ETV Bharat / state

સરકારની આંદોલન ઠાર કમિટીએ વિવિધ કર્મચારીઓ સાથે બેઠકો યોજી છતા નિર્ણય હજુ અધરતાલ

author img

By

Published : Aug 31, 2022, 5:11 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા આંદોલનને ઠારવાના પ્રયત્નો કરશે. આ કમિટીની બેઠક વિવિધ આંદોલનકારીઓ સાથે મળી હતી. પરંતુ હજી સુધી ચોક્કસ નક્કર કોઈ પરિણામ સામે આવ્યું નથી.Gujarat Assembly Election 2022, government formed a committee, Employee organization

સરકારની આંદોલન ઠાર કમિટીએ વિવિધ કર્મચારીઓ સાથે બેઠકો યોજી છતા નિર્ણય હજુ અધરતાલ
સરકારની આંદોલન ઠાર કમિટીએ વિવિધ કર્મચારીઓ સાથે બેઠકો યોજી છતા નિર્ણય હજુ અધરતાલ

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના (Gujarat Assembly Election 2022)મહિનાઓની જ વાર છે અને રાજકીય પાર્ટી દ્વારા દિવસોની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર વિરુદ્ધ પણ આંદોલનો અત્યારે સામે ઊભા છે તે તમામ આંદોલનને નિષ્ફળ બનાવવા અને તે તમામ માંગણીઓને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી છે. આ કમિટીની બેઠક( government formed a committee)આજે વિવિધ આંદોલનકારીઓ સાથે મળી હતી. પરંતુ હજી સુધી ચોક્કસ નક્કર કોઈ પરિણામ સામે આવ્યું નથી.

કર્મચારીઓ સાથે બેઠકો

સરકાર સાથે બેઠકો શરૂ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ દિગુભા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર સાથે જે પાંચ મંત્રીઓની કમિટી તૈયાર કરવામાં આવી છે. તેમની સાથે આજે રાજ્યના કર્મચારીઓના પડતા પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી હતી અમે અમારા આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા હતા. જેમાં ત્રણ તારીખનો અમારો કાર્યક્રમ મૌન રેલી ચાલુ જ રહેશે, જ્યારે સાત તારીખે અમારા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે ત્યારે જે માંગણીઓ સંતોષવામાં આવે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવશે. આજે બેઠક બેઠક મળી હતી જ્યારે અમારા મહત્વના મુદ્દા સાતમા પગાર પંચ સળંગ નોકરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાનું છે જ્યારે આંદોલન બંધ નહીં કરવાની જાહેરાત પણ દિગુભા જાડેજાએ કરી હતી.

આ પણ વાંચો ચૂંટણી પહેલા શહેરમાં Wall Warનું શું છે રાજકીય ગણિત, સરકારી દીવાલો થઈ ટાર્ગેટ

આરોગ્ય કર્મચારી હડતાલ કેબિને બેઠક પૂર્ણ થયા બાદ પાંચ મંત્રીઓની કમિટીએ આરોગ્ય કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. છેલ્લા 21 દિવસથી આરોગ્ય કર્મચારી હડતાલ પર છે. રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓની તમામ માંગ સંતોષાઈ હોવાની સત્તાવાર જાહેરાત પણ કરી હતી અને હડતાલ પૂર્ણ થઈ ગઈ હોવાની પણ જાહેરાત કરી હતી. ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓએ શ્રદ્ધાનોને ફૂલહાર કરીને તેમનું સંબોધન પણ કર્યું હતું. પરંતુ અનેક કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય કરાયો હોવાથી ફરીથી આંદોલન યથાવત રાખવાનો નિર્ણય પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ

ચર્ચાથી ઉકેલ આવશે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજ સવારથી જ અલગ અલગ સમુદાયો મંડળો સાથેની ચર્ચા કરવામાં આવી રહી છે અને જે લોકો આંદોલન કરી રહ્યા છે, તે સાથે પણ બેઠકો કરવામાં આવી રહી છે. અને ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવાની શરૂઆત કરવામાં આવી છે. ચર્ચાથી જ સકારાત્મક ઉકેલ આવતો હોય છે જ્યારે કેટલીક નીતિ વિષયક બાબતો અને રાજ્યના ભવિષ્યને ધ્યાનમાં પણ રાખવાનું હોય છે, ત્યારે અન્ય રાજ્યોની તુલનામાં આપણે ખૂબ સારું કર્યું છે. આ ઉપરાંત જનતાને તકલીફ ન પડે અને રાજ્યના હિતમાં લેવામાં આવતા તમામ પ્રશ્નોના ઉકેલવાની અમારી તૈયારી હોવાનું નિવેદન પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.