ETV Bharat / state

રમઝાન પહેલા કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કરિયાણાની દુકાનમાં કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો

author img

By

Published : Apr 22, 2020, 7:04 PM IST

Updated : Apr 22, 2020, 7:32 PM IST

કોરોનાને કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે દૂધ અને શાકભાજી સિવાય જીવન જરૂરિયાતની કેટલીક ચીજ વસ્તુઓના નવા સ્ટોક નહીં આવતા કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કરિયાણાની દુકાનમાં કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો છે.

કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કરિયાણાની દુકાનમાં કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો
કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કરિયાણાની દુકાનમાં કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો

અમદાવાદઃ રમઝાન સમયે અમદાવાદમાં કોરોના હોટસ્પોટ અને કરફ્યૂગ્રસ્ત કોટ વિસ્તાર સહિત દાણીલીમડામાં મોટાભાગની કરીયાણાની દુકાનોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારોમાં લૉડાઉન અને કરફ્યૂ સમયે લોકોએ વસ્તુઓ ખરીદી લીધા બાદ નવી વસ્તુઓનો માલ નહીં આવતા કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ઉપલબ્ધ થતો નથી.

કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કરિયાણાની દુકાનમાં કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો
કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં કરિયાણાની દુકાનમાં કેટલીક ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટી પડ્યો

કોરોનાને કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમા કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે દૂધ અને શાકભાજી સિવાય જીવન જરૂરિયાતની કેટલીક ચીજ વસ્તુઓના નવા સ્ટોક ન આવતા ભારે હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. આ વિસ્તારોમા કરફ્યૂ લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત કરાતા લોકો કરિયાણુ ખરીદવા ઉમટી પડ્યા હતા. જોકે કરફ્યૂ અને લૉકડાઉનની સ્થિતિ વચ્ચે નવો સ્ટોક ન આવતા સામાન્ય લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલીક દુકાનો ખાલીખમ નજરે પડી હતી. આ મુદ્દે વાતચીત કરતા દુકાનદારે જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન સ્થિતિ અને લૉકડાઉનને લીધે નવો સ્ટોક ઉપલબ્ધ થતો નથી અને હજી કેટલું ચાલશે તેનું પણ કોઈને ખબર નથી.

રમઝાન મહિનો નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો મહિનાની ખરીદી કરતા હોય છે પરંતુ નવો માલ ઉપલબ્ધ ન હોવાથી રમઝાન કઈ રીતે જશે ખ્યાલ નથી. રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખે છે, ત્યારે કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુઓનો આભવ હાલાકી ઉભી કરી શકે છે.

Last Updated :Apr 22, 2020, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.