ETV Bharat / state

મુખ્યપ્રધાનની પ્રથમ કેબિનેટમાં 5 વર્ષનો રોડ મેપ, પ્રધાનોને આપ્યો આદેશ

author img

By

Published : Dec 22, 2022, 8:08 PM IST

મુખ્યપ્રધાનની પ્રથમ કેબિનેટમાં 5 વર્ષનો રોડ મેપ, પ્રધાનોએ ઓફિસના દરવાજા ખુલ્લા રાખવાનો નિર્ણય
મુખ્યપ્રધાનની પ્રથમ કેબિનેટમાં 5 વર્ષનો રોડ મેપ, પ્રધાનોએ ઓફિસના દરવાજા ખુલ્લા રાખવાનો નિર્ણય

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલેની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટ બેઠકનું (first cabinet meeting) આયોજન થયું હતું. જેમાં દ્વારકા કોરિડોર, ફેમિલી કાર્ડ, સેવા સેતું, ભગવત ગીતા, કૌશલ્ય સ્ટાફ અને ખેડૂતોને લઈને રોડ મેપ તૈયાર કરાયો હતો. આ ઉપરાંત નાગરિકો માટે પ્રધાનોએ પોતાના કેબિનના દરવાજા ખુલ્લા રાખવાની વાત કરી હતી.(CM Bhupendra Patel first cabinet meeting)

મુખ્યપ્રધાનની પ્રથમ કેબિનેટમાં 5 વર્ષનો રોડ મેપ

ગાંધીનગર : મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં આજે પ્રથમ કેબિનેટ બેઠકનું (first cabinet meeting) આયોજન થયું હતું. બેઠકની ચર્ચાની વાત કરવામાં આવે તો, રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજની પ્રથમ કેબિનેટ બેઠકમાં 100 દિવસથી લઈને 5 વર્ષ સુધીનો તબક્કા વાર આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં દ્વારકા કોરિડોર તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના નાગરિકોને આરોગ્યની સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં આરોગ્ય કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયાની જે મર્યાદા છે. તેને 10 લાખ રૂપિયા સુધીની મર્યાદા કરવામાં આવશે. જ્યારે કેબિનેટ બેઠકમાં નક્કી કરેલ બ્લ્યુ પ્રિન્ટનું રિવ્યૂ દર 15 દિવસે કરવામાં આવશે. ઉપરાંત ચૂંટણી દરમિયાન ભાજપ પક્ષે જે ઘોષણા કરી હતી. તે બાબતે સરકાર નિર્ણય લેશે.(CM Bhupendra Patel first cabinet meeting)

આ પણ વાંચોઃ અમદાવાદ ડબલ મર્ડર કેસ મામલે ખુલાસો,કમ્પાઉન્ડરએ હત્યા કરી હોવાનું કબૂલ્યું

પ્રધાનોને પોતાના કેબીનનના દરવાજા ખુલ્લા રાખવાની સૂચના ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જેમાં સોમવાર અને મંગળવારના દિવસે રજૂઆત કરવા આવનારા નાગરિકો માટે પ્રધાનોએ હોય ફરજિયાત સવારે 10:00 વાગ્યાથી હાજર રહેવું પડશે. પોતાના કેબિનના દરવાજા ખુલ્લા રાખવા પડશે. જ્યારે જ્યાં સુધી અંતિમ મુલાકાતે હોય ત્યાં સુધી શ્રદ્ધાનોએ પોતાની કેબિનમાં જ હાજર રહીને મુલાકાતીઓને સાંભળવા પડશે. સાથે જ મંગળવારના રોજ ધારાસભ્ય અને સાંસદ સભ્ય માટે સવારે 10:30 વાગ્યાથી બપોરના 02:30 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. જેથી ધારાસભ્ય અને સાંસદ સભ્ય પોતાની રજૂઆત શાંતિથી પ્રધાનોને કરી શકે. (cabinet meeting today)

દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ બાબતે ચર્ચા રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે દ્વારકા કોરીડોર પ્રોજેક્ટ બાબતે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દ્વારકાનું મહત્વ ખુબ જ છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા કોરીડોર (Dwarka Corridor Project) બનાવવાનો નિર્ણય કરવા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભગવાન કૃષ્ણની સૌથી મોટી પ્રતિમા, 3ડી ઇમેજિન સર્વિસ, કાલ્પનિક દુનિયાનો વાસ્તવિક અનુભવ, શ્રીમદ ભાગવત સહિતના પ્રોજેક્ટ કરવામાં આવશે. જ્યારે આ પ્રોજેક્ટ વર્ષ 2023 સુધીમાં પૂરો કરવામાં આવશે. આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સચિવ ની સમિતિ બનાવીને પ્રોજેક્ટ પર કામ કરશે.

આ પણ વાંચોઃ હાલારનું હીર ચંદ્ર પરથી ઝળહળશે, હેનલ મોઢા ચંદ્ર પરના ખનીજ અંગે રીસર્ચ કરશે

ફેમિલી કાર્ડ આપવામાં આવશે રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે ફેમિલી કાર્ડ બાબતની પણ જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના નાગરિકોને ફેમિલી કાર્ડ (Family Card)આપવામાં આવશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનામાં જે તે વ્યક્તિને લાભ મેળવવો હશે તે ફેમિલી કાર્ડ દ્વારા જ લાભ મેળવી શકશે. જેથી અન્ય લાભ મેળવવા માટે તેઓએ વધુમાં કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટ છે આપવાના રહેશે નહીં. જેથી સરળતાથી અને ઓછા સમયમાં નાગરિકો સરકારના લાભ મેળવી શકશે. (cabinet meeting 2022)

સેવા સેતું કામગીરી થશે ગુજરાત રાજ્યમાં અનેક લોકોને સરકાર તરફથી ફરિયાદ હોય છે અથવા તો અન્ય પ્રકારની ફરિયાદ અને સમસ્યાનો સામનો પણ કરી રહ્યા હોય છે, ત્યારે સરકારમાં રજૂઆત અને ફરિયાદ કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી અથવા તો જો ઉકેલ આવે તો સમય વધુ થાય છે, ત્યારે રાજ્ય સરકારે દ્વારા સેવા સેતુની કામગીરી (service bridge) શરૂ કરવામાં આવી છે. જે તમામ કામગીરી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. આ બાબતે ઋષિકેશ પટેલે વધુમાં વિગત આપી હતી કે, રાજ્યના નાગરિકોને પડતી તકલીફોનું નિવાદણ તાત્કાલિક ધોરણે થાય તેને ધ્યાનમાં લઈને જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ સેવા સેતુની કામગીરી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત સાત દિવસની અંદર જ ફરિયાદનું ભજન નિરાકરણ કરવામાં આવશે. આ માટે જે તે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અધિકારીઓની સૂચના પણ આપી દેવામાં આવી છે અને આ કેબિનેટ બેઠકમાં નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયાએ સંભાળ્યો ચાર્જ, મહિલા-સિનિયર સિટીઝનના કામોને આપશે પ્રાધાન્ય

ભગવત ગીતાનો અભ્યાસ ક્રમ તૈયાર રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે અભ્યાસ જણાવ્યું હતું કે, બાળકોમાં સારા સંસ્કાર આવે અને તેને ધ્યાનમાં લઈને અભ્યાસમાં શ્રીમદ્ ભગવદગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરી લેવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં તેનું અમલીકરણ પણ થશે. આમ, ગુજરાતની શાળાઓમાં ભગવત ગીતાનો અભ્યાસ પણ હવે શીખવાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલની પ્રથમ સરકારમાં જ વિધાનસભાની અંદર આ નિર્ણય લેવામાં આવ્યું હતું, ત્યારે આજે પ્રથમ કેબિનેટમાં જ ભગવત ગીતાનો અભ્યાસક્રમ વહેલી તકે શાળાઓમાં ભણાવવાની શરૂઆત થશે. (cabinet meeting gujarat)

કૌશલ્યમાં વધુ ફોકસ રાજ્યમાં વ્યાપાર ઉદ્યોગો દિવસ અને દિવસે વિકસી રહ્યા છે, પરંતુ કૌશલ્ય સ્ટાફની અછત દેખાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટમાં કૌશલ્ય સ્ટાફ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં આવનારા નવા ઉદ્યોગો અને વેપારીઓને કારીગરથી માંડીને ઉચ્ચ કક્ષાની પોસ્ટ સુધી તમામ લોકો ચાલુ કૌશલ્ય ધરાવતા હોય તેને ધ્યાનમાં લઈને ખાસ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવશે. (cabinet meeting today decision)

આ પણ વાંચો 18 હજાર ગામડામાં ટેન્કર રાજ પૂરું થશે, ઉનાળામાં પાણીની અવ્યવસ્થા નહીં સર્જાય

ખેડૂતોને 417 કરોડનું થશે ચુકવણું વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સહકાર ક્ષેત્રે રાજ્યના ખેડૂતોને 0 ટકા વ્યાજની સહાય આપવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર ચાર ટકા વ્યાજે સહાય આપે છે. આવનારા 100 દિવસમાં ગુજરાતના ખેડૂતોને 417 કરોડ રૂપિયાની પાક ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવશે. 5000 દૂધ અને ફિશરી સહકારી મંડળીઓનો નેશનલ ડેટા તૈયાર કરવામાં આવશે. ખેડૂતોને સરકારના લાભ મળે તે માટે બજાર સમિતિમાં કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે. જ્યારે 16 જિલ્લા પાક નુકશાન ન અહેવાલ બાદ સરકારે પેકેજ જાહેર કર્યું હતું. જેમાં 52 તાલુકાના 2600 ગામોમાં 1,38,547 અરજી પ્રાપ્ત થઈ હતી, 1,34,918 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 1,07,497 અરજીઓમાં કુલ 113.79 કરોડની સહાય આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.