ETV Bharat / state

હાશકારો, પાલીતાણામાં આદિનાથ દાદાના પગરખાં ખંડિત કરનાર ઝડપાયો

author img

By

Published : Dec 24, 2022, 8:23 PM IST

ભાવનગરના જૈન તીર્થ નગરી પાલીતાણાના રોહિશાળામાં (jain community protest in Palitana) આદિનાથ દાદાના પગરખાં ખંડિત કરનારને પોલીસે ઝડપી લીધો છે. વિરોધ વંટોળ વચ્ચે પોલીસને પગરખાં ખંડિત કરનારને ઝડપી લેતા હાશકારો થયો છે. (Adinath Dada shoes broken in Rohishala)

હાશકારો, પાલીતાણામાં આદિનાથ દાદાના પગરખાં ખંડિત કરનાર ઝડપાયો
હાશકારો, પાલીતાણામાં આદિનાથ દાદાના પગરખાં ખંડિત કરનાર ઝડપાયો

ભાવનગર : પાલીતાણામાં રોહીશાળામાં આદિનાથ દાદાના પગરખા ખંડિત કરનાર (jain community protest in Palitana) અસામાજિક તત્વોને લઈને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો.જૈન સમાજમાં આદિનાથ દાદાના પગરખા ખંડિત થતાં લાગણી દુભાઈ હતી. જેને લઈને સમાજનો ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો. ત્યારે પાલીતાણા રૂરલ પોલીસે પગરખા ખંડિત કરનાર શખ્સને ઝડપીને સમગ્ર વિરોધ પર પૂર્ણવિરામ મૂક્યો છે. (Adinath Dada shoes broken in Rohishala)

જૈન સમાજે પગરખાં ખંડિત કરતા કર્યો હતો વિરોધ ભાવનગર જિલ્લાનું પાલીતાણા જૈન તીર્થ નગરીમાં આદિનાથ દાદાના રોહીશાળા ગામે કોઈ અસામાજિક તત્વોએ આદિનાથ દાદાના પગરખા ખંડિત કરી નાખતા વિરોધનો વંટોળ ઊભો થયો હતો. તાજેતરમાં પાલીતાણામાં જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી પણ યોજવામાં આવી હતી. તેમજ શેત્રુંજી પર્વત તેમજ આદિનાથ દાદાના પગરખાં ખંડિત કરવા જેવા મુદ્દાઓને પગલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્યના ગ્રહપ્રધાન એક્શનમાં આવતા પોલીસે કામગીરી ઝડપથી હાથ ધરી હતી. (Palitana Jain Pilgrimage)

આ પણ વાંચો બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર સામે પગલાં લેવા પાલીતાણામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા

પોલીસે ઝડપ્યો પગરખાં ખંડિત કરનાર શખ્સ જૈન સમાજના દેવાલયને ટાર્ગેટ કરવાને પગલે કેટલાક આંતરિક વિવાદો પણ ઊભા થયા હતા. જેમાં હિન્દુના બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પણ ઉભું થયું હતું. પરંતુ જ્યારે પાલીતાણા રૂરલ પોલીસે રોહીશાળામાં આદિનાથ દાદાના પગરખા ખંડિત કરનાર શખ્સને ઝડપી લેતા સમગ્ર વિરોધના વંટોળ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. પાલીતાણા રૂરલ પોલીસે ગેમા ગોહિલને ઝડપી પાડ્યો છે. (Palitana Adinath Dada)

આ પણ વાંચો જૈન મંદિરમાં હુમલા વિરોધમાં ડીસામાં રેલી,નાયબ કલેકટરને આવેદનપત્ર

કોણ છે પગરખાં ખંડિત કરનાર શખ્સ પાલીતાણા રૂરલ પોલીસે રોહિશાળા ગામના મૂળ રહેવાસી ગેમા ઉર્ફે પીન્ટુ ગોહિલને (27 વર્ષિય) શંકાના આધારે ઝડપ્યો હતો. હ્યુમન સોર્સ અને ટેકનિકલ રીતે પૂછપરછ કરતા ગેમાએ કબૂલાત આપી હતી કે, તેઓ રોહીશાળામાં આવેલા આદિનાથ દાદાના મંદિરમાં ચોરી કરવા માટે ગયો હતો. પરંતુ કશું નહીં મળતા અકળાઈને તેને પથ્થરથી આદિનાથ દાદાના પગરખાં પર ટોચના માર્યા હતા. ગેમા ઉર્ફે પિન્ટુ ગોહિલ હાલ પાલીતાણાના ભૂંદરખા ગામે રહે છે. પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ખોલીને ગેમા ગોહિલને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Jain community rally in Palitana)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.