ETV Bharat / state

અમદાવાદ ડબલ મર્ડર કેસ મામલે ખુલાસો,કમ્પાઉન્ડરએ હત્યા કરી હોવાનું કબૂલ્યું

author img

By

Published : Dec 22, 2022, 2:09 PM IST

Updated : Dec 22, 2022, 3:08 PM IST

double murder in karna hospital ahmedabad
double murder in karna hospital ahmedabad

અમદાવાદની હોસ્પિટલમાં ડબલ મર્ડર મામલે ચોંકાવનારા ખુલાસા થયા (double murder in karna hospital ahmedabad) છે. જેમાં આરોપી કમ્પાઉન્ડરે ઇન્જેક્શનના ઓવર ડોઝ આપતા દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું (mother daughter found dead) છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી (police investigation in ahmedabad murder case) છે.

અમદાવાદ: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કર્ણ હોસ્પિટલમાં (karna hospital in kagdapith ahmedabad) માતા-પુત્રીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો (double murder in karna hospital ahmedabad) છે. હોસ્પિટલનો કમ્પાઉન્ડર મનસુખ જ હત્યારો નીકળ્યો (murderer compaunder) છે. આ કમ્પાઉન્ડર મૃતક ભારતીની પોતે ડોકટર બનીને સારવાર કરતો હતો. મૃતક ભારતીને એક કાનની સારવાર સફળ રહ્યા બાદ બીજા કાનની સારવાર ભારતીએ શરૂ કરાવી હતી.ડોક્ટરની ગેરહાજરીમાં ડોક્ટર બનેલા કમ્પાઉન્ડરે દર્દીને ઇન્જેક્શનના ઓવરડોઝ આપતાં દર્દીનું તરફડીને મોત થતાં તેની માતાની હત્યાને અંજામ (mother daughter found dead) આપ્યો હતો.

કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કર્ણ હોસ્પિટલ
કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કર્ણ હોસ્પિટલ

હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો: મળતી માહિતી અનુસાર, અમદાવાદના મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીએ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું હતું. જેઓ આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવ્યા હતા. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનના મૃતદેહને કબાટમાં મુકવામાં આવ્યો હતો અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં હોસ્પિટલની બહારના CCTV મળ્યા (police investigation in ahmedabad murder case) હતા. જેમાં ભારતીબેન પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન

હત્યારો કમ્પાઉન્ડર: હત્યા મનસુખ નામના કમ્પાઉન્ડરે કરી હોવાનું આવ્યું સામે આવ્યું છે. માતા પુત્રીની હત્યા ઇન્જેક્શનના ઓવર ડોઝ આપીને કરવામાં આવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર, ભારતીબેનને કાનમાં દુખાવો થતો હોવાથી તેઓ કર્ણ હોસ્પિટલમાં માતા ચંપાબેન સાથે ગયા હતા. ડોક્ટરે કાનના પડદાનું ઓપરેશન કરવા જણાવ્યું હતું અને તેના માટે 30 હજારનો ખર્ચ જણાવ્યો હતો. પૈસા વધારે લાગતા તેઓ ઘરે પરત આવવા નીકળ્યા હતા, આ વાતનો ફાયદો ઉઠાવવા કમ્પાઉન્ડર મનસુખ એક્ટિવ થઈ ગયો હતો. તેને સારવાર માત્ર 5 હજારમાં કરી આપવાની લાલચ આપી હતી.

આ પણ વાંચો SHRADDHA MURDER CASE: આફતાબ અમીન પૂનાવાલાએ પોતાની જામીન અરજી પાછી ખેંચી

પારિવારિક સંબંધી હોવાનું આવ્યું સામે: મળેલી માહિતી અનુસાર કમ્પાઉન્ડર મૃતક ભારતીના સંબંધીઓમાં શામેલ છે. ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ નામની આંખ-નાક-ગળાની હોસ્પિટલ આવેલી છે. એ હોસ્પિટલમાં મનસુખ નામનો કમ્પાઉન્ડર છેલ્લાં 15 વર્ષથી કામ કરે છે. ભારતીબેન અને ચંપાબેન બંને કર્ણ હોસ્પિટલમાં ગયાં ત્યારે ભારતીના કાનમાં પડદામાં ઓપરેશન કરવાની જરૂર હતી. એટલે ડોક્ટર સાથે વાત ચાલતી હતી. ડોક્ટરે કોઈ રકમ વધારે કહી હશે એટલે એ વાતનો ફાયદો ઉઠાવવા મનસુખ એક્ટિવ થઈ ગયો હતો.

Last Updated :Dec 22, 2022, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.