ETV Bharat / state

વિસાવદરના નાની મોણપરીમાં મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

author img

By

Published : Feb 26, 2020, 9:59 AM IST

જૂનાગઢના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના રામજી મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. પોલીસે પૂજારીના મૃતદેહ મામલે તપાસ હાથ ધરી છે.

visavadar
જૂનાગઢ

જૂનાગઢ: વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના રામજી મંદિરના પૂજારીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પૂજારીના મૃતદેહ મામલે તપાસ હાથ ધરી છે. પૂજારીએ પોતે સળગી ગયો છે કે, તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિસાવદરના નાની મોણપરી ગામમાંથી મંદિરના પૂજારીનો મૃતદેહ મળ્યો

છેલ્લા કેટલાક સમયથી રામજી મંદિરમાં રતિલાલ નિમાવત પૂજારી તરીકે કામ કરતા હતા. બુધવારે પૂજારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. અનેક તર્ક-વિતર્કો પણ ગામમાં જોવા મળી રહ્યાં છે. ગામના સીમાડામાં સળગેલી હાલતમાં પૂજારીના મૃતહેદને મળ્યો હતો. જેથી કોઈ ઈશમો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા પણ પ્રબળ બની રહી છે. વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.