ETV Bharat / state

ગિરનાર પર્વત પર માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર

author img

By

Published : Jan 5, 2023, 10:31 PM IST

પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે શક્તિ સ્વરૂપ જગતજનની માં જગદંબાનો (maa amba pragatya mahotsav) પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. જેને લઈને જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા માં અંબાજી મંદિરમાં માતાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતી. (junagadh Girnar maa amba pragatya mahotsav)

ગિરનાર પર્વત પર માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર
ગિરનાર પર્વત પર માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ભક્તોનું ઘોડાપૂર

ગિરનાર પર્વત પર માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી

જૂનાગઢ : પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે શક્તિ સ્વરૂપે જગતજનની માં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી (maa amba pragatya mahotsav) કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માતા પાર્વતીના અંશરૂપે બાવન ધાર્મિક સ્થળ પર શક્તિપીઠના રૂપમા માં અંબા પૂજાય રહ્યા છે, ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા માં અંબાજી મંદિરમાં માતાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે.(junagadh Girnar maa amba pragatya mahotsav)

પોષી પૂનમ એટલે કે માં અંબાનો પ્રાગટ્ય દિન પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે શક્તિ સ્વરૂપ માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. શિવપુરાણ અને ધાર્મિક માન્યતા અનુસાર મહાદેવ અને માતા પાર્વતીનો જન્મ થયો નથી, પરંતુ તેમનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે, ત્યારે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીના અંશ સમાન શક્તિ સ્વરૂપા જગતજનની માં જગદંબા અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં પણ માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો માતા અંબાના દરબારમાં આવીને માં અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. (Amba Mata mahotsav on Girnar parvat)

આ પણ વાંચો માઁ તારો ગરબો ગગનમાં ગાજે, ગિરનાર પર્વત પર બિરાજતા માઁ અંબાના કરો દર્શન

પ્રાગટ્ય મહોત્સવ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી માં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવ સાથે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. જેનો શિવ પુરાણમાં વિશેષ ઉલ્લેખ થયો છે. પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીના પિતા દક્ષને ત્યાં યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં દેવાધીદેવ મહાદેવને નિમંત્રણ નહીં મળતા મહાદેવનું થયેલું ઘોર અપમાન માતા પાર્વતી દ્વારા સહન નહીં થતાં તેમણે યજ્ઞ કુંડમાં પોતાની જાતને આહુતિ આપી હતી. જે જોઈને મહાદેવે માતા પાર્વતીના (maa amba pragatya day) દેહને ખભા પર મૂકીને તાંડવ શરૂ કર્યુ હતું, ત્યારે શ્રી હરિ વિષ્ણુએ માતા પાર્વતીના દેહના તેમના ચક્ર વડે 52 ટુકડાઓ કર્યા અને આ ટુકડા જે જગ્યા પર પડ્યા ત્યાં માતા પાર્વતીના અંશ સમાન શક્તિ સ્વરૂપે માં જગદંબાના શક્તિપીઠની સ્થાપના થઈ હતી, ત્યારે ગિરનાર પર્વત પર માતા પાર્વતીના ઉદરનો ભાગ પડેલો હોવાને કારણે અહીં માં જગદંબા ઉદયન શક્તિપીઠ તરીકે દર્શન આપી રહ્યા છે. (Junagadh Ambaji Mata temple)

આ પણ વાંચો વલસાડમાં 51 શક્તિપીઠ મંદિર માટે યોજાયો લોકડાયરો, કલાકારોએ પઠાણ ફિલ્મ વિવાદ અંગે બોલિવુડને આપી દીધી સલાહ

આજના દિવસે માતાના દર્શનનો છે વિશેષ મહિમા દેવોના શક્તિપુંજ તરીકે દેવી શક્તિ માં અંબાના રૂપે આજે સમગ્ર જગત પર પ્રાગટ્ય થયા હતા. માં અંબાના પ્રાગટ્ય મહોત્સવ દિવસે તેમના દર્શન કરવાનો પણ વિશેષ ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આજના દિવસે પહેલા પહોરમાં માતાજીને બાલ્ય મધ્યાન સમયે યુવા અને સાંજના સમયે વૃદ્ધાના વસ્ત્રોનો શણગાર કરાય છે. વધુમાં આજના દિવસે માં અંબાને અન્નકૂટ અને રાજભોગ પણ ધરવામાં આવે છે. જેના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તોનું ઘોડાપૂર આવી રહ્યું છે. તો માતાજીના પ્રાગટ્ય દિવસે માતાના ગરબાના ધાર્મિક આયોજનનું પણ વિશેષ મહત્વ સનાતન ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ આજે જગતજનની માં જગદંબાના ચરણોમાં અન્નકૂટ રાજભોગ અને ગરબાનું આયોજન કરીને વિશેષ સ્વરૂપે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સમગ્ર દિવસભર કરવામાં આવશે. (Girnar parvat in Junagadh)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.