ETV Bharat / state

Bhavnagar Rain: ભાલ પંથકના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં, ભારે વરસાદ થાય તો વધી શકે છે સંકટ

author img

By

Published : Jul 7, 2023, 7:06 PM IST

ભાવનગર જિલ્લાના ભાલના ગામડાઓ સંકટમાં મુકાયા છે. જોકે આ ગામડાઓ વરસાદના કારણે નહિ પરંતુ વગર વરસાદે બે કાંઠે આવેલી નદીના કારણે થયું છે. કાળુભાર નદી બે કાંઠે આવતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં કોઝવેના પુલ ઉપરથી નદી વહી હતી. જો હવે ભારે વરસાદ ખાલી ઉપરવાસમાં થાય તો ભાલના ગામડાઓ ઘેર સંકટમાં ઘેરાઈ શકે છે.

bhavnagar-rain-river-water-overflowed-in-the-fields-of-bhal-panthak-danger-may-increase-if-there-is-heavy-rain
bhavnagar-rain-river-water-overflowed-in-the-fields-of-bhal-panthak-danger-may-increase-if-there-is-heavy-rain

ભાલ પંથકના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં

ભાવનગર: ભાલના ગામડાઓ ઉપર વરસાદના પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. નદીઓના નીર ભાલ પંથકમાંથી નીકળતી નદીઓ મારફત દરિયામાં જાય છે. માત્ર એક ડેમના બે દરવાજા ખુલતા ગામડાઓને ફરતા પાણી ફરી વળ્યાં છે. સ્થાનિક તંત્રએ સૂચનાઓ માત્ર આપી છે પણ જો વધુ ઉપરવાસમાં વરસાદ થાય તો ડેમના વધુ દરવાજા ખોલવાની જરૂરિયાત ઉભી થશે અને સંકટ વધશે કેમ જાણો.

ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં
ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં

નદીના નીર ચારેબાજુ ફરી વળ્યાં: ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના ભાલ પંથકમાં આવેલા ગામડાઓમાં વરસાદી પાણી નદીઓ મારફત આવે છે. આ ભાલ પંથકના ગામડાઓમાં કાળુભાર, ઘેલો જેવી નદીના પાણી ભાલ પંથકમાં આવીને બાદમાં દરિયામાં ભળી જાય છે. ત્યારે ગુરૂવારના રોજ સાંજે કાળુભાર નદીના ચાર દરવાજા ખોલતાં જ નદી બે કાંઠે વહેવા લાગી હતી. અને તેના નીર ભાલપંથકના ગામડાઓમાં પહોંચ્યા હતા. જેને કારણે નદી ઉપર બાંધવામાં કોઝવેના આવેલા પુલ ઉપરથી પાણી વહેતું જોવા મળ્યું હતું. આમ ડેમના અને નદીના પાણી ભાલ પંથકમાં મોટા પ્રમાણમાં આવતા ભાલ પંથકના ગામડાઓની ચિંતામાં વધારો થયો છે.

ભારે વરસાદ થાય તો વધી શકે છે સંકટ
ભારે વરસાદ થાય તો વધી શકે છે સંકટ

'ડેમના કાલે 6:55 એ ચાર જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા જેને પગલે અમે નદી કાઠેના દરેક ગામડાના તલાટી અને વહીવટદાર હોય તેને જાણ કરી દીધી હતી. તેમાંથી બે દરવાજા બંધ પણ કરી દેવામાં આવ્યા છે જેથી પાણીનો પ્રવાહ પણ ઘટવા લાગ્યો છે. તમે જે પ્રમાણે દ્રશ્યો દર્શાવ્યાએ પ્રમાણે અમે સતત નજર રાખી રહ્યા છીએ. તે પંથકના ગામડાઓના સ્થાનિક અધિકારીઓને સૂચના આપી દીધી છે કે નજર રાખવામાં આવે અને જરૂર પડે જાણ કરતા રહે.' -કાળુભાઈ

ખેડૂતોને પણ નુકસાન: હાલ પંથકના ગામડા જોઈએ તો પાળીયાદ, દેવળીયા, માઢીયા, કાળાતળાવ ખેતાખાટલી અને સનેસ સહિત અન્ય ગામડાઓનો સમાવેશ થાય છે. આ પંથક વિસ્તારમાંથી કાળુભાર નદી અને ઘેલો નદી બંને પસાર થઈને દરિયામાં ભળે છે. હાલમાં કાળુભાર ડેમના માત્ર ચાર દરવાજા ખોલવાને કારણે આ ભાલના ગામડાઓની ફરતે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

ગામડાઓ બેટમાં ફેરવાઈ જશે: હવે વરસાદની આગાહી વચ્ચે જો ઉપરવાસમાં વધુ વરસાદ થાય અથવા તો ભાલ પંથકમાં પણ સારો એવો વરસાદ થાય તો આ ગામડાઓ બેટમાં ફેરવાઈ જશે. જો કે ભૂતકાળમાં ચોમાસામાં ભારે વરસાદના સમયે આ ગામડાઓ બેટમાં ફેરવાતા આવ્યા છે. હાલમાં ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેને પગલે ખેડૂતોને પણ નુકસાન થયું છે.

  1. Jamnagar Rain: જામનગરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની હેલી
  2. Junagadh Monsoon News : મેઘમહેર બાદ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી, આહલાદક દ્રશ્યો સર્જાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.