ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરમાં વિકાસ દિવસની કરાઇ ઉજવણી, 5300 કરોડના કાર્યોનું લોકાર્પણ કરાયુ

author img

By

Published : Aug 8, 2021, 10:52 AM IST

deve
સાબરકાંઠાના હિંમતનગરમાં વિકાસ દિવસની કરાઇ ઉજવણી, 5300 કરોડના કાર્યોનું લોકાર્પણ કરાયુ

સાબરકાંઠાના હિમતનગર ખાતે આજે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના અધ્યક્ષ આમાં 118 PSA ઓક્સિજન 51 ટેસ્ટીંગ મશીન તેમજ 200 જેટલા વેન્ટિલેટર સહિત 1225 જેટલા સરપંચનું સન્માન કરાયું સાથોસાથ આગામી સમયમાં ગુજરાત કોરોનાની ત્રીજી લહેર માટે પણ તૈયાર હોવાનું રજૂઆત કરવામાં આવી છે.

  • 1500 કરોડથી વધારે ના કાર્યોનું કરાયું લોકાર્પણ
  • કોરોનાની ત્રીજી લહેર માટે ગુજરાત અડીખમ
  • કોંગ્રેસને ગુજરાતમાંથી કરાયું છે તડીપાર નીતિન પટેલનું નિવેદન

સાબરકાંઠા: ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ થવાના પગલે આજે(શનિવાર,7 ઓગસ્ટ) રાજ્યકક્ષાના વિકાસ દિવસની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત ગુજરાતમાં 100 ટકા રસીકરણ કરાવનારા 1,225 જેટલા સરપંચના સમ્માન સહિત 1500 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાનની નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસની ગુજરાતમાંથી તડીપાર થયું છે.

5300 કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ

ગુજરાતમાં ભાજપ સરકારને પાંચ વર્ષ પૂરા થવાના પગલે સતત સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો અપાયા બાદ આજે(શનિવારે) રાજયકક્ષાનો વિકાસ દિવસની ઉજવણી સાબરકાંઠાના હિમતનગર ખાતે કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં 5300 કરોડના કામોનું લોકાર્પણ કરવાની સાથોસાથ કોરોના કાળમાં અન્ય રાજ્યો કરતાં જનહિતના કામોને પગલે સર્વાંગી વિકાસ થયાનું જણાવ્યું હતું કે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર વાતો કરે છે કોંગ્રેસના રાજમાં કોઈપણ પ્રકારનો વિકાસ ન કરાયા હોવાના પગલે જનતા તેમને ઓળખી ગઈ છે અને હવે તાલુકા પંચાયતથી માંડી રાજ્ય સરકાર તેમજ સાંસદ સુધી ગુજરાતમાંથી તડીપાર થયું હોય તેવો ઘાટ છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં વિકાસ દિવસની કરાઇ ઉજવણી, 5300 કરોડના કાર્યોનું લોકાર્પણ કરાયુ

આ પણ વાંચો : ડાયમંડ મર્ચન્ટ સવજી ધોળકિયા દરેક મહિલા હોકી ખેલાડીને અઢી લાખ આપશે

અનાજ કૌભાંડના ગુનેગારોને છોડવામાં નહીં આવે

આ તબક્કે ગુજરાતના મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે આજે વિકાસ દિવસ નિમિત્તે એક જ મંચ ઉપરથી 5300 કરોડ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ થયું છે, તેમજ કોરોનાની આગામી લહેર માટે પણ તંત્ર તૈયાર છે. આ તબક્કે મુખ્યપ્રધાને નિવેદન આપ્યું હતું કે અનાજ કૌભાંડમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેમ જ તેમની સામે કડકમાં કડક પગલાં લેવાશે સાથોસાથ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે પીજી કરેલા ડોક્ટરો પોતાની સેવાની તેમજ ફરજની અનુરૂપ વર્તન કરે તે જરૂરી છે જોકે નિયમ મુજબ ડોક્ટર 40 લાખનો બોજ ન ભરે તો તેમની સામે નિયમ અનુસાર પગલાં લેવા સરકાર મક્કમ બની શકે તેમ છે.

આ પણ વાંચો : શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.