ETV Bharat / state

Corona case in Jamnagar :જામનગરમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ત્રણ દિવસથી સતત કેસમાં વધારો

author img

By

Published : Dec 11, 2021, 6:00 PM IST

Corona case in Jamnagar :જામનગરમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ત્રણ દિવસથી સતત કેસમાં વધારો
Corona case in Jamnagar :જામનગરમાં કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ત્રણ દિવસથી સતત કેસમાં વધારો

જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ ( State's first Omicron positive case)આવ્યા બાદ તંત્ર એલર્ટ (Jamnagar Municipal Corporation )થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના તથા ટયુશનમાં આવતા બાળકોના પણ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ જામનગરમાં દરરોજ નોંધાતા કેસો કરતા (Corona case in Jamnagar )બુધવારે 7 અને ગુરૂવારે 10 પોઝિટિવ કેસ બાદ શુક્રવારે સતત વધારો થતાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વકરતા અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા (Jamnagar Municipal Corporation)આજે ભરાતી શનિવારી બજાર બંધ કરાવવામાં આવી છે.

  • જામનગર શહેરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ
  • શહેરમાં ફરી કોરોના કેસમાં વધારો થવા લાગ્યો
  • મહાનગરપાલીકા દ્વારા ભરાતી શનિવારી બજાર બંધ કરાવવામાં આવી

જામનગરઃ જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ( State's first Omicron positive case)આવ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના તથા ટયુશનમાં આવતા બાળકોના પણ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ જામનગરમાં દરરોજ નોંધાતા કેસો (Corona case in Jamnagar )કરતા બુધવારે 7 અને ગુરૂવારે 10 પોઝિટિવ કેસ બાદ શુક્રવારે સતત વધારો થતાં 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં સંક્રમણ વકરતા મહાનગરપાલિકાની ટીમે (Jamnagar Municipal Corporation)શનિવારી બજાર બંધ કરાવી હતી.

જામનગરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો

કોરોના મહામારીનો કપરો કાળ પૂર્ણ થયા બાદ સાઉથ આફ્રિકામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટની (Omicron variant of Corona in South Africa)એન્ટ્રી થઈ છે. લોકો આ વેરિયન્ટની ઝપટે ચડી ગયા છે, તેમજ અન્ય દેશોમાં પણ ઓમીક્રોનના કેસો નોંધાયા છે. ત્યારે ભારતમાં સૌ પ્રથમ કર્ણાટકમાં ઓમિક્રોનનો પોઝિટિવ કેસ(Corona Omicron in India ) નોંધાયો હતો. ગુજરાતનો સૌ પ્રથમ કેસ (Corona cases in Gujarat )જામનગરના મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં 72 વર્ષના વૃદ્ધનો ગાંધીનગર લેબોરેટરીમાં મોકલેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે કવાયત

ઓમિક્રોનની જામનગરમાં એન્ટ્રી થયા બાદ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો અને તેમને ત્યાં ટયુશનમાં આવતાં સાત બાળકોના પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. સદનસીબે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી. પરંતુ આ રાહત લાંબો સમય રહી ન હતી. કેમ કે,હાલમાં જ રાજસ્થાનમાં યોજાયેલા લગ્ન-પ્રસંગમાં જામનગરના અગ્રણી પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ થયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને પરિક્ષણ કરાવવા અપીલ કરી હતી. દરમિયાન બુધવાર સુધી જામનગર શહેર જિલ્લામાં 0 અને 1 જેટલા કેસો નોંધાતા હતાં પરંતુ, બુધવારે એકાએક સાતગણો ઉછાળો આવતા શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા સાત થઈ હતી તેમજ ગુરૂવારે વધુ 10 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં.

શહેરમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે કોરોના સંક્રમણ

તેમજ મોરકંડા રોડ પર રહેતા ઓમિક્રોન પોઝિટિવ અન્ય બે સગાઓનો ઓમિક્રોન પરીક્ષણ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. જેથી જામનગર શહેરમાં ઓમિક્રોન પોઝિટિવના ત્રણ દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે, ત્રણેય દર્દીઓની તબિયત સ્વસ્થ છે. ઉપરાંત શુક્રવારે જામનગર શહેરમાં વધુ 11 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં ફરી કોરનાએ માથું ઊંચક્યું

છેલ્લાં ત્રણ દિવસથી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ વકરતા અગમચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આજે ભરાતી શનિવારી બજાર બંધ કરાવવામાં આવી છે. શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના કેસનું સંક્રમણ અટકાવવા માટે તંત્રએ જાહેર સ્થળોએ એકઠા થતાં લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

આ પણ વાંચોઃ NSUI Protests: ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ

આ પણ વાંચોઃ Ahmedabad Relief Road Firing Case: મકાન ખાલી કરવા બાબતે થયેલા ઝઘડામાં ફાયરિંગ કરનારા 4 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.