ETV Bharat / state

ભરૂચના કોવિડ સ્મશાનમાં મૃતદેહના ઢગ ખડકાયા

author img

By

Published : Apr 10, 2021, 4:15 PM IST

કોવિડ સ્મશાનમાં મૃતદેહના ઢગ ખડકાયા
કોવિડ સ્મશાનમાં મૃતદેહના ઢગ ખડકાયા

ભરૂચના કોવિડ સ્મશાનમાં ફરી એકવાર મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો. શુક્રવારની સાંજ સુધીમાં 15 વ્યક્તિઓના મૃતદેહને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો.

  • રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબૂ
  • ભરૂચના કોવિડ સ્મશાનમાં મૃતદેહોનો ખડકલો
  • શુક્રવારની સાંજ સુધીમાં 15 વ્યક્તિઓના અગ્નિ સંસ્કાર

ભરૂચઃ શહેરના એક માત્ર કોવિડ સ્મશાન ખાતે કોરોના સંક્રમિત વ્યક્તિઓના મૃતદેહોને અગ્નિ દાહ આપવામાં આવે છે. ભરૂચ-અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારના મૃતદેહો પણ અહીં લાવવામાં આવે છે. ગુરુવારના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 20 મૃતદેહ આવ્યા હતા. શુક્રવારની સવારથી ફરી એકવાર મૃતદેહો આવવાની શરૂઆત થઇ ગઈ હતી અને શુક્રવાર સાંજ સુધીમાં જ 15 વ્યક્તિઓને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જો કે તંત્રના ચોપડે ગત રોજ 1 મૃત્યુ નોંધાયું હતું. 1 એપ્રિલથી અત્યાર સુધીમાં કોવિડ સ્મશાનમાં જ અંતિમ સંસ્કારનો આંકડો 100ને પાર પહોચ્યો છે.

આ પણ વાંચોઃ ભરૂચના કોવિડ સ્મશાનમાં પિતાની ચિતા સામે દીકરીનું હૈયાફાટ રૂદન


કઈ તારીખે કેટલો મૃત્યુઆંક

  • 1 એપ્રિલ – 4
  • 2 એપ્રિલ – 6
  • 3 એપ્રિલ – 12
  • 4 એપ્રિલ – 11
  • 5 એપ્રિલ – 6
  • 6 એપ્રિલ – 13
  • 7 એપ્રિલ – 16
  • 8 એપ્રિલ – 20
  • 9 એપ્રિલ - 15
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.