ETV Bharat / state

Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

author img

By

Published : Jan 5, 2022, 9:04 PM IST

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો છે. આજે વાતાવરણના પરિવર્તનને (Unseasonal Rains In Banaskantha) પગલે ખેડૂતોને એકવાર ફરી રવી સીઝનમાં નુકશાની (Rabi Crop 2022 ) સહન કરવાની નોબત આવી છે.

Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
Unseasonal Rains In Banaskantha : હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી (Weather Department Forecast) હવે અસર બતાવવા માંડી છે. આજે વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. વાતાવરણ આવેલા આ પરિવર્તનને પગલે ધરતીપુત્રોને એકવાર ફરી રવી સીઝનમાં (Rabi Crop 2022 ) નુકશાની સહન કરવાની નોબત આવી છે.

કમોસમી વરસાદે મુશ્કેલીમાં વધારો કર્યો

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી. અગાઉ પણ વારંવાર નુકશાનીની થપાટ ખાઈ ચૂકેલા ખેડૂતો માટે હવે હવામાન દુશ્મન બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રવી સિઝન મુખ્ય માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે રવી સિઝનમાં જ વારંવાર બદલાઈ રહેલા હવામાનને પગલે રવી પાક (Rabi Crop 2022 ) ચોપટ થઈ રહ્યો છે. એકવાર ફરી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી (Weather Department Forecast) કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 5 જાન્યુઆરી અને 6 જાન્યુઆરી દરમ્યાન ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહીની અસર આજે વહેલી સવારથી બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી હતી.

કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને ફૂગ નાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ કરી

પાકમાં નુકશાનની ભીતિ

હવામાનમાં ભેજનું પ્રમાણ વધી જવાના લીધે રવી પાકોમાં (Rabi Crop 2022 ) ફૂગજન્ય રોગચાળો ફેલાવવાની દહેશત પરવર્તી રહી છે. ત્યારે કૃષિ નિષ્ણાતો પણ આ અંગે ખેડૂતોને ફૂગ નાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈ ફરી એક વખત માવઠાની આગાહી હવામાન વિભાગ (Weather Department Forecast) દ્વારા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Unseasonal rains in Kutch : ખેડૂતોને ઊભા રવિપાક અને ઘાસમાં નુકસાન થવાની ભીતિ

માર્કેટયાર્ડમાં ખેડૂતોને સૂચના અપાઈ

છુટોછવાયો વરસાદ શરૂ થતાં માર્કેટયાર્ડ કમિશન એજન્ટ તેમજ ખેડૂત મિત્રોને કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈ ખેતપેદાશને નુકસાન ન થાય તે માટે સાવચેતીપૂર્વક તકેદારી રાખવા વિનંતી કરાઇ છે. ખેતપેદાશને યોગ્ય સુરક્ષિત જગ્યાએ મૂકવા તેમજ વેપારી મિત્રોને પોતાનો માલ યોગ્ય જગ્યાએ ઉતારવા વિનંતી કરવામાં આવી છે. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઠંડીનું જોર ઘટ્યું છે.

ડિઝાસ્ટર અધિકારી સંજય ચૌહાણની પ્રતિક્રિયા

આ અંગે ડિઝાસ્ટર અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગની આગાહી (Weather Department Forecast) જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લામાં તારીખ 5 6 અને 7 જાન્યુઆરી 2022 દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા છાંટા પડશે. આ સંદર્ભે કલેકટરના આદેશ અનુસાર જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા જિલ્લા રજિસ્ટર સાહેબની સૂચના અનુસાર આપવામાં આવેલી છે કે કોઈ ગોડાઉનમાં કે બહાર અનાજ પડેલું હોય તો તાત્કાલિક ધોરણે તેને સલામત જગ્યાએ ખસેડવામાં આવે. આ સંદર્ભે કોઈ બનાવ થાય તો તમામ કંટ્રોલ રૂમને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપેલી છે.

આ પણ વાંચોઃ Atmosphere Change In North Gujarat: ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.