ETV Bharat / state

ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય

author img

By

Published : Mar 29, 2022, 10:02 PM IST

ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય
ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય

તાપી રિવર લિંક યોજનાનો આદિવાસી સમાજ(Tapi River Link Scheme) દ્વારા અને કોંગ્રેસના ટેકાથી સતત વિરોધ કરવામાં આવતાં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. શા માટે આ યોજના સ્થગિત કરવી પડી? શું આનાથી વોટબેંક પર અસર પડતી હતી? જુઓ ઈ ટીવી ભારતનો વિશેષ અહેવાલ...

ગાંધીનગરઃ તાપી નર્મદા પાર રિવર લિંક યોજનાને આદિવાસી સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી આદિવાસીઓનો આક્રોશ ગુજરાત ભાજપને નુકશાન કરાવી શકે છે તેવી પરિસ્થિતિ ઉદભવી હતી. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને ભાજપ સક્રિય થઇ હતી જે બાદ આ યોજનાને હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તાપી રિવર લિંક યોજના

તાપી રિવર લિંક યોજના - તાપી નર્મદા પાર રિવર લિંક યોજનાને હાલ સ્થગિત કરવાનો ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના આદિવાસી( Tribals of Gujarat )પ્રધાનોએ અને સાંસદો સહિત ધારાસભ્યોએ દિલ્લી જઈ કેન્દ્રના પ્રધાનો સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ યોજનાને હાલ પૂરતી આગળ નહીં વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. તાપી નર્મદા રિવર લિંકિંગ પ્રોજેક્ટમાં (Tapi River Link project postponed)સાત જેટલા ડેમો બનવા જઈ રહ્યા હતા. જેમાં ત્રણ મહાકાય ડેમો ડાંગના વઘઇ તાલુકામાં બનવા જઈ રહ્યા હતા. જેના વિરોધમાં જુદા જુદા આદિવાસી સંગઠન સહિત રાજકીય આગેવાનો પણ ડેમ હટાવો ડાંગ બચાવોના સુત્રોની સાથી આદિવાસી સંગઠન સમિતિ સાથે આગળ આવ્યા હતા.

મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન - લોકસભામાં બજેટની ચર્ચા દરમિયાન કેન્દ્રીય પ્રધાન દ્વારા બજેટમાં રિવર લિન્કિંગ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા દક્ષિણ ગુજરાતના લોકોમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તાપી નર્મદા પાર રિવર લિંકિંગ પ્રોજેક્ટના વિરોધમાં લડવા માટે 25 સભ્યોની એક મહત્વપૂર્ણ કમિટી બનાવવામાં આવી હતી જે ગામેગામ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ત્રણ મહાકાય ડેમોના વિરોધ પ્રદર્શન માટે જામલાપાડા ખાતે મળેલી શરૂઆતની પ્રથમ બેઠકમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા આદિવાસી સમાજને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે 2005માં કોંગ્રેસની મનમોહનસિંહની સરકારમા પણ તાપી રિવર લિન્કિંગ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થોડા દિવસ અગાઉ વઘઇ તાલુકામાં ડુબાણમાં આવતા 75 ગામો પૈકી દબાણમાં હતા. તાપી નર્મદા પાર રિવર લિંક અંતર્ગત 50 હજારથી વધુ આદિવાસી લોકો આ યોજનાની અસર થઇ શકે તેવી રહી હતી.

કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન - ગાંધીનગરમાં કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન પણ તાપી લિંક યોજના અંગે આદિવાસીઓના વિરોધ મોટી સંખ્યામાં પ્રદર્શન કરતાં ગાંધીનગર પહોંચ્યા હતા. તાપી નર્મદા રિવર લિંક યોજના ઘણી જૂની છે. ભૂતકાળમાં પણ આદિવાસીઓએ આ યોજના અંગે થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે. ગત 27 માર્ચના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં અંબાજીથી, ઉમરગામ આદિવાસી સંગઠન અને સમિતિઓ સાથે જોડાયેલા લોકો સાથે જ આદિવાસી લોકો એકઠા થયા હતા. જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કોંગ્રેસના બેનર હેઠળ થયેલા સંમેલનમાં કોંગ્રેસના પણ મોટા દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિધાનસભામાં આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન - 27 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભાગૃહમાં પણ આ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી પણ વોક આઉટ કર્યું હતું. જોકે હાલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જ્યાં સુધી શ્વેત પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે. આગામી 1 એપ્રિલે સોનગઢમાં પણ આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેમને પણ ખુલાસો કરવો હોય તે સોનગઢ ખાતે વિરોધ પ્રદર્શન સ્થળે આવીને ખુલાસો કરી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat River Link Project: શ્વેત પત્ર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશેઃ કોંગ્રેસ

આ નિર્ણય માત્ર મૌખિક જાહેર - હાલ સરકાર દ્વારા આ એક પ્રકારની લોલીપોપ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના ધરમપુર ખાતે આવી રહ્યા છે, જે કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય અથવા તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓ સાથે બેઠક કરે અને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે થઈને હાલ આ નિર્ણય માત્ર મૌખિક જાહેર કર્યું છે પરંતુ જ્યાં સુધી શ્વેત પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી આદિવાસી સમાજ શાંત નહીં રહે.

આદિવાસીઓનો આક્રોશ નુકસાન કરાવી શકે - આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી(Gujarat Assembly Election 2022) આવી રહી હોવાથી આદિવાસીઓનો આક્રોશ નુકસાન કરાવી શકે છે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી. જેને ધ્યાનમાં રાખી સોમવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની આગેવાનીમાં ભાજપના તમામ આદિવાસી સાંસદો અને ધારાસભ્યો તેમજ ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને સિંચાઈ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અધ્યક્ષતામાં મીટીંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: છેલ્લા બે વર્ષમાં આ વિભાગોને બજેટ કરતા ઓછી રકમ ફાળવાઈ

ભવિષ્યમાં આદિવાસી ભાજપને મજબુત કરશે - ઋષિકેશ પટેલે જણાવ્યું કે આદિવાસી લોકોની લોગણીઓ ધ્યાને રાખીને યોજના મુલતવી રાખવામાં આવી છે. જ્યારે યોજના મુલતવી રહે કેન્દ્ર સરકાર તેનો ઈરાદો જાહેર કરે તે પહેલા ગુજરાત સરકારે તેનો ઈરાદો જાહેર કર્યો હોય કેવળ આ શ્વેત પત્ર રાજનીતીનો ભાગ છે આવા શ્વેત પત્રની કોઈ જરીર નથી. હકીકતમાં આદિવાસીની લાગણી ધ્યાને રાખી સમગ્ર વિસ્તારમાં બજેટને લઈને ટોટલ બજેટ વસ્તીના પ્રમાણમાં અઢી ગણી ફાળવણા આદિવાસી વિકાસના ફાળે કરી છે. નરેશ પટેલે જાવ્યુંકે કોંગ્રસમાં પણ વિસ્થાપીતો દ્વારા વિરોધ હતો. આજે આદિવાસીમાં આમારી 13 બેઠકો છે. ભવિષ્યમાં આદિવાસી ભાજપને મજબુત કરવાના છે.

બેઠકો જીતવા માટે થઇને આદિવાસીઓના હિતમાં નિર્ણય - આ બેઠકના અંતે આદિવાસીઓની માંગણીને ધ્યાનમાં રાખી હાલ નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે તેવામાં આદિવાસીઓના આ પ્રકારના વિરોધની પરિસ્થિતિને જોતા ભાજપને નુકસાન થાય તેવી સ્થિતિ ઉદભવી હતી. કારણ કે કુલ 27 બેઠકો આદિવાસી વિસ્તારમાં રહેલી છે જેમાંથી 2017 ભાજપ 13 બેઠકો પર વિજય થઈ હતી ત્યારે વધુ બેઠકો જીતવા માટે થઇને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેવો તે ખૂબ જરૂરી હતો. તેમજ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા આદિવાસી સમાજ ભાજપની વિરુદ્ધ ન જાય તે માટે થઈને સરકાર દ્વારા હાલ યોજના સ્થગિત કરવામાં આવી છે. આદિવાસી સમાજની લાગણીને માન આપીને સરકારે ઝડપથી યોજના સ્થગિત કરી છે, જેથી ભાજપની વોટબેંકને નુકસાન થશે નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.