ETV Bharat / state

ભાવનગરમાં અગરિયાઓની પાણીની લાઈનની માગ: તંત્રની એકબીજાને ખો

author img

By

Published : Feb 11, 2020, 5:58 PM IST

જિલ્લાના છેવાડે કુંભારવાડા પાછળ આવેલા 12 જેટલા અગરિયામાં કામ કરતા આશરે 1500 થી 2000 મજૂરોને પાણીની સમસ્યા છે. જે મામલે લાઇન નાખવા તંત્રને અનેક રજૂઆતો કરી છે. ત્યારે પાણી પુરવઠા બોર્ડ, કલેકટર અને મનપા અમને ખબર નથી અને અમારામાં આવતું નથી. તેવા જવાબ આપી એકબીજાને ખો આપી રહ્યા છે. વર્ષોની માગ છતાં તંત્રને ખ્યાલ નથી તો આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે અને કોણ લઇ આવશે.

અગરિયાઓની પાણીની લાઈનની માગ
અગરિયાઓની પાણીની લાઈનની માગ

ભાવનગર: જિલ્લાને છેવાડે કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલા અગરિયાઓમાં કામ કરતા આશરે 2000 લોકો પાણી માટે હજુ ટેન્કર પર નભી રહ્યાં છે. એસોસિયેશન અને અગરિયાના લોકોએ રજૂઆત કરી પાણીની લાઈનની માગ કરી છે. તો તંત્રને એ જ ખબર નથી કે, લાઇન નાખવાની જવાબદારી કોની છે ?

છેવાડે ખાર વિસ્તારમાં 12 થી 13 એવાં અગરિયાઓ છે. જેમાં કામ કરતા લોકોને આજદિન સુધી પાણી માટે વલખા મારવા પડે છે. આશરે 12થી 13 અગરિયા માલિકોએ એસોસિયેશન દ્વારા રજુઆત કરી છે કે તેમને પાણીની લાઇન આપવામાં આવે, પરંતુ આજે પણ પાણીના ટેન્કર લઇ આવીને અગરિયામાં કામ કરતા 1500 જેટલા લોકોને ટેન્કરના પાણી પર નભવું પડે છે. અગરીયા માલિકનું કહેવુ છે કે, ઉનાળામાં કપરી હાલત થાય છે. આ તો શિયાળામાં પણ તકલીફ ઊભી થઇ છે.

અગરિયાઓની પાણીની લાઈનની માગ

અગરિયામાં કામ કરતા લોકોને ક્ષારમાં એટલે કે મીઠામાં કામ કરવાનું હોઈ છે. શરીરને બહારથી મીઠાથી તકલીફ થતી હોય છે પણ જો અંદર શરીરને શુદ્ધ પાણી ન મળે એટલે કે નળનું મીઠું પાણી ન મળે તો શારીરિક તકલીફો વધે છે. વોટર ટેન્કરના કારણે ક્યારેક ઝાડા ઉલટી, તાવ અને શરીરમાં ચામડીના રોગો થઈ રહ્યા છે. મજૂરોની તકલીફને પગલે પાણીની લાઇન નાખવાની જવાબદારી કોની તે માટે અમે પાણી પુરવઠા અધિકરીને, મનપાને અને છેલ્લે કલેકટરને પૂછ્યું તો બધાએ ઉડાઉ જવાબ આપ્યા હતાં. કલેકટરના કહેવા મુજબ કે મારી પાસે રજૂઆત આવી નથી. જો કે એસોસિએશનને પૂછતાં પ્રમુખે કહ્યું હતું કે માગ જૂની છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી.

તમામ મુદ્દાઓનો જવાબ આપવાના બદલે મારામાં નથી આવતું કહીને હાથ ઊંચા કરવા એ સ્પષ્ટ કરે છે. રામ રાજ્યના ભરોસે કામ સરકારી તંત્રમાં ચાલી રહ્યા છે.

Intro:અગરિયાઓને પાણીની તકલીફ તો લાઇન નાખવાની જવાબદારી કોની : તંત્રની ખો


Body:ભાવનગરના છેવાડે કુંભારવાડા પાછળ આવેલા 12 જેટલા અગરિયામાં કામ કરતા આશરે 1500 થી 2000 મજૂરોને પાણીની સમસ્યા છે લાઇન નાખવા રજૂઆતો એસોસિયેશન કરી ચૂક્યું છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ, કલેકટર અને મનપા અમને ખબર નથી અને મારામાં આવતું નથી તેવા જવાબ આપી એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે વર્ષોની માંગ છતાં તંત્રને ખ્યાલ નથી.


Conclusion:એન્કર - ભાવનગરના છેવાડે કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલા અગરિયાઓમાં કામ કરતા આશરે 2000 લોકો પાણી માટે હજુ ટેન્કર પર નભી રહ્યા છે એસોસિયેશન અને અગરિયાના લોકોએ રજુઆત કરી પાણીની લાઈનની માંગ કરી છે તો તંત્રને એ જ ખબર નથી કે લાઇન નાખવાની જવાબદારી કોની ?.

વિઓ-1- ભાવનગરના છેવાડે ખાર વિસ્તારમાં 12 થી 13 એવાં અગરિયાઓ છે જેમાં કામ કરતા લોકોને આજદિન સુધી પાણી માટે વલખા મારવા પડે છે આશરે 12 થી 13 અગરિયાઓ માલિકોએ એસોસિયેશન દ્વારા રજુઆત કરી છે કે તેમને પાણીની લાઇન આપવામાં આવે પરંતુ આજે પણ પાણીના ટેન્કર લાવીને અગરિયામાં કામ કરતા 1500 જેટલા લોકોને ટેન્કરના પાણી પર નભવું પડે છે માલિકોબકહે છે કે ઉનાળામાં કપરી હાલત થાય છે ત્યારે શિયાળમાં પણ તકલીફ ઊભી થાય છે.

બાઈટ - રાજેશ મહેતા (અગરિયાના મલિક,ભાવનગર) ચશ્મા વાળા

વિઓ- 2- અગરિયામાં કામ કરતા લોકોને ક્ષારમાં એટલે કે મીઠામાં કામ કરવાનું ચોઈ છે શરીરને બહારથી મીઠાથી તકલીફ થતી હોય છે પણ જો અંદર શરીરને શુદ્ધ પાણીનો મળે એટલે કે નળનું મીઠું પાણીનો મળે તો શારીરિક તકલીફો વધે છે.વટેન્કરના કારણે ક્યારેક ઝાડા ઉલટી, તાવ અને શરીરમાં ચામડીના રોગો થઈ રહ્યા છે મજૂરોની તકલીફને પગલે પાણીની લાઇન નાખવાની જવાબદારી કોની આ માટે અમે પાણી પુરવઠા અધિકરીને, મનપાને અને છેલ્લે કલેકટરને પૂછ્યું તો બધાએ ઉડાઉ જવાબ આપ્યા હતા. કલેકટર તો મારી પાસે રજુઆત આવી નથી કહીને વાતવપુરી કરી દીધી હતી. જો કે એસોણિયેશનને પૂછતાં પ્રમુખે કહ્યું હતું કે માંગ જૂની છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી.

બાઈટ - બાબુભાઇ કોળી (મજૂર,ભાવનગર) વાઇટ શર્ટ

વિઓ-3- અગરિયાઓ માંગ જૂની ચેવપન ઇટીવી ભારતના માધ્યમથી જાણકારી મળ્યા બાદ પણ જવાબદાર અધિકરી મુદ્દાને જાણીને હલ કરશું તેવા જવાબ આપવાનો બદલે મારામાં નથી આવતું કહીને હાથ ઊંચા કરવા એ સ્પષ્ટ કરે છે રામ રાજ્યના ભરોસે કામ સરકારી તંત્રમાં ચાલી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.