ETV Bharat / state

Rahul Gandhi In Dwarka: રાહુલ ગાંધીએ ભાજપને ગણાવ્યું 'કૌરવ', શ્રીકૃષ્ણ-ગાંધીજીનું ઉદાહરણ ટાંકી આપ્યો સત્ય માટે લડવાનો મંત્ર

author img

By

Published : Feb 26, 2022, 4:28 PM IST

Rahul Gandhi In Dwarka: રાહુલ ગાંધીએ ભાજપને ગણાવ્યું 'કૌરવ', શ્રીકૃષ્ણ-ગાંધીજીનું ઉદાહરણ ટાંકી આપ્યો સત્ય માટે લડવાનો મંત્ર
Rahul Gandhi In Dwarka: રાહુલ ગાંધીએ ભાજપને ગણાવ્યું 'કૌરવ', શ્રીકૃષ્ણ-ગાંધીજીનું ઉદાહરણ ટાંકી આપ્યો સત્ય માટે લડવાનો મંત્ર

દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ (Rahul Gandhi In Dwarka) ભાજપને કૌરવ અને કોંગ્રેસને પાંડવ ગણાવી હતી. તેમણે કહ્યું કે લાકડી ખાવાનું કામ હોય કે પછી સંઘર્ષ કરવાનું કામ હોય, જે તૈયાર હોય તેનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત છે.

દ્વારકા: ગુજરાત કોંગ્રસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી (Rahul Gandhi in GPCC Chintan Shibir) પણ દ્વારકા આવ્યા છે. રાહુલ ગાંધી દ્વારકા (Rahul Gandhi In Dwarka)માં આવેલા હેલિપેડ ખાતે ઉતર્યા હતાં અને ત્યાંથી ભગવાન દ્વારકાધિશ દર્શનાર્થે પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીના સ્વાગત માટે હેલિપેડ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર,અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓ પહોંચ્યા હતાં. હેલિપેડથી રાહુલ ગાંધી સવપ્રથમ દ્વારકાધીશ દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતાં.

રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું ગુજરાત આવું છું ત્યારે સારું લાગે છે.

ગુજરાત આવું છું ત્યારે સારું લાગે છે

ચિંતન શિબિરમાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું ગુજરાત આવું છું ત્યારે સારું લાગે છે. દરેક વખતે કંઇક શીખવા મળે છે. ગુજરાતીઓ કંઇક યુનિક કામ કરે છે. તમણે કોંગ્રેસના કાર્યકર્તાઓ (Congress Workers Gujarat) સાથે વાત કરતા જણાવ્યું કે, આપણી પાર્ટી ગુજરાતથી ઉદ્ભવી. મારા પરદાદા ગાંધીજી સાથે સંકળાયેલા હતાં.

કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે, તમારે સચ્ચાઈની લડાઈ લડવી હશે તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તમારે સચ્ચાઈની લડાઈ લડવી છે કે જુઠ્ઠી? ગાંધીજીના ફોટો તરફ ઇશારો કરતા રાહુલે કહ્યું કે, સચ્ચાઈ આવી હોય છે. ગાંધીજીએ સચ્ચાઈના વિચારને આગળ લાવવા માટે મહત્વનું કામ કર્યું. ગુજરાત પાસે ગાંધીજીના વિચાર છે. દ્વારકા આવેલા રાહુલ ગાંધીએ કૃષ્ણનું એક ઉદાહરણ (shri krishna duryodhan samvad) પણ ટાંક્યું. તેમણે કહ્યું કે, કૃષ્ણએ પૂછ્યું હતું કે દુર્યોધન શું જોઇએ છે સૈનિક કે કૃષ્ણ? આ ઉદાહરણ ટાંકીને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, શ્રીકૃષ્ણ સત્ય સાથે હતા અને તેમની સેના જૂઠ સાથે હતી.

આ પણ વાંચો: LIVE : દેવભૂમિ દ્વારકા ખાતે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ચિંતન શિબિર

ભાજપનું નામ લીધા વગર કહ્યું - તેમની પાસે સેનારૂપે ED, CBI અને મીડિયા

ભાજપનું નામ લીધા વગર રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે પણ તેમની સાથે સેનારૂપે ED, CBI, મીડિયા તમામ છે. આપણી પાસે કશું નથી. તમારે સચ્ચાઈની લડાઈ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઇને પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહીં. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તેમણે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, તમે અહીં લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, અહીંયા તોફાન લાવવા માટે 25-30 વ્યક્તિની જ જરૂર છે. ખાલી આપણે 25 લોકો મન બનાવી લઇએ તો ભાજપનો સફાયો થઈ શકે છે. મારે 25 પણ નહીં, 5 જ વ્યક્તિ જોઇએ છે. આ ભીડમાંથી જ 25 વ્યક્તિ શોધવાના છે.

સંઘર્ષ કરવા તૈયાર હોય તેનું પાર્ટીમાં સ્વાગત છે

રાહુલે કહ્યું કે, કોંગ્રેસ નેતા પક્ષપલટો કરે એ કમજોરી છે. કોઇપણ મોટો નેતા હોય તેણે જો પાર્ટીની મર્યાદા તોડી (congress party groupism in gujarat) તો પાર્ટીને તેની જરૂર નથી. પાર્ટીના પ્રમુખ જે કામ સોંપે એ કરવા તૈયાર હોવ તો પાર્ટીમાં આવો. લાકડી ખાવાનું કામ હોય કે પછી સંઘર્ષ કરવાનું કામ હોય, જે તૈયાર હોય તેનું પાર્ટીમાં સ્વાગત છે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી સામે પ્રસ્તાવ કે પછી તેઓ સંગઠનની ચૂંટણી લડે તે પ્રક્રિયાને બદલે નવા યુવાનોને પાર્ટીની જવાબદારી મળે તે જરૂરી છે.

આ પણ વાંચો: Rahul Gandhi at GPCC Chintan Shibir: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં ચિંતન શિબિરમાં આવ્યાં, દ્વારકાધીશના દર્શન કર્યાં

ગુજરાત મોડેલમાં બેડ અને ઑક્સિજન કેમ ન મળ્યા?

તેમણે કહ્યું કે, કોઇને હાથ જોડવા-પગ પકડવાનું કામ આપણું નથી. એ કરવાનું કામ ભાજપનું છે. જે વ્યક્તિ કામ કરતા હોય તેમને આગળ લઇ જાઓ, કામ ન કરતા હોય એમને પાછળ મુકી દો. જે ACમાં બેસીને વાતો કરે છે તેમને પેક કરીને ભાજપને આપી દો. તો કોરોના મહારમારી (Corona In Gujarat)ને લઇને પણ કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કોરોનાના કારણે ગુજરાતમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા. ગુજરાત મોડેલની વાત કરવામાં આવે છે, તો ગુજરાત મોડેલમાં બેડ અને ઑક્સિજન (Oxygen Shortage Gujarat) કેમ ન મળ્યા? રાહુલે કહ્યું કે, ગુજરાતની તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો હતા. નરેન્દ્ર મોદીએ આ તાકાત તોડી નાંખી. તેમણે કહ્યું કે, 5 લોકો જ ગુજરાત ચલાવે છે.

ગુજરાતની જનતા ટેલેન્ટેડ છે

તેમણે ચિંતન શિબિરમાં ઉપસ્થિત કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તમારું જ સંગઠન છે. કોંગ્રેસ પાર્ટીને સાંભળવાનું કામ ગુજરાતની જનતાનું છે. ગુજરાતની જનતા ટેલેન્ટેડ છે. દેશના ખૂણે ખૂણામાં ગુજરાતી વસે છે. ગુજરાતની જનતા, ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના NRIએ ગુજરાત માટે વિઝન નક્કી કરવાનું છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ પોતાના સંબોધનમાં ગુજરાતમાં ડ્ર્ગ્સ, કેમિકલ માફિયા, ખેડૂતોની વેરાન જમીન, કોરોનાકાળમાં સર્જાયેલી સ્થિતિ જેવા મુદ્દાઓને લઇને પણ વાત કરી હતી.

ચૂંટણી લડવાની પ્રક્રિયા બદલવી પડશે - રઘુ શર્મા

તો ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, લડાઈ કરવાનું દમખમ હોય એ જ કોંગ્રેસમાં હોદ્દેદાર બને અને પોતાનો બાયોડેટા આપે. તેમણે રાહુલ ગાંધીને સંબોધીને કહ્યું કે, ચૂંટણી લડવાની પ્રક્રિયા બદલવી પડશે. 2017માં તમે 40 દિવસ આપ્યા ગુજરાતને, પરિણામ શું આવ્યું. 12 સીટોથી રહી ગયા. નવું લોહી જોઇશે. હું અને પ્રમુખ બંને નવા ચહેરાઓ શોધી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, ટિકિટ વહેંચણી માટે દિલ્હીની જગ્યાએ અહીંથી જ નક્કી થાય તો રાહત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.