ETV Bharat / state

સંખ્યા બળ ઓછું હોવા છતાં લોકોના પ્રશ્નો ઉઠાવવા મેવાણીએ બતાવ્યો જુસ્સો

author img

By

Published : Dec 20, 2022, 7:25 PM IST

Updated : Dec 20, 2022, 10:42 PM IST

સંખ્યા બળ ઓછું હોવા છતાં લોકોના પ્રશ્નો ઉઠાવવા મેવાણીએ બતાવ્યો જુસ્સો
સંખ્યા બળ ઓછું હોવા છતાં લોકોના પ્રશ્નો ઉઠાવવા મેવાણીએ બતાવ્યો જુસ્સો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામના ધારાસભ્ય એ (Congress MLA Jignesh Mevani) આગામી પાંચ વર્ષની કામગીરીને લઈને ETV Bharat સાથે વાત કરી છે. મેવાણીએ જણાવ્યુ કે, 17 સભ્યો વિપક્ષને લાયક છે, પ્રજાના તમામ પ્રશ્નોના મુદ્દો ઉઠાવીશું. આ ઉપરાંત મેવાણીએ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat Assembly House Congress)

આગામી પાંચ વર્ષની કામગીરીને લઈને ETV BHarat સાથે મેવાણીની વાતચીત

ગાંધીનગર : વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઉના કાંડ નામ લોકો સમક્ષ લાવનાર દલિત નેતા જીગ્નેશ મેવાણીએ વર્ષ 2017ની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી અપક્ષ તરીકેની ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. તેમજ વર્ષ 2017માં જીગ્નેશ મેવાણી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસને સમર્થન કરતા આવ્યા છે, ત્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષે વડગામ બેઠક (Congress MLA Jignesh Mevani) પરથી તેમને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા અને તેમનો વિજય થયો છે. ત્યારે ETV Bharat સાથે મેવાણીએ આવનારા પાંચ વર્ષની કામગીરી અંગેને લઈને કેટલીક વાતો કરી હતી. (Gujarat Assembly House Congress)

જીગ્નેશ મેવાણી
જીગ્નેશ મેવાણી

ભલે 17 સભ્યો પણ તમામ મજબૂત નેતાઓ જીગ્નેશ મેવાણીએ ETV Bharatને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ભલે 17 જ સભ્યો હોય, પરંતુ તમામ સભ્યો એકદમ સક્ષમ અને મજબૂત છે. જ્યારે હજુ સુધી અમારા વિપક્ષના નેતાની વરણી નથી થઈ, પરંતુ આ તમામ 17 સભ્યો વિપક્ષને લાયક છે. અમે એક સાથે મળીને ગુજરાત વિધાનસભામાં પ્રજા માટે અને પ્રજાના તમામ પ્રશ્નોનો મુદ્દો ઉઠાવીશું. જ્યાં જરૂર પડશે ત્યાં સરકારનો વિરોધ પણ કરીશું. (Opposition in Gujarat Assembly)

ફિલ્ડમાં જઈને કામ કરીશું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાહેર જનતાએ ભાજપ પક્ષને 156 બેઠક સાથે વિજય અપાવ્યો છે, ત્યારે જીગ્નેશ મેવાણીએ આગામી પાંચ વર્ષ સુધીમાં લોકોની વચ્ચે રહીને લોકોના કામ અને લોકોની સમસ્યા બાબતે જે કામગીરી કરવામાં આવશે. લોકોની વચ્ચે જઈને સંગઠનને મજબૂત કરીશું અને કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવાના તમામ પ્રયત્નો કરીશું. જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ એકસો બેઠક જીત્યું છે ત્યારે 156 બેઠકનો ભાજપને ઘમંડ આવી ગયો છે. તેઓ ઘમંડમાં રહીને જ વિધાનસભાના નિયમોની પ્રાણલી તોડી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. જ્યારે આવનારા દિવસોમાં લોકો સુધી ફરીથી ગ્રાઉન્ડમાં જઈને ભાજપનો ઘમંડ તોડીશું. (Opposition party in Gujarat)

આ પણ વાંચો મને પ્રધાન બનાવવામાં નહીં આવે ત્યાં સુધી વિધાનસભા સત્રમાં ભાગ નહીં લઉં- ઈશ્વરપ્પા

અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે ગુજરાત વિધાનસભા ગ્રુપમાં પ્રથમ સત્રમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ વોક આઉટ કર્યું હતું, ત્યારે જીગ્નેશ મેવાણી જણાવ્યું હતું કે, અમારી સંખ્યા બળ ખૂબ ઓછું છે અને 17 જેટલા ધારાસભ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. અમને રાજ્યપાલના પ્રવચન પર બોલવા માટેનો સમયગાળો જ આપવામાં આવ્યો ન હતો. જેથી અમે તમામ સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. જ્યારે આગામી દિવસોમાં વધુ મજબૂત રણનીતિ બનાવીને અમે ગુજરાત વિધાનસભામાં સરકારને ઘેરીશું. (Jignesh Mevani attacks BJP)

આ પણ વાંચો ડીસામાં ધારાસભ્યને શુભચિંતકોએ ફૂલહારની જગ્યાએ નોટબુક આપી

મેવાણી વોક આઉટમાં જોડાયા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (Gujarat Assembly Budget Session) દરમિયાન જીગ્નેશ મેવાણી પક્ષ ધારાસભ્ય તરીકે હતા, પરંતુ તેઓ કોંગ્રેસના સમર્થનમાં હતા, ત્યારે ગુજરાત સરકારનું 2022-23 ના બજેટ દરમિયાન 03 માર્ચ 2022ના રોજ જાહેરાત કરી હતી કે, હું વર્ષ 2022ની ચૂંટણી કોંગ્રેસ પક્ષમાંથી લડીશ અને જીતીને ગુજરાત વિધાનસભામાં બેસીશ. ત્યારે આજે પ્રથમ દિવસે જીગ્નેશ મેવાણી ગૃહમાં હાજરી આપીને વોક આઉટમાં જોડાયા હતા.

Last Updated :Dec 20, 2022, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.