અમદાવાદ: ગ્રાહક તકરાર નિવારણ કમિશને તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, અરજદાર તેમના પતિ ક્યા પ્રકારનું મજૂરી કામ કરતા હતા તે અંગે કોઈ વિગત રજૂ કરી નથી. તેથી અરજદાર ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ ક્લેઈમ મેળવવા હકદાર ગણી શકાય નહીં.
અરજદારના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આ વીમા યોજના હેઠળ સરકાર દ્વારા પ્રિમિયમ ભરવામાં આવે છે. તેથી તેમને યોજનાનો લાભાર્થી એટલે કે ગ્રાહક માનવામાં આવે. ડાયરેક્ટર ઓફ ઈન્શ્યોરન્સ વતી વકીલે દલીલ કરતા જણાવ્યું હતું કે, મૃત્યુ પામનારી વ્યક્તિ મજૂરી કામ કરતા તે અંગેનો પુરાવો રજૂ કરી શક્યા નથી. જેથી તેમને યોજનાનો લાભ આપી શકાય નહીં.