ETV Bharat / city

Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

author img

By

Published : Feb 24, 2022, 6:22 PM IST

યુક્રેનની યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં સપડાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ અને નાગરિકોને પરત લાવવાની ચિંતા વચ્ચે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંકલનમાં પ્રયાસો કરી રહી છે. પ્રવક્તા પ્રધાને (Gujarati trapped in Ukraine) જાણો શું કહ્યું.

Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ
Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં અત્યારે એક જ સમાચાર સામે આવી રહ્યાં છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ યુદ્ધ થઈ રહ્યું છે. આ યુદ્ધમાં અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે. યુક્રેનમાં એમબીબીએસના અભ્યાસ કરવા માટે વધુ પ્રમાણમાં ગુજરાતી વિદ્યાર્થીઓ જતા હોય છે. આવા અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા (Gujarati trapped in Ukraine)છે એ બાબતે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારો સાથેની (Spokesperson Minister Rajendra Trivedi ) વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે અને તેઓને પાછા લાવવાના પ્રયાસો (Efforts to bring back Gujaratis from Ukraine ) શરૂ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંકલનમાં પ્રયાસો કરી રહી છે

એરસ્પેસ થઈ બંધ

રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત સહિત દેશના તમામ રાજ્યના નાગરિકો અને વિદ્યાર્થીઓ ફસાયા (Gujarati trapped in Ukraine)હોવાની વિગતો સામે આવી છે. જેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે પણ એક કંટ્રોલ રૃમ તૈયાર કર્યો છે. જેમાં તમામ લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે વધુમાં જણાવતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે અને મળતી માહિતી પ્રમાણે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે તેથી એસ પણ બંધ કરવામાં આવ્યો છે. પરંતુ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં રહીને તમામ લોકોને પરત લાવવાના(Efforts to bring back Gujaratis from Ukraine) પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના તમામ અધિકારીઓ એક્ટિવ

રાજ્યના પ્રવક્તા પ્રધાનેે વધુમાં જણાવ્યું હતું કે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યના તમામ અધિકારીઓને કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ અધિકારીઓ કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે.

આ પણ વાંચોઃ Ukraine Russian Crisis: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સુખદ અંતની આશામાં યુક્રેનના નાગરિક

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે લખ્યો પત્ર

રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અને નાગરિકો યુગમાં ફસાયા છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે (પાટણના કોંગ્રેસ ધારાસભ્યે પીએમને લખ્યો પત્ર) પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગુજરાતના વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની માગ કરી છે. કિરીટ પટેલે પોતાના પત્રમાં લખ્યું છે કે 20 વિદ્યાર્થીઓ પાટણ શહેરના 150 વિદ્યાર્થીઓ પાટણ જિલ્લાના અને 2000થી વધુ વિદ્યાર્થીઓ ukraine ખાતે અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતના પુત્ર તરીકે તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમામ પ્રકારની વ્યવસ્થા કરીને આ તમામ વિદ્યાર્થીઓને ઇન્ડિયન એમ્બેસીની મદદથી સલામત સ્થળે (Gujarati trapped in Ukraine)રાખીને તમામ લોકોને સ્પેશિયલ ફ્લાઈટમાં ગુજરાત (Efforts to bring back Gujaratis from Ukraine )લાવવામાં આવે.

આ પણ વાંચોઃ તમારા સંબંધી યુક્રેનમાં ફસાયેલા હોય તો સંપર્ક કરો: ભારતીયો માટે સરકારે હેલ્પલાઈન જાહેર કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.