ETV Bharat / state

દાહોદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વીજ બિલને લઇને મહત્ત્વની વાત કહી, બીજું શું કહ્યું જૂઓ

author img

By

Published : Oct 8, 2022, 7:54 PM IST

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દાહોદમાં જાહેર સભા ( Delhi CM Arvind Kejriwal public meeting in Dahod ) યોજવામાં આવી હતી. જેમાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી. દાહોદમાં અરવિંદ કેજરીવાલનું ચૂંટણી વચન સાંભળવા મળ્યું હતું. જેમાં તેમણે ગુજરાતમાં વીજ બિલને લઇને મહત્ત્વની વાત ( Free Electricity in Gujarat ) કહી હતી.

દાહોદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વીજ બિલને લઇને મહત્ત્વની વાત કહી, બીજું શું કહ્યું જૂઓ
દાહોદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વીજ બિલને લઇને મહત્ત્વની વાત કહી, બીજું શું કહ્યું જૂઓ

દાહોદ શહેરમાં આવેલી નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જાહેર સભા ( Delhi CM Arvind Kejriwal public meeting in Dahod )યોજાઈ હતી. તેમની સાથે પંજાબ સીએમ ભગવંત માન પણ હતાં. ભગવત માને ભાજપ સરકારને ભ્રષ્ટાચારી સરકાર ગણાવી આકરા પ્રહાર કર્યા હતાં. તો કેજરીવાલે સેન્ટ્રલ આઇબીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી હોવાનો રિપોર્ટ ( Survey of Gujarat by Central IB ) આપ્યો હોવાનું જણાવ્યું છે. દાહોદમાં અરવિંદ કેજરીવાલનું ચૂંટણી વચન સામે આવ્યું છે કેે ગુજરાતમાં સરકાર બનતાની સાથે ભ્રષ્ટાચારમુક્ત સરકાર બનાવશે અને ગુજરાતની જનતાને 10 વર્ષ મફત વીજળી ( Free Electricity in Gujarat ) આપશે.

ભાજપ સરકારને ભ્રષ્ટાચારી સરકાર ગણાવી આકરા પ્રહાર કર્યા

આઈબી રીપોર્ટ દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન પર વિશાળ જનમેદની સંબોધતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ( Delhi CM Arvind Kejriwal public meeting in Dahod ) જણાવ્યું હતું કે 'સરકારે સેન્ટ્રલ આઇબી દ્વારા ગુજરાતનો સર્વે (Survey of Gujarat by Central IB) કરાવ્યો હતો. જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.. આમ આદમી પાર્ટીની 94થી 95 બેઠકો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે. થોડી વધુ મહેનત કરીશ તો દિલ્હી અને પંજાબ કરતા વધુ સીટોથી આપણે જીતીશું. 1 ડિસેમ્બરે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને સરકાર બન્યા પછી ગુજરાતમાં સૌથી પહેલાં ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું.'

ભ્રષ્ટાચાર નાબૂદીનું વચન ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સરકાર બન્યા બાદ સૌથી પહેલા ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું તેમ કહેવાની સાથે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ( Delhi CM Arvind Kejriwal public meeting in Dahod ) જણાવ્યું કે 'ગુજરાતમાં એક એમએલએ ગયા વખતે ઇલેક્શન લડ્યો ત્યારે તેની પાસે ચાર એકર જમીન હતી હવે તેની પાસે પાંચ વર્ષમાં 1000 એકર જમીન છે આ ક્યાંથી આવી. સરકારના લૂંટેલા રૂપિયાનો હિસાબ લઈ લૂંટાયેલા તમામ રૂપિયા કવર કરીને ગુજરાતની જનતાને 10 વર્ષ વીજળી મફત ( Free Electricity in Gujarat ) આપવામાં આવશે'.

10 વર્ષ સુધી મફત વીજળી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે( Delhi CM Arvind Kejriwal public meeting in Dahod ) જણાવ્યું કે 'ગુજરાત સરકાર દર વર્ષે અઢી લાખ કરોડ રૂપિયા ખર્ચ કરે છે 27 વર્ષમાં આ લોકોએ કોઈ કામ કર્યા નથી. આ ખર્ચ ક્યાં કરે છે. આ લોકો પોતાની પ્રોપર્ટીઓ બનાવી રહ્યાં છે. તેમાં સ્વિસ બેંકમાં નાણા લઈ જઈ તેમજ પરિવારના નામે જમીનનો પ્રોપર્ટી ખરીદી રહ્યા ( Kejriwal allegation against BJP ) છે. આમ આદમી પાર્ટી સરકાર બનાવશે ત્યારે આ લોકો પાસેથી તમામ હિસાબો સાથે એક એક પૈસો વસૂલવામાં આવશે. જેનાથી ગુજરાતની જનતાને 10 વર્ષ સુધી મફત વીજળી ( Free Electricity in Gujarat ) આપવામાં આવશે. જેટલું અંગ્રેજોએ 200 વર્ષમાં નહોતું લૂટ્યું તેટલું આ લોકોએ લૂંટી લીધું છે.'

ગુજરાતમાં વીજ બિલને લઇને મહત્ત્વની વાત કહી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ( Delhi CM Arvind Kejriwal public meeting in Dahod ) જણાવ્યું કે 'દિલ્હી અને પંજાબમાં મફત વીજળી આપવાનું શરૂ કર્યું છે દિલ્હીમાં 42 લાખ અને પંજાબમાં 50 લાખ વીજ બિલો ઝીરો આવી રહ્યા છે. ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાને ઝીરો વીજળી બિલ ( Free Electricity in Gujarat ) આવશે. 18 વર્ષ કરતાં વધુ ઉંમરની માતા બહેનોના એકાઉન્ટમાં એક હજાર રૂપિયા આપવામાં આવશે અને ગુજરાતમાં દસ લાખ બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવામાં આવશે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.