ETV Bharat / state

જૈન મંદિરમાં હુમલા વિરોધમાં ડીસામાં રેલી,નાયબ કલેકટરને આવેદનપત્ર

author img

By

Published : Dec 22, 2022, 5:22 PM IST

ડીસામાં જૈન મંદિરમાં હુમલાના (Rally against attack on Jain temple in Disa)વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ પહેલા પાલીતાણા જૈન મંદિરમાં તીર્થધામ શેત્રુંજય પર્વત પર (tirth dham shatrunjay parvat) તોડફોડ કરવામાં આવી હતી.

જૈન મંદિરમાં હુમલાના રોષના વિરોધમાં ડીસામાં યોજાઇ રેલી
જૈન મંદિરમાં હુમલાના રોષના વિરોધમાં ડીસામાં યોજાઇ રેલી

જૈન મંદિરમાં હુમલાના રોષના વિરોધમાં ડીસામાં યોજાઇ રેલી

બનાસકાંઠા ડીસામાં જૈન મંદિરમાં હુમલાના વિરોધમાં (Rally against attack on Jain temple in Disa) રેલી યોજાઇ હતી. ત્રણ દિવસ પહેલા પાલીતાણા જૈન મંદિરમાં હુમલાની ઘટના બની હતી. જેના વિરોધમાં ડીસા સમસ્ત જૈન સમાજ દ્વારા ગીરીરાજ રક્ષા રેલીનું (tirth dham shatrunjay parvat) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ (Protests in the Jain community) રેલીમાં જોડાણા હતા. તમામે મળીને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. હુમલાખોરો સામે કડક કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

વિરોધ પ્રદર્શન પાલીતાણામાં બનેલી આ ઘટનાને લઇ સમગ્ર જૈન સમાજમાં વિરોધ (Jain Samaj Palitana) પ્રદર્શન જોવા મળી રહ્યું છે.પાલીતાણા જૈન મંદિરમાં (Palitana Jain Temple) અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી હતી.તીર્થધામ શેત્રુંજય પર્વત પર (tirth dham shatrunjay parvat) તોડફોડ કરવામાં આવી હતી. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી રહી છે.

રેલી નીકળી આ રેલીમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો પોતાની માંગણીઓને લઈ જોડાયા હતા. જે રેલી શહેરના ભગવતી શો રૂમ,ફુવારા સર્કલ, બગીચા સર્કલ,મામલદાર રોડ થઈ નાયબ કલેકટર કચેરી પહોંચી હતી. જ્યાં જૈન સમાજ દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ પાલીતાણામાં મંદિરમાં હુમલો કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે આજે ડીસામાં જૈન સમાજ દ્વારા તમામ ધંધા રોજગાર એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. જેના કારણે બચારો પણ સૂમસામ જોવા મળી હતી.

તીર્થધામ શેત્રુંજય પર્વત જૈન સમાજના અગ્રણીઓનું નિવેદનઆ તકે જૈન સમાજના અગ્રણીઓ જણાવ્યું હતું કે, પાલીતાણા ખાતે આવેલ જૈન સમાજના તીર્થધામ શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તેમજ જૈન સમાજના સાધુ-ભગવતો અને યાત્રાળુ ઉપર પણ અમુક આવરા તત્વો હુમલા કરતા હોવાથી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી આ તીર્થધામ ખાતે જૈન સમાજ સુરક્ષિત રહે તે માટે આવારા તત્વો સામે સખત કાર્યવાહીની માંગ સાથે આજે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ રેલી કાઢી આવેદન આપી અને તેમ છતાં કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.