ETV Bharat / state

કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત, પૂર્વ કચ્છમાં 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો

author img

By

Published : Oct 18, 2021, 7:21 AM IST

કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત
કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત

ગત રાત્રીએ પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. રાત્રે 9:56 વાગ્યે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર નોંધાયું છે.

  • કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • ગત રાત્રે 9:56 વાગ્યે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • ભચાઉથી 17 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ

કચ્છ: 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. ગત રાત્રીના 9:57 કલાકે 3.4ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથકમાં આવેલા ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.

આ પણ વાંચો- શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

3.4ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી

વહેલી સવારના 9:56 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતાના નોંધાયેલ આંચકો ભચાઉથી 17 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.4ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.