ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં BTPના 500 કાર્યકરો ભાજપમાં જાડાયા

author img

By

Published : Jan 19, 2021, 8:23 PM IST

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાયબલ પાર્ટી(BTP) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત BTPને ભારે પડી રહી હોય તેમ જણાઇ રહ્યું છે. મંગળવારના રોજ ઝઘડીયા તેમજ આસપાસના વિસ્તારના 500 જેટલા BTP કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા હતા.

Bhartiya Tribal Party
Bhartiya Tribal Party

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં BTPના 500 કાર્યકરો ભાજપમાં સામેલ
  • BTPનાં આગેવાનો સહિત 500થી વધુ કાર્યકરો ભાજપામાં જોડાતા રાજકારણ ગરમાયું
  • સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

ભરૂચ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલા મંગળવારના રોજ ઝઘડીયા તેમજ આસપાસના વિસ્તારના 500 જેટલા BTP કાર્યકરો ભાજપમાં જોડાઇ ગયા હતા. ભારતીય ટ્રાયબલ પાર્ટી(BTP) અને અસાઉદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વચ્ચે ગઠબંધનની જાહેરાત BTPને ભારે પડી રહી હોય તેમ જણાઇ રહ્યું છે.

Bhartiya Tribal Party
આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો

ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ AIMIM સાથે ગઠબંધન કરતા તેની વિપરિત અસરો જોવા મળી રહી છે. BTPની વોટ બેંક ગણાતા આદિવાસી સમાજમાં જ આ ગઠબંધન પ્રત્યે છૂપો રોષ જોવા મળી રહ્યો છે. એક બાદ એક BTP કાર્યકરો ભાજપનો ભગવો ધારણ કરી રહ્યાં છે. ગત ચૂંટણીઓમાં હારનો સામનો કર્યા બાદ ભાજપ હવે વધુ મજબુત બની ઉભરી રહ્યું છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગઢ ગણાતા ઝગડિયામાં જ BTPના આગેવાનો સહિતના 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયાં છે.

AIMIM સાથે ગઠબંધન કરવાનું BTPને ભારે પડ્યું?

કાર્યકરોએ BTP સાથે છેડો ફાડીને BTPની રિક્ષામાં પંચર પડ્યું હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં BTP અને AIMIM બન્ને ગઠબંધન સાથે ઉતારવાની છે. ત્યારે BTP અધ્યક્ષ અને ધારાસભ્ય છોટું વસવાના મત વિસ્તાર ઝગડિયામાં જ BTPના તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 500થી વધુ કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. ભાજપની નજર BTPની આદિવાસી વોટ બેંક પર રહેલી છે. ત્યારે તેમાં ગાબડૂં પાડવામાં ભાજપના આગેવાનો સફળ થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Bhartiya Tribal Party
કાર્યક્રમ પૂર્વે યોજાયેલી બાઇક રેલીમાં કોરોના ગાઈડલાઇનનો ભંગ

કાર્યક્રમ પૂર્વે યોજાયેલી બાઇક રેલીમાં કોરોના ગાઈડલાઇનનો ભંગ

કાર્યક્રમ પૂર્વે બાઇક રેલી યોજાઇ હતી. જેમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના કાર્યકરો રેલી સ્વરૂપે ઝઘડીયા પહોચ્યા હતા. જોકે, રેલીમાં કાર્યકરોએ માસ્ક પહેરવાનું ઉચિત સમજ્યું ન હતું. આ કાર્યક્રમમાં કાર્યકરોએ માસ્ક તો પહેર્યા હતા પણ તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.