ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 700ને પાર, મૃત્યુઆંક 50 થયો

author img

By

Published : Jun 23, 2020, 9:41 PM IST

અમદાવાદ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેર વર્તી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવાર સાંજ સુધીમાં નવા 08 કેસ નોંધાતા કુલ આંકડો 736 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

અમદાવાદ: અમદાવાદ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેર વર્તી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મંગળવાર સાંજ સુધીમાં નવા 08 કેસ નોંધાતા કુલ આંકડો 736 પર પહોંચ્યો છે. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી.

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પૂરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 218 નોંધાયો છે. જ્યારે દસક્રોઈ 165, બાવળામાં 76 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયા છે. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 142, ધંધુકા 25, વિરમગામ 72, બાવળા -76 અને માંડલ તાલુકામાં 15 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 50 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે, જેમાં 1.49 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 39 હજાર જેટલા ઘરોનું સર્વેલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 218 અને સાણંદમાં 142 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.