ETV Bharat / state

Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 60 કેસ, એક દર્દીનું મૃત્યુ, 58 લોકોને ડિસ્ચાર્જ કરાયા

author img

By

Published : Dec 17, 2021, 9:06 PM IST

આજે કોરોના પોઝિટિવ કેસો રાજ્ય ભરમાં 24 કલાકમાં 60 નોધાયા હતા. રાજ્યમાં ઓમિક્રોનનો ભય (Omicron variant of Corona )વધ્યો છે. જેથી સઘન ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો કોરોનાના અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યા છે ત્યારે આજે 08 કેસો અમદાવાદ કોર્પોરેશનમાં(Ahmedabad Corporation) નોંધાયા છે. જો કે ગત અઠવાડિયા કરતા આ વીકમાં કંઈ મોટો વધારો જોવા મળ્યો નથી. પરંતુ આ કેસો પણ ચિંતાજનક કહી શકાય છે. જ્યારે એક દર્દીનું નવસારીમાં મૃત્યુ (Death of one person from Corona )નોંધાયું છે.

Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 60 કેસ, એક દર્દીનું મૃત્યુ, 58 લોકોને ડિસ્ચાર્જ કરાયા
Corona In Gujarat: રાજ્યમાં આજે કોરોનાના 60 કેસ, એક દર્દીનું મૃત્યુ, 58 લોકોને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર : આજે કોરોના પોઝિટિવ કેસો રાજ્ય ભરમાં 24 કલાકમાં 60 નોંધાયા(Corona In Gujarat ) હતા. રાજ્યમાં ઓમિક્રોનનો ભય વધ્યો છે. જેથી સઘન ટ્રેસિંગ પણ વધારવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસો કોરોનાના અમદાવાદ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક દિવસોમાં જોવા મળ્યા છે ત્યારે આજે 08 કેસો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. જો કે ગત અઠવાડિયા કરતા આ વીકમાં કંઈ મોટો વધારો જોવા મળ્યો નથી. પરંતુ આ કેસો પણ ચિંતાજનક કહી શકાય છે. આજે હોસ્પિટલમાંથી સાજા થયા બાદ 58 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એક દર્દીનું નવસારીમાં મૃત્યુ (Death of one person from Corona )નોંધાયું છે.

દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો

કોરોના કેસોનો આંકડો એવરેજ 60થી 70ની વચ્ચે જોવા મળી રહ્યો છે પરંતુ ઓમિક્રોન જો વકરે છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી શકે છે. જો કે સારી વાત એ છે કે પહેલા આવેલો ઓમિક્રોન પોઝિટિવ દર્દી આજે સાજા થયા છે. રાજ્ય સરકારે પણ વિદેશથી આવતા લોકોનું સ્કેનિંગ સઘન રીતે હાથ ધર્યું છે. જેમાં ઓમિક્રોનના કેસોની (Omicron variant of Corona )સંખ્યા ધીમી ગતિએ સામે આવી રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો તેમાં પણ ડિસેમ્બર મહિનામાં આ ખતરો વધ્યો છે. હજુ પણ 581 એક્ટિવ કેસો છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસ

15 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 08, સુરત કોર્પોરેશનમાં 05 જામનગર કોર્પોરેશનમાં 03 વડોદરા કોર્પોરેશનમાં 12 કેસો તો રાજકોટ કોર્પોરેશનમાં 12 કેસો નોંધાતા હતા. જ્યારે જિલ્લાની વાત કરીએ તો 33 જિલ્લામાં સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે અને નવસારીમાં 3 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું દુઃખદ મૃત્યુ થયું હતું.

લોકોમાં કોરોનાનો ભય ઘટતા વેક્સિન લેનારની સંખ્યા ઘટી રહી

ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. તે છતાં પણ વેક્સિનનો બીજો ડોઝ લેવામાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. નવા વેરીએન્ટ આવતાની સાથે વેક્સિન પ્રક્રિયા વેગવંતી બનવી જોઈએ. પરંતુ સંખ્યા પણ હજુ વધુ છે. આજે 24 કલાકમાં 2,40,943 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,66,33,120 લોકોને વેક્સિન આપવામાં આવી છે. પહેલા ડોઝમાં ગુજરાત પહેલાથી જ આગળ છે પરંતુ ડયુ કેસો એટલે કે બીજા ડોઝમાં સમય વીત્યો છે. છતાં લોકો વેક્સિન લેવામાં પાછળ છે જ્યારે બીજી બાજુ બૂસ્ટર ડોઝને લઈને વિચારણા પણ અત્યારે ચાલી રહી છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 581 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 05 દર્દીઓ વેન્ટિલેટર પર અને 576 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,101 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,745 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા (Gujarat Corona Recovery Rate)સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Vapi Gram Panchayat Election 2021: UP બિહારના મતદારોને રીઝવવા માટે ભોજપુરી ગીતો સાથે ચૂંટણી પ્રચાર

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.