દીઓ સારવાર પામે છે
ટ્ર્સ્ટના રીહેબિલિટેશન સેન્ટરમાં અસંખ્ય દર્દીઓ સારવાર પામે છે

26મી જાન્યુઆરી 2022ના રોજ ભૂકંપના 20 વર્ષના ફોલોઅપ કેમ્પનું આયોજન

26મી જાન્યુઆરી 2022ના રોજ ભૂકંપના 21 વર્ષના ફોલોઅપ કેમ્પનું આયોજન (Kutch Earthquake Anniversary 2022 ) પણ થયું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં 26મી જાન્યુઆરી, 2022ના (21st Anniversary of kutch Earthquake) રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટ, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટયુટ અમદાવાદ તથા સિવિલ સર્જન ભુજના સંયુક્ત પ્રયાસથી ભૂકંપના 21 વર્ષના ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂકંપના સર્વ અસરગ્રસ્તો (Injured in the 2001 Kutch earthquake) જેવા કે પેરાપ્લેજીક તથા હાથપગ ગુમાવેલાને કેમ્પનો લાભ લેવા માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 2001ના ભૂકંપથી કચ્છમાં 105 લોકોને પેરાપ્લેજીયા રોગ થયો, અપૂરતા વળતર સહિતની સમસ્યાઓને લઈને રજૂઆત

અનેક નિષ્ણાતો દ્વારા દર્દીઓનું ફોલોઅપ

ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. રાજેશ સોલંકી, જયા - રીહેબના ડાયરેક્ટર તેમજ સૈફી, જ્યુપિટર મેક્સ નાણાવટી હોસ્પિટલના કન્સલ્ટીંગ ડૉક્ટર મુકેશ દોશી, મેક્સ-નાણાવટી હોસ્પિટલના કન્સલ્ટીંગ ડૉક્ટર અલી ઈરાની, તથા જયા-રીહેબના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડૉ. વીરેન્દ્ર શાંડિલ્યના તથા ગર્વમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વર્તમાન સફારી ટીમ અને ભૂકંપ દરમ્યાનની તત્કાલીન સફારી ટીમ દ્વારા દર્દીઓનું ફોલો અપ (Kutch Earthquake Anniversary 2022 )કરવામાં આવશે.

બિદડા ટ્ર્સ્ટને અનેક એવોર્ડ પણ મળ્યાં છે
બિદડા ટ્ર્સ્ટને અનેક એવોર્ડ પણ મળ્યાં છે

રીહેબ સેન્ટરમાં અદ્યતન સાધનો તથા સુસજ્જ કર્મચારીઓ

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે આવેલ જ્યા રીહેબીલીટેશન ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટર 50 બેડ ધરાવતું સરળ અને દર્દીઓ માટે વિના અવરોધ પ્રવેશવાની વ્યવસ્થાવાળું રીહેબ સેન્ટર છે. જયા રીહેબ સેન્ટર અધતન સાધનો તથા ગુણવંતા અને અનુભવ સિદ્ધ કર્મચારીઓથી સુસજ્જ છે. આ સેન્ટરમાં દરેક પ્રકારની વિકલાંગતાની પ્રાથમિક સારવાર, તેનો બચાવ તથા તેના નિભાવ સાથે સંકળાયેલી છે. આજના દિવસે (Kutch Earthquake Anniversary 2022 ) પણ 2001ના ભૂકંપગ્રસ્તોને વિનામૂલ્યે પુનઃવર્સનની સેવાઓ (Kutch Earthquake Anniversary 2022) અહીં આપવામાં આવે છે.

અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા

જ્યા રીહેબીલીટેશન ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટરને સામાજીક સુરક્ષા તથા અધિકારિતા મંત્રાલય દ્વારા ભારત સરકાર તરફથી ભારતના રાષ્ટ્રપતિના હસ્તે વર્ષ 2012માં વિકલાંગતા માટે સર્વશ્રેષ્ઠ કામગરી માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત 2013માં જૈના આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સૌથી વધારે પેરાપ્લેજીક દર્દીઓની સારવાર માટે બિદડા સર્વોદય ટ્રસ્ટનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Kutch Rehabilitation Scam: દુધઈમાં પુનર્વસન કામગીરીમાં સંસ્થા દ્વારા ગેરરીતિ, તપાસની માંગ સાથે પૂર્વ વિપક્ષી નેતાએ આપ્યું આવેદનપત્ર

પેરાપ્લેજીક દર્દીઓના જીવનના અધૂરાપણાને અહીં દૂર કરવામાં આવી રહ્યું છે

ભૂકંપમાં ઘાયલ થયેલા લોકો આજ સુધી જ્યા રીહેબીલીટેશન ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટરમાં ઉપચાર કરાવે છે. જરૂરીયાત મુજબ આર્ટિફિશિયલ તથા અપ્રાકૃતિક અંગ બનાવીને તેમના જીવનના અધૂરાપણાને દૂર કરવામાં (21st Anniversary of kutch Earthquake) આવી રહ્યું છે. અહીંના જુદાજુદા વિભાગોના માધ્યમથી બસ કે ટ્રેનમાં કઈ રીતે સફર કરવું વગેરેની ટ્રેનિંગ પણ અહીં આપવામાં આવી રહી છે.

અનેક પ્રકારના વિભાગો દ્વારા દર્દીઓની કરાય છે સારવાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે અનેક વિભાગો કાર્યરત છે. ફિઝીયોથેરાપી વિભાગ, ઓક્યુપેશનલથેરાપી વિભાગ, પ્રોસ્થેટીક વિભાગ,ઓર્થોટીક વિભાગ, સ્પીચ અને ઓડીયોલોજી વિભાગ, વ્યવસાયિક માર્ગદર્શન અને તાલીમ વિભાગ, તબીબી સામાજિક કાર્યકર,માનસિક વિજ્ઞાન વિભાગ, ઇન્ડોર અને આઉટડોર સુવિધા અલગ અલગ વર્ગ સાથે તથા કોન્ફરન્સ ખંડની સુવિધા (21st Anniversary of kutch Earthquake) પણ ઉપલબ્ધ છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતેના જ્યા રીહેબીલીટેશન ઈન્સ્ટીટ્યુટ અને રીસર્ચ સેન્ટર ખાતે દર વર્ષે 60,000થી 70,000 દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.