ETV Bharat / state

રાજકોટ બાદ સુરતમાં પોલીસની કટકી? સુરતના બિલ્ડરે ગૃહપ્રધાનને કરી ફરિયાદ પોલીસ અધિકારીએ 5 કરોડ ખંખેર્યા

author img

By

Published : Feb 12, 2022, 9:03 PM IST

સુરતના એક બિલ્ડરે વધુ એક IPS પર 1 કરોડ રૂપિયા જેટલી રકમ ચાઉ(Surat City Police ) કરી ગયા હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની(Home Minister Harsh Sanghvi) ઓફિસમાં કરી છે. જેમાં બિલ્ડર ઉદય છાસિયાએ સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડીંગ બનાવી રહ્યા હતા તેમાં ગેરકાયદેસર રીતે પોલીસે 6 ફ્લેટ અને 2 લક્ઝુરિયસ ગાડી પડાવી પાડવાના આક્ષેપ કર્યા છે. IPS અધિકારીએ 5 કરોડની કટકી કરી હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની કરવામાં આવી છે.

રાજકોટ બાદ સુરતમાં પોલીસની કટકી ? સુરતના બિલ્ડરે ગૃહપ્રધાને કરી ફરિયાદ પોલીસ અધિકારીએ 5 કરોડ ખંખેર્યા
રાજકોટ બાદ સુરતમાં પોલીસની કટકી ? સુરતના બિલ્ડરે ગૃહપ્રધાને કરી ફરિયાદ પોલીસ અધિકારીએ 5 કરોડ ખંખેર્યા

ગાંધીનગર: રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકીનો(Rajkot CP Extortion Money Case) આક્ષેપ છે. તાપસ હજુ પૂર્ણ થઈ નથી ત્યારે આવી જ બીજી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરતના એક બિલ્ડરે( Complaint of builder of Surat)વધુ એક IPS પર 1 કરોડ રૂપિયા જેટલી રકમ ચાઉ કરી ગયા હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઓફિસમાં કરી છે. જેમાં બિલ્ડર ઉદય છાસિયાએ સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડીંગ બનાવી રહ્યા હતા તેમાં ગેરકાયદેસર રીતે પોલીસે 6 ફ્લેટ અને 2 લક્ઝુરિયસ ગાડી પડાવી( Allegations against builder's Surat police)પાડવાના આક્ષેપ કર્યા છે. આમ એક જ IPS અધિકારીએ 5 કરોડની કટકી કરી હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને (Home Minister Harsh Sanghvi)કરવામાં આવી છે.

ગૃહપ્રધાને કરી ફરિયાદ

શું છે સમગ્ર ઘટના

ફરિયાદ બાબતે સુરતના અડાજણ વિસ્તારના બિલ્ડર ઉદય છાસિયાએ રાજયના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની ઓફિસમાં ફરિયાદ બાદ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતના અડાજણ વિસ્તારમાં(Adajan area of Surat) વર્ષ 2016માં વિમલ હેક્ઝાકોર્ન નામની સ્કીમ બનવી હતી. જેમાં 2BHK અને 3 BHK ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા હતા એ દરમિયાન એક પોલીસકર્મી બાઈટ લઈને ત્યાં આવ્યા હતા અને સાહેબ બોલાવે છે તેવી કહીને અધિકારીની કચેરીએ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ ધાક ધમકી આપીને 6 ફ્લેટ અને 2 ગાડીઓ પોતાના સંબંધીઓ અથવા બીજાના નામે લીધા હોવાની ફરિયાદ કરી છે.

માડતીયાઓ દ્વારા કરવામાં આવતી હતી અરજી

સુરતના અડાજણ વિસ્તારના બિલ્ડર ઉદય છાસિયા એ વધુમાં આક્ષેપ( Builder Uday Chasia alleged)કર્યા હતા કે જ્યારે બિલ્ડીંગનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અમુક લોકો દ્વારા કે જેઓ પોલીસના મળેથી આવે છે તેઓ મારી વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનના અને જે તે જગ્યાએ અરજી કરતા હતા અને ત્યારબાદ મને સમાધાન માટે પોલીસ સ્ટેશન ખાતે બોલાવતા હતા અને હું સમાધાન કરતો નહીં તેથી મારા ઉપર ખોટે કેસો નાખીને મને જેલમાં મોકલી દીધો હતો. અત્યારે મારું જે નિવેદન હતું તે પણ કોરા કાગળ ઉપર ફક્ત લેવામાં આવતા હતા મને નિવેદન પણ જોવા મળતું ન હતું. આ ઉપરાંત પાસા હેઠળ મને રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો તેમાં પણ રાજકોટ ખાતે પણ પોલીસના અમુક અધિકારીઓ આવીને મને સમાધાન કરવા માટેની સુચના આપતા હતા આમ જેલમાં પણ મારી પાસે પૈસાની માગણી કરાઈ હોવાનો આક્ષેપ પણ ઉદય છાસિયા કર્યો છે.

આ પણ વાંચોઃ આખરે રાજકોટ પોલીસ કમિશ્નરને ગાંધીનગરનું તેડું, ઊંઝાના વેપારીનુ પણ અપહરણ કર્યાની ફરીયાદ

તાપસ અધિકારીઓને આપવામાં આવશે તમામ પુરાવા

સુરતના બિલ્ડર ઉદય છાસિયા વધુમાં જણાવ્યું હતું કે તેમની પાસે તમામ પ્રકારના પુરાવો છે અને તેઓએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પર વિશ્વાસ રાખીને અને રાજકોટની જે ઘટના બની જ તેને ધ્યાનમાં લઈને જ ફરિયાદ કરી છે અને આગામી સમયમાં જે પણ કોઈ તપાસ અધિકારી હશે તે તપાસ અધિકારીને જ તમામ પુરાવા અને દસ્તાવેજ આપવામાં આવશે જેથી તેઓ તપાસ નિષ્પક્ષ કરી શકે આ ઉપરાંત મારી જોડે તમામ રેકોર્ડ પણ છે જે હું ફક્ત તપાસ અધિકારીને જ આપીશ જ્યારે કટકે-કટકે તેઓએ પોલીસ અધિકારીઓને પૈસા આપ્યા હોવાની ફરિયાદ પણ કરી છે.

અગાઉ કરી હતી ફરિયાદ હવે સંઘવી પણ વિશ્વાસ

સુરતના અડાજણ વિસ્તારમાં ગુજરાત ઉદય છાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતની રાજકોટની ઘટના સામે આવી છે તેને રાજકોટની ઘટનાને જે તેજ મને હિંમત મળી છે અને મને વિશ્વાસ છે કે રાજ્યના નવા વધુ પ્રધાન હર્ષ સંઘવી આ બાબતે કાર્ય કરશે સાથે જ અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન અને આ બાબતની અરજી કરાઈ હતી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાઈ હોવાની આક્ષેપ પણ ઉદય છાસિયા એ કર્યો હતો.

આ પણ વાંચોઃ Rajkot MLA Letter Bomb : તપાસ કમિટી દ્વારા આજે રાજકોટમાં ત્રણના નિવેદન લેવામાં આવ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.