ETV Bharat / state

અરવલ્લીના રામપુર ગામમાં અનોખી પરંપરાથી કરાય છે નવા વર્ષની ઉજવણી

author img

By

Published : Oct 28, 2019, 5:20 PM IST

અરવલ્લીઃ આજથી આપણું નવું વર્ષ શરૂ થઈ રહી છે, જેથી અલગ-અલગ પ્રાંતમાં નવા વર્ષની ઉજવણી અવનવી રીતે કરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા એક અનોખી પરંપરા પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવેછે.

New Year's unique tradition in Rampur village

રામપુર ગામના આબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે ગામના ચોરે આવેલ રાધા કૃષ્ણના મંદિરે એકઠા થાય છે. જ્યાં મંદિર આગળના ચોકમાં ગોપાલકોના તમામ ગૌવંશને એકઠા કરવામાં આવે છે અને ગામના યુવાનો દ્વારા ફટાકડા સળગાવી પશુઓ વચ્ચે નાખવામાં આવે છે. જેનાથી પશુઓ ભડકે છે અને ગામ ના સીમાડા તરફ દોડવા લાગેછે.

અરવલ્લીના રામપુર ગામમાં અનોખી પરંપરાથી કરાય છે નવા વર્ષની ઉજવણી

આ પરંપરાગત રીતે પશુઓ ભડકાવવાને એક શુકનિયાળ પદ્ધતિ માનવામાં આવે છે, ત્યારબાદ રાધાકૃષ્ણના મંદિમાં સામુહિક આરતી થાય છે. આરતી કર્યા બાદ સૌ કોઈ એકબીજાને ભેટે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ અનોખી પરંપરા પાછળ કહેવાય છે કે, આમ કરવાથી ગામમાં ક્યારેય જીવલેણ રોગનો ઉપદ્રવ થતો નથી. પશુઓમાં મહામારી જેવા રોગો આવતા નથી અને કૃષિ ક્ષેત્રે ખૂબ સુખાકારી રહે છે. આમ 200 વર્ષથી વધુ ચાલી આવતી આ અનોખી પરંપરાથી રામપુરના ગોપાલકો નવા વર્ષની ઉજવણી કરે છે.

Intro:અરવલ્લીના રામપુરમાં નવા વર્ષની અનોખી પરંપરા

મોડાસા- અરવલ્લી

આજથી શરૂ થતા નવા વર્ષ ની ઉજવણી અલગ અલગ પ્રાંત માં અવનવી રીતે કરવા માં આવેછે ત્યારે અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા પણ અનોખી પરંપરા પ્રમાણે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવેછે. ગામ ના આબાલવૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે ગામ ના ચોરે આવેલ રાધા કૃષ્ણ ના મંદિરે એકઠા થાય છે મંદિર આગળ ના ચોક માં ગોપાલકો ના તમામ ગૌવંશ ને એકઠા કરવા માં આવેછે અને ગામ ના યુવાનો દ્વારા ફટાકડા સળગાવી પશુઓ વચ્ચે નાખવા માં આવેછે જેનાથી પશુઓ ભડકે છે અને ગામ ના સીમાડા તરફ દોડવા લાગેછે.





Body:આ પરંપરાગત રીતે પશુઓ ભડકાવવા ની શુકનિયાળ પદ્ધતિ માનવા માં આવેછે ત્યારબાદ રાધાકૃષ્ણ ના મંદિર આ સામુહિક આરતી થાય છે આરતી કર્યા બાદ સૌકોઈ એકબીજા ને ભેટે છે અને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવેછે . આ અનોખી પરંપરા પાછળ કહેવાય છે કે ગામ માં ક્યારે ય જીવલેણ રોગ નો ઉપદ્રવ થતો નથી પશુઓ માં મહામારી જેવા રોગો આવતા નથી અને કૃષિ ક્ષેત્રે ખૂબ સુખાકારી રહેછે આમ 200 વર્ષ ઉપરાંત થી અનોખી પરંપરા થી રામપુર ના ગોપાલકો દસર નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવેછે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.