ETV Bharat / state

BMCB બેન્ક આત્મનિર્ભર લોન યોજનાનો સત્વરે લાભ અપાશે, જૂનના પ્રથમ સપ્તાહથી લોન મંજૂર કરવા આયોજન

author img

By

Published : May 26, 2020, 8:43 PM IST

કોરોના મહામારી વચ્ચે ધંધાને સ્થિર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર લોન શરૂ કરાયું છે. જેમાં ભૂજ મર્કેન્ટાઈલ બેંક દ્વારા આ યોજના હેઠળ લાભાર્થીઓને સત્વરે લાભ આપવા માટે કેમ્પ કરી બેંક દ્વારા પોતાની તમામ બ્રાંચમાં અંદાજે 700થી વધુ ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યા છે.

self-sufficient loan scheme
BMCB બેન્ક આત્મનિર્ભર લોન યોજના

કચ્છઃ ભુજ મર્કેન્ટાઈલ બેન્ક અત્યારે ફિક્સ ડિપોઝિટ પર મહત્તમ 8.25 ટકા જેટલો વ્યાજ આપી રહી છે, આ સાથે રાજ્ય સરકારની યોજનામાં 8 ટકા વ્યાજમા આત્મનિર્ભર લોન સહકાર કરવા માટે કામગીરી શરૂકરી દેવાઈ છે. જેમાં 6 ટકા રાજ્ય સરકારની સહાય છે. આમ લોકોને ફક્ત 2 ટકા વાષિક વ્યાજ લોન પર ચૂકવવું પડશે.

BMCB બેન્ક આત્મનિર્ભર લોન યોજનાનો સત્વરે લાભ અપાશે
બેન્કના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબીયાએ જણાવ્યું હતું કે, બેન્ક ખરેખર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવી રહી છે. બેન્ક દ્વારા તારીખ 23, 24, 25ના જાહેર રજા હોવા છતાં દરેક બ્રાન્ચમાં આ સહાય યોજનાના કામ માટે કર્મચારીઓ ફરજ પર હાજર રહ્યા છે. સાથે ચેરમેન રશિમ પંડયાએ જણાવ્યું કે, જૂનના પહેલા અઠવાડિયાથી જ લોન મંજૂર કરીને ચૂકવણું પણ કરાશે તેવી ધારણા છે. આત્મનિર્ભર લોન સાહયની અંતિમ તારીખ આમ તો 31 ઓગસ્ટ છે.

પરંતુ હાલની પરિસ્થિતિમાં બેન્કના ધિરાણ પોલીસી અને બેન્ક ટાર્ગેટને જોતા બેન્કે નક્કી કરેલું ટાર્ગેટ તરત જ પૂર્ણ થઈ જશે. જેથી વહેલા તે પહેલા ના ધોરણે તરત અરજી પહોંચાડવા જનરલ મેનેજર સીએ મીત મોરબિયાએ જણાવ્યું હતું.

સભાસદોના માર્ગદર્શન માટે ચાર્ટ એકાઉન્ટની રુએ સ્મિત મોરબિયાએ તૈયાર કરેલી પ્રશ્નોત્તરી બેન્ક નોટિસ બોર્ડ પર વાંચવા મળશે. બેંક દ્વારા લોન સહાયના ખાતા NPA ન થાય તેની ખાસ કાળજી રખાશે. લોન મંજૂરી કરતી વખતે રી પેમેન્ટ કેપેસિટી અને લોન વસૂલાત માટેના એશિયનને પ્રાધાન્ય પાસે કેમ બેંક દ્વારા પત્રકારોને માહિતી આપવા સમયે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.