ETV Bharat / state

Holika Dahan in Girnar : ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા સાથે આજે ગિરનાર પર્વત પર હોલિકાનું દહન

author img

By

Published : Mar 17, 2022, 1:02 PM IST

જૂનાગઢ ગિરનાર પર્વત પર હોલિકાનું દહન (Holika Dahan in Girnar) આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા અનુસાર સાંજના શુભ (Holika Dahan in Junagadh) ચોઘડિયે કરવામાં આવશે. તેને લઈને વિવિધ સામગ્રીની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

Holika Dahan in Girnar : ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા સાથે આજે ગિરનાર પર્વત પર હોલિકાનું દહન
Holika Dahan in Girnar : ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા સાથે આજે ગિરનાર પર્વત પર હોલિકાનું દહન

જૂનાગઢ : ફાગણ સુદ પુનમ એટલે કે, હોલિકા દહનનો ધાર્મિક તહેવાર આસ્થા, વિશ્વાસ અને પૂજા સાથે મનાવવામાં આવે છે. ગિરનાર પર્વત પર હોલિકા દહનના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે તે પરંપરા મુજબ આ વર્ષે ગિરનાર પર્વત પર બિરાજતા (Holika at Temple of Girnar Ambaji) અંબાજી મંદિર સમીપે ધાર્મિક આસ્થા અને વૈદિક પરંપરા મુજબ હોલિકાનું દહન કરવામાં આવશે.

ગિરનાર પર્વત સહિત જૂનાગઢમાં 250 કરતાં વધુ સ્થળો પર હોલીકા દહનો કાર્યક્રમ

આ પણ વાંચો : Holi Festival 2022 : હોળી અને ફુલડોલ ઉત્સવના કારણે દ્વારકાધીશના ક્યારે કરી શકશો દર્શન, જાણો

હોલિકા દહનનું મહત્વ - ગિરનાર પર્વત પર હોલિકા દહન કર્યા બાદ ધાર્મિક માન્યતા અને પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢ શહેર અને જિલ્લામાં અન્ય સ્થળો પર હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આદિ-અનાદિ કાળથી ગિરનાર પર્વત પર બિરાજતા (Religious Significance of Holika Dahan) અંબાજીના મંદિર સમીપે હોલિકા દહનનો ખૂબ ધાર્મિક વિશેષ મહત્વ છે. ગિરનાર પર્વત પર બિરાજતા અંબાજી શક્તિપીઠ તરીકે પણ હિન્દુ ધર્મ ગ્રંથોમાં (Holika in Hindu Scriptures) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ પણ અહીં પ્રથમ હોલિકા દહન વિશે ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad Holi Festival 2022 : ચાઇનીઝ પિચકારી નહીં પણ સ્વદેશી પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર

હોલિકા દહનથી વાતાવરણ - સાંજના શુભ ચોઘડિયે અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરીબાપુ શ્રીફળ અને હોમાત્મક સામગ્રીથી (Materials for Bonfire Combustion) હોલિકાનું દહન કરાશે. શ્રી ફળ સાથે હોમાત્મક સામગ્રીથી તૈયાર કરી છે. તે મુજબ હોલિકા દહનથી સમગ્ર વાતાવરણ પવિત્ર બને છે. તેમજ માનવજાત સહિત જીવસૃષ્ટિને નુકસાન કરતા રાક્ષસી તત્વોનો નાશ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર (Holika Dahan in Junagadh) અને જિલ્લામાં અંદાજે 250 કરતાં વધુ સ્થળો પર હોલિકા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.