ETV Bharat / state

બનાસકાંઠામાં કૃષિ કાયદાના વિરોધમાં ઉતર્યા ખેડૂતો, માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ધમકી

author img

By

Published : Sep 9, 2021, 3:54 PM IST

બનાસકાંઠા જિલ્લામાં આજે ભારતીય કિસાન સંઘે સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. અનેક સમસ્યાઓથી પીડાતા ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યા હલ ન થતા કંટાળેલા ખેડૂતો પાલનપુર કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા. આ સાથે જ સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી હતી.

બનાસકાંઠામાં કૃષિ કાયદાના વિરોધમાં ઉતર્યા ખેડૂતો, માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ધમકી
બનાસકાંઠામાં કૃષિ કાયદાના વિરોધમાં ઉતર્યા ખેડૂતો, માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ધમકી

  • બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ માગણીઓ સાથે વિરોધ દર્શાવ્યો
  • પાલનપુર કલેક્ટર કચેરી આગળ રામધૂન બોલાવી સરકારનો કર્યો વિરોધ
  • ખેડૂતોએ માંગણીઓને પૂર્ણ કરવા જિલ્લા કલેકટર આનંદ પટેલને આપ્યું આવેદનપત્ર
  • માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ખેડૂતોની ચીમકી

બનાસકાંઠાઃ જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. ખાસ કરીને કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કૃષિ કાયદાઓ હેરાન કરી રહ્યા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તે સમયે તેમણે ઉત્તર ગુજરાતની નદીઓમાં નર્મદાનું પાણી લાવવાની જાહેરાત કરી હતી, પરંતુ હજી સુધી પાણી આવ્યું નથી અને દિવસેને દિવસે વરસાદ ઓછો પડતા ઉત્તર ગુજરાતની નદીઓ સુકાઈ ગઈ છે. આ સિવાય થ્રી ફેઝ કનેક્શન પરથી ચાર્જ નાબૂદ કરવા અને સરકારે લાવેલી ટોપ યોજનામાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોનો પણ સમાવેશ થાય તે માટે અનેકવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ સરકારે હજી સુધી ખેડૂતોના પ્રશ્નો મામલે કોઈ જ ધ્યાન આપ્યું નથી કે નથી આ મામલે કોઈ વિચારણા કરી. આથી કંટાળેલા ખેડૂતો આજે પાલનપુર કલેકટર કચેરી આગળ ધરણા પર બેસી ગયા હતા.

ખેડૂતોએ માંગણીઓને પૂર્ણ કરવા જિલ્લા કલેકટર આનંદ પટેલને આપ્યું આવેદનપત્ર
ખેડૂતોએ માંગણીઓને પૂર્ણ કરવા જિલ્લા કલેકટર આનંદ પટેલને આપ્યું આવેદનપત્ર

આ પણ વાંચો- ગુજરાતની ઓપરેશન ગ્રીન ટોપ યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં વિરોધ

ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. સમસ્યાના નિકાલ માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ અનેકવાર સરકાર સામે આંદોલન કર્યા છે. છતાં પણ હજી સુધી ખેડૂતોને કોઈ પ્રકારની માગણીઓ પૂરી કરવામાં આવી નથી. આથી કંટાળેલા ખેડૂતોએ જિલ્લાના કલેકટર કચેરી સામે ધરણાં કર્યા હતા. ધરણાં દરમિયાન જિલ્લાના ખેડૂતોએ રામધૂન બોલાવી સરકારનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. રામધૂન થકી સરકારને તે માટે ખેડૂતોએ આજે કલેકટર કચેરી આગળ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકારનો વિરોધ કર્યો હતો. સરકારને સદબુધ્ધિ આવે અને સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે વિચારણા કરે તે માટે રામધૂન બોલાવી, ભજન સત્સંગ કરી ભગવાનને પ્રાર્થના કરી હતી.

ખેડૂતોએ માંગણીઓને પૂર્ણ કરવા જિલ્લા કલેકટર આનંદ પટેલને આપ્યું આવેદનપત્ર

આ પણ વાંચો- ખેતી કાયદાનો વિરોધ, ચોટીલા થી દિલ્હી સુધી સાયકલ પર યાત્રા કરી રાષ્ટ્રપતિને આવેદન આપવામાં આવશે

સરકારે ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશેઃ ખેડૂતોની ચીમકી

જિલ્લામાં આ વર્ષે વરસાદ નહીવત્ જેટલો વરસાદ થયો છે, જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ તરફ ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે હવે સરકાર ખેડૂતોની સમસ્યા હલ નહીં કરે તો આગામી ચૂંટણીમાં સરકારે ખેડૂતોના રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં. છેલ્લા ઘણા સમયથી સમસ્યાથી પીડાતા ખેડૂતો રામધૂન કરી સરકારનો વિરોધ કરવા મજબૂર બન્યા હતા. આ સાથે જ જો માગ પૂરી નહીં થાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના મુદ્દાઃ

  • એમ.એસ.પી. (MSP)નો કાયદો બનાવી ટેકાના ભાવથી હરાજી કરવી
  • બનાસકાંઠા જિલ્લામાં આવેલ બંધો દોતીવાડા બંધ સિપુ બંધ મુક્તેશ્વર બંધ અને ધાનેરા રેલ નદી નહેર દ્વારા પાણીથી ભરીને નદીઓ ને જ સજીવન કરવી
  • બનાસ નદીમાં ડીસા પાસે આડ બંધ બનાવીને પાણીનો સંગ્રહ કરવો
  • ટ્રેક્ટર ટ્રોલીને આધુનિક ખેડૂતોનું બળદગાડું ગણીને R.T.O પાસિંગથી મુક્તિ અપાવી
  • ખેડૂતોના કોમર્શિયલ થ્રી ફેઝ કનેક્શન મીટર લાગેલ છે. તેમાં ફિક્સ ચાર્જ નાબૂદ કરવો
  • કેન્દ્ર સરકાર દ્વારા TOP પી ખેડૂતલક્ષી યોજનામાં ગુજરાતનો સમાવેશ કર્યો છે. તેમાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવો જોઇએ અને તે પણ અગાઉ સબસીડી આપી તે રીતે ખેડૂતોના ઉતારા ઉપર ખેડૂતોના ખાતામાં સીધા મળે તેવી યોજના બનાવી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.