ETV Bharat / state

ડાયમન્ડ એસોસિએશને લીધો 10 દિવસ સુધી હીરાબજાર અને કારખાના બંધનો નિર્ણય

author img

By

Published : Apr 19, 2021, 6:17 PM IST

બોટાદ ડાયમન્ડ એસોસિએશન દ્વારા 10 દિવસ સુધી હીરાના કારખાના અને હીરાબજારની તમામ ઓફિસો બધ રાખવાનો નિણર્ય લેવાયો છે. સતત વધી રહેલા કોરોના સક્રમણને રોકવા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.

બોટાદ
બોટાદ

  • 30 એપ્રિલ સુધી હીરાબજારનું તમામ કામકાજ બંધ રહેશે
  • 10 દિવસ માટે કારખાના અને હીરાની ઓફિસો રહેશે બંધ
  • કોરોનાની ચેન તોડવા લોકડાઉનનો લેવાયો નિર્ણય

બોટાદ: શહેર અને જીલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોના પગલે લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. સતત આવી રહેલા પોઝિટીવ કેસોનું સક્રમણ રોકવા સ્વૈચ્છીક લોકડાઉન એ જ એકમાત્ર ઉપાય છે. ત્યારે બોટાદ ડાયમન્ડ એસોસિએશનના હીરાબજાર ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સતત વધી રહેલા કેસોના પગલે ચર્ચાઓ થઈ હતી.

હીરાબજાર અને કારખાના બંધ

આ પણ વાંચો:ધોરાજી સજ્જડ બંધ: વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા શનિવાર અને રવિવારે બજાર સ્વયંભૂ બંધ

બોટાદ ડાયમન્ડ એસોસિએશનની બેઠક યોજાઈ

બેઠકમાં ડાયમન્ડ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ ધોળું અને અન્ય હોદ્દેદારો દ્વારા આગામી 10 દિવસ માટે હીરાબજારની તમામ ઓફિસો અને હીરાના તમામ કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 એપ્રિલથી 30 તારીખ સુધી હીરાબજારનું તમામ કામકાજ બંધ રહેશે. હવે કોરોનાની ચેન તોડવા માટે સ્વૈચ્છાએ લોકડાઉન તરફ લોકો વળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.