ETV Bharat / state

સરકારની બાળ સખા યોજનામાં ઠાગાઠૈયાથી ત્રસ્ત બનાસકાંઠાના 25 ડૉક્ટર્સનું રાજીનામુ

author img

By

Published : Jan 31, 2020, 9:10 PM IST

Updated : Feb 1, 2020, 12:43 AM IST

કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા બાળ સખા યોજના-3 અમલી બનાવવામાં આવી હતી. આ યોજનામાં બાળકોની સારવાર કરનારા તબીબોને સરકાર દ્વારા ચૂકવવાના નાણાં ચૂકવવામાં વિલંબ થતાં બનાસકાંઠાના ખાનગી 25 તબીબો સહિત ગુજરાતના પીડિયાટ્રિક તબીબોએ આ યોજના હેઠળ સારવાર કરવાનો લેખિતમાં ઈનકાર કરી દીધો છે. જેનાથી રાજ્યના અસંખ્ય બાળકોને કુપોષણમાંથી નિવારવામાં મુશ્કેલી સર્જાશે.

Etv Bharat, Gujarati News, Banaskantha News, બાળસખા યોજના
સરકારની બાળસખા યોજનામાં બનાસકાંઠાના 25 ડૉક્ટરરોના રાજીનામા

પાલનપુરઃ ગુજરાત સરકાર દ્વારા બાલ સખા યોજના-3 અમલી બનાવવામાં આવી હતી. ન્યુ બોર્ન બેબી ડેથને અટકાવવા માટે અને તાજા જન્મેલા બાળકોને પોષણ મળી રહે તે માટે અમલી બનાવવામાં આવેલી આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલને બાળકની સારવાર માટે 49000 રૂપિયા જેટલા પ્રતિ બાળક દીઠ નક્કી કરવામાં આવ્યા હતા અને આ યોજના અંતર્ગત રાજ્યભરના બાળરોગ નિષ્ણાંતો સહિત બનાસકાંઠાના 25 જેટલા તબીબો બાળકોની સારવાર કરતા હતા, પરંતુ છેલ્લા નવ માસથી આ યોજના અંતર્ગત જે તબીબોએ બાળકોની સારવાર કરી છે. તેવા તબીબોને સરકાર દ્વારા કરવા પાત્ર નાણાંની ચુકવણી કરવામાં ન આવતા આખરે કંટાળેલા બનાસકાંઠાના 25 જેટલા બાળ રોગ નિષ્ણાંતોએ આ યોજના અંતર્ગત બાળકોની સારવાર કરવાની લેખિતમાં ના પડી દીધી છે.

સરકારની બાળસખા યોજનામાં બનાસકાંઠાના 25 ડૉક્ટરરોના રાજીનામા

બનાસકાંઠામાં તબીબોએ આ યોજના અંતર્ગત સારવાર કરવાની ના પાડી દેતા સરકારના પોષણ અભિયાનમાં મોટો વિક્ષેપ ઉભો થયો છે. એક તરફ સરકાર દ્વારા પોષણ અભિયાન 2020 ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ બાળરોગના નિષ્ણાંતોએ સરકારની યોજના અંતર્ગત સારવાર કરવાની લેખિતમાં ના પાડી દીધી છે. આ અંગે અમે ગુજરાત પીડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા યોજનાના નાણાં સમયસર ચૂકવવામાં આવતા ના હોવાના લીધે બાળરોગ નિષ્ણાંતોએ બાલસખા યોજના અંતર્ગત સારવાર કરવાની ના પડી છે.

બનાસકાંઠાના 25 બાળ તબીબોએ એકાએક રાજીનામું આપી દેતા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ તમામ ડોક્ટરોને નોટિસ ફટકારી છે. આ બાબતે આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, તમામ ડોક્ટરોએ 31-12 2020 સુધી આ યોજનામાં કામ કરવા માટેના સરકાર સાથે MOU કર્યા છે, તેથી કોઈ પણ બાળકનું મોત થશે, તો તેની જવાબદારી જેતે ડોક્ટરોની રહશે. જો કે, બાળકોને સારવારમાં કોઈ તકલીફ ન પડે તે માટે અમે પાલનપુર, ડીસા અને થરાદમાં વધારાની સુવિધા ઉભી કરી છે.

એક તરફ સરકાર કુપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવા માટે આટલા પગલાં ઉઠાવી રહી છે તો બીજી તરફ બાળરોગ નિષ્ણાંતોએ પણ સરકારને સહયોગ આપીને કુપોષિત બાળકોને સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટે સારવારથી દૂર રહેવાના બદલે સારવાર આપવી જોઇએ કે જેનાથી એક કુપોષિત બાળકને પોષણયુક્ત બનાવી શકાય. તો બીજી તરફ સરકાર પણ જ્યારે આટલી મોટી યોજનાઓ જાહેર કરતી હોય તો આ યોજનાનું સંચાલન પણ યોગ્ય રીતે કરવામાં આવે તો જ યોજનાઓ સાચા અર્થમાં સાર્થક થઈ શકે.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.31 01 2020

સ્લગ... સરકારની બાળસખા યોજનામાં બનાસકાંઠાના 25 ડૉક્ટરરોના રાજીનામાં....

એન્કર....કૂપોષિત બાળકોને પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા બાળ સખા યોજના-3 અમલી બનાવવામાં આવી હતી.. આ યોજનામાં બાળકોની સારવાર કરનારા તબીબોને સરકાર દ્વારા ચૂકવવાના નાણાં ચૂકવવામાં વિલંબ થતાં બનાસકાંઠાના ખાનગી 25 તબીબો સહિત ગુજરાતના પીડિયાટ્રિક તબીબોએ આ યોજના હેઠળ સારવાર કરવાનો લેખિતમાં ઇનકાર કરી દીધો છે.. જેનાથી રાજ્યના અસંખ્ય બાળકોને કુપોષણમાથી નિવારવામાં મુશ્કેલી સર્જાશે...
Body:
વી ઓ ......ગુજરાત સરકાર દ્વારા બાલ સખા યોજના-3 અમલી બનાવવામાં આવી હતી. ન્યુ બોર્ન બેબી ડેથને અટકાવવા માટે અને તાજા જન્મેલા બાળકોને પોષણ મળી રહે તે માટે અમલી બનાવવામાં આવેલી આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલને બાળકની સારવાર માટે ૪૯૦૦૦ રૂપિયા જેટલા પ્રતિ બાળક દીઠ નક્કી કરવામાં આવ્યા હતા.. અને આ યોજના અંતર્ગત રાજ્યભરના બાળરોગ નિષ્ણાતો સહિત બનાસકાંઠાના 25 જેટલા તબીબો બાળકોની સારવાર કરતાં હતા.. પરંતુ છેલ્લા નવ માસથી આ યોજના અંતર્ગત જે તબીબોએ બાળકોની સારવાર કરી છે તેવા તબીબોને સરકાર દ્વારા કરવા પાત્ર નાણાંની ચુકવણી કરવામાં ન આવતા આખરે કંટાળેલા બનાસકાંઠાના 25 જેટલા બાળ રોગ નિષ્ણાતોએ આ યોજના અંતર્ગત બાળકોની સારવાર કરવાની લેખિતમાં ના પડી દીધી છે.. બનાસકાંઠામાં તબીબોએ આ યોજના અંતર્ગત સારવાર કરવાની ના પાડી દેતા સરકારના પોષણ અભિયાનને મોટો ધક્કો લાગ્યો છે.. એક તરફ સરકાર દ્વારા પોષણ અભિયાન ૨૦૨૦ ચલાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ બાળરોગના નિષ્ણાતોએ સરકારની યોજના અંતર્ગત સારવાર કરવાની લેખિતમાં ના પાડી દીધી છે.. આ અંગે અમે ગુજરાત પીડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે સરકાર દ્વારા યોજનાના નાણાં સમયસર ચૂકવવામાં આવતા ના હોવાના લીધે બાળરોગ નિષ્ણાતોએ બાલસખા યોજના અંતર્ગત સારવાર કરવાની ના પડી છે.....

બાઇટ....ડો. હિરેન પટેલ , પ્રમુખ, ગુજરાત પીડિયાટ્રિક એશોસીએશન

વી ઓ ....બનાસકાંઠાના 25 બાળ તબીબોએ એકાએક રાજીનામું આપી દેતા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ તમામ ડોક્ટરોને નોટિસ ફટકારી છે આ બાબતે આરોગ્ય અધિકારીનું કહેવું છે કે તમામ ડોક્ટરોએ 31-12 2020 સુધી આ યોજનામાં કામ કરવા માટેના સરકાર જોડે MOU કર્યા છે તેથી કોઈ પણ બાળકનું મોત થશે તો તેની જવાબદારી જેતે ડોક્ટરોની રહશે જોકે બાળકોને સારવારમાં કોઈ તકલીફ ન પડે તે માટે અમે પાલનપુર ,ડીસા અને થરાદમાં વધારાની સુવિધા ઉભી કરી છે.

બાઈટ.....મનીષ ફેન્સી, આરોગ્ય અધિકારી બનાસકાંઠા
Conclusion:
વી ઓ .....એક તરફ સરકાર કૂપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવા માટે આટલા પગલાં ઉઠાવી રહી છે તો બીજી તરફ બાળરોગ નિષ્ણાતોએ પણ સરકારને સહયોગ આપીને કૂપોષિત બાળકોને સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટે સારવારથી દૂર રહેવાના બદલે સારવાર આપવી જોઇયે.. કે જેનાથી એક કૂપોષિત બાળકને પોષણયુક્ત બનાવી શકાય.તો બીજી તરફ સરકાર પણ જ્યારે આટલી મોટી યોજનાઓ જાહેર કરતી હોય તો આ યોજનાનું સંચાલન પણ યોગ્ય રીતે કરવામાં આવે તો જ યોજનાઓ સાચા અર્થમાં સાર્થક થઈ શકે.. ......

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
Last Updated : Feb 1, 2020, 12:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.