જૂનાગઢઃ જિલ્લાની ગીર તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ ધાર્મિક મહત્વ ધરાવે છે. એમ કહેવાય છે કે, કોઇ પણ ધાર્મિક યાત્રાએ ગયા બાદ જો યાત્રા પૂર્ણ કરતાં આ સમયે દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો યાત્રા પૂર્ણ ગણાતી નથી તો બીજી તરફ આજ દામોદર કુંડમાં નરસિંહ મહેતા ભગવાન દામોદરજીના દર્શન તેમજ નિત્યક્રમે સ્નાન માટે આવતા હતા. અહીં શિવરાત્રિના પાવન પર્વે તેમજ પરિક્રમાના સમય દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરીને ભવભવનું ભાથું બાંધતા હોય છે.
ડિસ્કવર ઈન્ડિયાઃ ધાર્મિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે દામોદર કુંડ
જૂનાગઢઃ જિલ્લાની ગીર તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ ધાર્મિક મહત્વ ધરાવે છે. એમ કહેવાય છે કે, કોઇ પણ ધાર્મિક યાત્રાએ ગયા બાદ જો યાત્રા પૂર્ણ કરતાં આ સમયે દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો યાત્રા પૂર્ણ ગણાતી નથી તો બીજી તરફ આજ દામોદર કુંડમાં નરસિંહ મહેતા ભગવાન દામોદરજીના દર્શન તેમજ નિત્યક્રમે સ્નાન માટે આવતા હતા. અહીં શિવરાત્રિના પાવન પર્વે તેમજ પરિક્રમાના સમય દરમિયાન લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરીને ભવભવનું ભાથું બાંધતા હોય છે.