ETV Bharat / state

મતદાનની ટકાવારી ઘટી, મોદીનો મેજિક કે કેજરીવાલની રેવડી કે કોંગ્રેસના વચનો હવાઇ ગયાં?

author img

By

Published : Dec 5, 2022, 9:26 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના બીજા તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી (Second Phase Poll Voter turnout declined ) છે. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો (Political parties of Gujarat ) તેમજ પીએમ મોદીની રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ છતાં મતદાતા નિરસ જોવા મળ્યા છે. ઈ ટીવી ભારતનો વિશેષ રીપોર્ટ.

મતદાનની ટકાવારી ઘટી, મોદીનો મેજિક કે કેજરીવાલની રેવડી કે કોંગ્રેસના વચનો હવાઇ ગયાં?
મતદાનની ટકાવારી ઘટી, મોદીનો મેજિક કે કેજરીવાલની રેવડી કે કોંગ્રેસના વચનો હવાઇ ગયાં?

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ના બીજા તબક્કામાં 93 બેઠકો માટે પાંચ વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 59.19 ટકા મતદાન નોંધાયું છે. જો કે હજી આ ટકાવારીના આંકમાં ફેરફાર આવવાની શક્યતા છે. પણ 2017માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે બીજા તબક્કામાં 69.77 ટકા મતદાન થયું હતું. તેની સરખામણીએ મતદાન ઘણું ઘટ્યું (Second Phase Poll Voter turnout declined )છે.

સૌથી વધુ સાબરકાંઠા અને સૌથી ઓછુ અમદાવાદ પ્રાથમિક અંદાજ પ્રમાણે કુલ 14 જિલ્લામાં સાબરકાંઠામાં 65.84 ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. ત્યાર પછી બનાસકાંઠામાં 65.65 ટકા મતદાન થયું છે. અને સૌથી ઓછુ મતદાન અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને કુલ 21 બેઠકો પર સરેરાશ 53.84 ટકા મતદાન થયું છે. 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે અમદાવાદમાં 65.55 ટકા મતદાન નોંધાયું હતું. તેની સરખામણીએ કરીએ આ (Gujarat Assembly Election 2022)મતદાનમાં ઝાઝો ઘટાડો (Second Phase Poll Voter turnout declined )થયો છે.

મોદીના રોડ શોની મતદાન પર કોઈ અસર નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 1 ડિસેમ્બરના રોજ 51 કિલોમીટરનો લાંબો રોડ શો કર્યો હતો, તેમાં 13 બેઠકોના વિસ્તાર આવરી લીધા હતાં. ત્યાર બાદ 2 ડિસેમ્બરે બીજો રોડ શો કર્યો હતો, જેમાં વિધાનસભાની 3 બેઠકો આવરી લીધી હતી. આમ અમદાવાદ શહેરની 16 બેઠકો પર રોડ શો કર્યો હતો. અને પીએમ મોદીએ સરસપુરમાં જાહેરસભા કરી હતી. તેમ છતાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સૌથી ઓછુ 53.84 ટકા મતદાન (Second Phase Poll Voter turnout declined )નોંધાયું છે.

વધુ મતદાનનો રેકોર્ડ ન બની શક્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જાહેરસભામાં ગુજરાતની જનતાને રેકોર્ડબ્રેક મતદાન કરવાની અપીલ કરી હતી અને પરિવાર સાથે 100 ટકા મતદાન કરવાની અપીલ હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ કહ્યું હતું કે ગુજરાત આ વખતે મતદાન અને બેઠકોની જીતના તમામ રેકોર્ડ તોડી નાંખશે. જો કે મતદાર (Gujarat Assembly Election 2022)નીરસ જ રહ્યો છે.

બીજો તબક્કો વધુ નિરસ રહ્યો પ્રથમ તબક્કાની વાત કરીએ તો 89 બેઠકો પર કુલ 63.31 ટકા મતદાન થયું હતું, તેની સામે 2017માં વિધાનસભાની ચૂંટણી વખતે પ્રથમ તબક્કામાં કુલ 67.2 ટકા મતદાન નોંધાયું હતું. એટલે કે પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના મતદારો નિરસ રહ્યા હતા. તેવી જ રીતે બીજા તબક્કામાં પણ 2017ની મતદાનની ટકાવારી 69.77 ટકાને જોતા 2022માં બીજા તબક્કામાં કુલ 59.19 ટકા મતદાન થયું છે. એટલે બીજા તબક્કામાં પણ મતદાન નોંધપાત્ર ઘટ્યું (Second Phase Poll Voter turnout declined )છે.

બન્ને તબક્કામાં મતદાન ઘટ્યું આમ બન્ને તબક્કાના કુલ મતદાન પર એક નજર કરીએ તો 2022માં કુલ સરેરાશ 61.21 ટકા મતદાન થયું છે, જ્યારે 2017માં કુલ 69.01 ટકા મતદાન થયું છે. એટલે કુલ મતદાન પણ ઘટ્યું છે.

વચનો અને ગેરંટી મતદારોને અસર કરી શક્યા નથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ચૂંટણીના (Gujarat Assembly Election 2022)કોઈ મુદ્દા એવા નહોતા રહ્યા કે મતદારો મત આપવા આવે. કોઈ સળગતા મુદ્દા ન હતા. બીજુ મોંઘવારી અને રોજગારીનો કોઈ મુદ્દો જ નહોતો. ભાજપે માત્ર વિકાસની વાત કરી છે. કોંગ્રેસે વિકાસના દાવાને પોકળ ગણાવ્યો અને રાહુલ ગાંધીએ ફ્રીમાં આપવાના વચનો આપ્યા હતા. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે રાજસ્થાન મોડલ ગુજરાતમાં અમલી બનાવવાની વાત કરી હતી, પણ મતદારોએ વિશ્વાસ કર્યો નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ વીજળી ફ્રી, આરોગ્ય સેવા અને શિક્ષણ ફ્રી આપવાની ગેરંટી આપી અને દિલ્હી- પંજાબ મોડલ લાવવાની વાત કરી હતી. તેમ છતાં (Political parties of Gujarat ) ગુજરાતીઓ મત આપવા માટે લલચાયા નથી. એમ કહી શકાય કે મુદ્દા હતો તો મતદારો પર અસર કરી શક્યા નથી.

પેજ કમિટી મતદારોને બુથ સુધી લાવવામાં નિષ્ફળ ભાજપના પેજ કમિટીના મેમ્બરો મતદારોને મતદાન બુથ સુધી લાવી શક્યા નથી. હાલ જાહેરસભામાં ભીડ ભેગી કરી શક્યા પણ મતદાન નીરસ રહ્યું છે. મતદારને એવું છે કે કોઈપણ સરકાર આવે મોંઘવારી અને રોજગારીનો પ્રશ્ન દૂર થવાનો જ નથી, આ ગણતરીને કારણે મોટાભાગના મતદારો મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું (Second Phase Poll Voter turnout declined )હોય તેમ જાણવા મળે છે.

લગ્નગાળાની ભરપુર સીઝન ગુજરાતમાં હાલ લગ્નની ભરપુર સીઝન ચાલી રહી છે. લગ્નગાળાને કારણે મતદારો ચૂંટણીમાં બહુ રસ લઈ શક્યા નથી. હા લગ્નમાં ચર્ચા જરૂર થઈ છે કે કોણ આવશે? લગ્નવાળા મતદાન કરવા આવ્યા નથી. સોનાચાંદીના ભાવ આસમાને છે, કરિયાણાની દરેક ચીજવસ્તુના ભાવ ઊંચા છે. શાકભાજી મોંઘી છે, આ વખતે મધ્યમ અને ગરીબવર્ગને લગ્ન કરવા ખૂબ મોંઘા પડ્યા છે. આથી મતદાર નિરસ ર(Second Phase Poll Voter turnout declined )હ્યો છે.

મતદાર નીરસ કેમ થયો? આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી Political parties of Gujarat વચ્ચેનો સંગ્રામ મતનું વિભાજન કરી નાંખશે. અધુરામાં પુરું AIMIMએ મુસ્લિમ વિસ્તારોમાં 13 ઉમેદવારો ઉભા રાખ્યા છે. એટલે 13 બેઠકો પર મતનું ચાર પાર્ટીમાં વિભાજન થશે. મતદાર કોને મત આપે તેની પસંદગી કરી શક્યો નથી. જો કે દર વખતની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

ભાજપના જૂના જોગીઓ કપાતા કાર્યકરોમાં ભારે અસંતોષ ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને મુદ્દે બબાલ હતી. ખાસ કરીને શાસનમાં રહેલી ભાજપ પાર્ટીએ નવા ચહેરાને તક આપી છે. ચાર બેઠકો પર ઉહાપોહ ઉભરીને બહાર આવ્યો હતો. ત્યાં બળવો થયો ભાજપના જ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરી હતી. તેવી જ રીતે જે બેઠક પર જૂના ઉમેદવાર કપાયા ત્યાં પૂર્વ ધારાસભ્યો નારાજ હતા, અને તેમના કાર્યકરો પણ નિરાશ થાય તે સ્વભાવિક છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ કૃષિપ્રધાન આર સી ફળદુ જેવા સીનીયર નેતાઓને ટિકિટ અપાઈ ન હતી, તેઓ સાઈડલાઈન થયાની ચર્ચાથી તેમની બેઠક પર કાર્યકરો નિરાશ (Second Phase Poll Voter turnout declined )થયા છે. અને આથી મતદાન ઘટે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે.

ચૂંટણીનો માહોલ ઉભો ન કરી શકાયો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) છે તેવો માહોલ ઉભો થયો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા કરવા કે રોડ શો કરવા આવ્યા ત્યારે ચૂંટણીનો માહોલ ઉભો થયો હતો. બાકીના દિવસોમાં નીરસ (Second Phase Poll Voter turnout declined )વાતાવરણ રહ્યું હતું. કોંગ્રેસમાંથી કેન્દ્રીય નેતાગીરી પ્રચારમાં આવી નથી. રાહુલ ગાંધી માત્ર ત્રણ સભા કરીને ભારત જોડો યાત્રામાં જતા રહ્યા હતા, અને આ યાત્રામાં ગુજરાતને બાકાત રખાયું હતું. પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પણ ચૂંટણી પ્રચારમાં આવ્યા ન હતા. આમ આદમી પાર્ટીના દિલ્હી અને પંજાબના સીએમ અન સ્ટાર પ્રચારકોએ ખૂબ મહેનત કરી છે. તેમ છતાં જોઈએ તેવો માહોલ Political parties of Gujarat ઉભો કરી શકાયો નથી.

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈટીવી ભારત ગુજરાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.