ETV Bharat / state

પ્રસૂતિની પીડા ભોગવતી માતા માટે તારણહાર બની એમ્બ્યુલન્સ

author img

By

Published : May 19, 2019, 7:28 PM IST

ગીર સોમનાથઃ સામાન્ય રીતે ઘરમાં, હોસ્પિટલમાં કે 108માં બાળકોનાં જન્મના બનાવ તમે સાંભળ્યા હશે, પરંતુ એક અદ્ભૂત અને પ્રશંસનીય કામગીરી વેરાવળની GVK 108ની ટીમ દ્વારા કરવામાં આવી હતી. મજૂરી કામ કરતી એક ગરીબ મહિલાના નિવાસ સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નહોતી ત્યારે મહિલાને પ્રસુતિની પીડા વધી જતાં 108ના કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી અને આસપાસના બહેનોની મદદ લઇ સાડીઓની આડશ બનાવી અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.

ગીર સોમનાથમાં 108 બની આશીર્વાદ સમાન

આ બનાવમાં મળતી માહિતી પ્રમાણે, ગત 17 તારીખેની સાંજે 7 વાગ્યાની આસપાસ વેરાવળ તાલુકાના સવની ગામમા રહેતાં અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશ પરમારનાં ગર્ભવતી પત્ની કાજલબેનને અચાનક પ્રસૂતિની પીડા થતા પાડોશી મહિલાએ 108નો સંપર્ક કરતા વેરાવળ 108 એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ જ્યોત્સના રાઠોડ તેમજ વિપુલ ગોહેલ તત્કાળ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

ગીર સોમનાથમાં 108 બની આશીર્વાદ સમાન
પ્રસૂતિની પીડા ભોગવતી માતા માટે તારણહાર બની એમ્બ્યુલન્સ

પરંતુ એમ્બ્યુલન્સ સાંકડા રસ્તાના કારણે આગળ જઈ શકે તેમ ન હતી. તેમજ કાજલ બેનને ક્રમશઃ પ્રસુતિની પીડા વધતી જતી હતી તથા રસ્તામાંજ પ્રસુતિ કરાવવી પડે તેમ હતી, ત્યારે 108નાં સ્ટાફ દ્રારા સમય સૂચકતા વાપરી આસપાસનાં બહેનોને બોલાવી માતાની સલામતી માટે સાડી દ્રારા ફરતો ઘેરાવ કરી રસ્તા પર સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.

વધુ સારવાર માટે વેરાવળ ખસેડાયા
વધુ સારવાર માટે વેરાવળ ખસેડાયા

બાળક તથા માતાની તબિયત સંપૂર્ણ સ્વસ્થ ના જણાતા સ્થળ પર જ જરૂરી સારવાર બાદ સ્થળ પરથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેમને સિવિલ હોસ્પિટલનાં ડૉક્ટર દ્રારા ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. 108 સેવાએ ગુજરાતમાં કાજલબેન જેવા અનેક દર્દીઓને સમયે આશીર્વાદ રૂપી મદદ પહોંચાડી છે.

ગીર સોમનાથમાં 108 બની આશીર્વાદ સમાન
સ્વસ્થ માતા અને બાળક
Gj-gsm-19may-rasta par prasuti-7202746

સવની-19 મે

પ્રસૂતિ ની પીળા ભોગવતી માતા માટે તારણહાર બની 108...
વાહન પહોંચી ના શકે તેવી જગ્યાએ સાડીઓ બાંધી કરાવી પ્રસુતિ....


સામાન્ય રીતે ઘરે હોસ્પિટલમાં કે બહુતો 108 મા બાળકો નાં જન્મના બનાવ  તમે સાંભળ્યા હશે, પરંતુ એક અદ્ભૂત અને પ્રશંસનીય કામગીરી વેરાવળ ની જી.વી.કે 108 ની ટિમ દ્વારા  કરવામાં આવી હતી કે જે બનાવમાં મજૂરી કામ કરતી એક ગરીબ મહિલા ના નિવાસ સુધી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નહોતી ત્યારે મહિલા ને પ્રસુતિ ની પીડા વધી જતાં 108 ના કર્મચારીઓ એ સમયસૂચકતા વાપરી અને આસપાસના બહેનો ની મદદ લઇ સાડીઓ ની આડશ બનાવી અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી.

આ બનાવ માં વિશેષ મળતી માહિતી પ્રમાણે ગત 17 તારીખે ની સાંજે 7 વાગ્યા આસપાસ વેરાવળ તાલુકાના સવની ગામમા રહેતાં અને  મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઇ પરમાર નાં પત્ની કાજલબેન જે ગર્ભવતી હોય તેમને અચાનક પ્રસૂતી ની પીડા થતા નજીકમાં  રહેતાં એક બેને 108 નો સંપર્ક કરતા વેરાવળ 108 એમ્બ્યુલન્સ નાં કર્મચારીઓ જ્યોત્સના રાઠોડ તેમજ વિપુલ ગોહેલ તત્કાળ ઘટના સ્થળે પહોંચયા હતાં પરંતું એમ્બ્યુલન્સ સાકળા રસ્તા ના કારણે આગળ જઈ શકે તેમ ન હોય તેમજ કાજલ બેન ને ક્રમશઃ  પ્રસુતિ ની પીડા વધતી જતી હોય  રસ્તા માંજ પ્રસુતિ કરાવવી પડે તેમ હતી ત્યારે 108 નાં સ્ટાફ દ્રારા સમય સૂચકતા વાપરી આસપાસનાં બહેનો ને બોલાવી માતા તથા બાળક સલામતી માટે સાડી દ્રારા ફરતો ઘેરાવ કરી રસ્તા પર સફળતાપૂર્વક પ્રસુતિ કરાવેલ પરંતુ બાળક તથા માતા ની તબિયત સંપૂર્ણ સ્વસ્થ ના જણાતા વધુ જરુરી સારવાર માટે અમદાવાદ સ્થળ પરજ જરૂરી સારવાર કરી આપેલ પછી સ્થળ પરથી 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ તેમને વેરાવળ સિવિલ હોસ્પિટલ મા લઇ આવેલ જયાં તેમને સિવિલ હોસ્પિટલનાં ડૉક્ટર દ્રારા  ભયમુક્ત જાહેર કરવામાં આવેલ હતા.

ત્યારે  આપણી આસપાસ ઘણા વર્ષો થી ફરતી 108 આપણે સહજતાથી જ જોઈએ છીએ પરંતુ આ 108 સેવાએ ગુજરાતમાં કાજલબેન જેવા અનેક દર્દીઓ ને સમયે આશીર્વાદ રૂપી મદદ પહોંચાડી છે જેના માટે આ યોજના અને તેમાં કામ કરતા કર્મચારીઓ નો આભાર આપણે સૌએ માનવો જ રહ્યો.

કૌશલ જોષી
ઇટીવી ભારત
ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.