ETV Bharat / state

Dahod Accident: અલીરાજપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 12:48 PM IST

Updated : Oct 10, 2023, 9:01 PM IST

ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામે ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા હતો. જેમાં રિક્ષામાં સવાર 6 મુસાફરોના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. એકજ પરીવારના 6 લોકોના મોતથી ગામમાં માતમ છવાઈ જવા પામ્યો છે. જ્યારે ગરબાડા પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat

દાહોદ : ગરબાડાથી અલીરાજપુર હાઇવે પર અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ફરી એક વખત દાહોદ અલીરાજપુર હાઇવે ઉપર ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામે તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. એકજ પરિવારના સભ્યોના મોતને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર પહોંચેલ પોલીસે 108 મારફતે મૃતદેહોને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં. ત્યારે આ ઘટનામાં ચાલકને ઈજા પહોંચતાં તેને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

એક પરિવારના 6 લોકોના મોત થયા : ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના ગરગાડી ફળિયાના પરિવારજનો મજૂરી કામે રાજકોટ ગયા હતા અને આજરોજ સવારમાં અંગત કામ માટે પરત વતન આવી રહ્યા હતા. ગરબાડાથી રિક્ષામાં બેસી ઘરે જતા હતા ત્યારે સવારના 7 વાગ્યાના સુમારે પાટિયાઝોલ ગામના તળાવ પાસે આવતા ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

  • મૃતકોની યાદી
  1. નરેશભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ. 35
  2. પવનભાઈ કેશુભાઈ કટારા ઉ.વર્ષ. 32
  3. રાઘવભાઈ પવનભાઇ કટારા ઉ.વર્ષ 9
  4. મુકેશભાઈ મૂડીયાભાઈ કટારા ઉ.વર્ષ 38
  5. કેવનભાઈ ઈશ્વરભાઈ કટારા ઉ.વર્ષ 22
  6. રેખાબેન ઈશ્વરભાઈ કટારા ઉ.વર્ષ 32

ઝરી બુઝર્ગ ગામના ગરગાડી ફળિયાના પરિવારજનો રાજકોટ તરફની રોજગારી મેળવી પોતાના વતને આવી રહયા હતા. તે સમયે ગરબાડાથી રિક્ષામાં બેસીને ગામ તરફ આવતી વેળાએ પાટિયા ઝોલ ગામે તળાવ નજીક ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં પરીવાર 6 સભ્યોના કરૂણ મોત નિપજયા હતા. અમે પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લાની અંદર ગરબાડાથી અલીરાજપુર તરફ જતા રસ્તામાં અવારનવાર અકસ્માતો નોંધાતા રહે છે. જેનું મુખ્ય કારણ રસ્તાની અંતરે આવતા ભયજનક વળાંકો છે. - ગામના આગેવાન કમલેશ માવી

  1. Jamnagar Accident : ચંગા પાટીયા પાસે જીવલેણ અકસ્માત, બે કાર ધડાકાભેર અથડાતા દંપતિનું કરુણ મોત
  2. Uttarakhand Accident: ઉત્તરાખંડના નૈનીતાલમાં બસ ખાડામાં પડી, 7ના મોત, 26 ઘાયલ
Last Updated : Oct 10, 2023, 9:01 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.